SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ तथा, चूर्णपिण्डेऽन्तर्द्धानं प्रतीत्य चाणि (ण) क्यमंत्री निदर्शनं यथा क चूर्णपिण्डे चाणक्यमंत्री - निदर्शनं पाडलिपुत्तं नाम नयरं आसि । तत्थ य चंदगुत्तो नरवई तस्स य चाणक्को नाम महामंती । तत्थ य जंघाबलपरिहीणा संभूइविजयाभिहाणा सूरिणो परिवसंति । अण्णया यदुभिक्खं जायं । आयरिएहिं चिंतियं । जहा एयं सूरिपयजोग्गं नियसीसं आयरियत्तए ठाविउं सयलगच्छसहियं सुभिक्खे संतरे पट्टवेमि । सयमेत्थेव एगागी चिट्ठामि ता ताव एयं जोणिपाहुडं सिक्खवेमि त्ि रहे तं सिक्खविउं पव्वत्ता । तत्थ य पच्छन्नठिएहिं दोहिं खुड्डएहिं अंजणं कहिज्जंतं सुयं । जेण अंजियाहि अच्छीहिं न केणइ दीसिज्जइ । आयरिएहिं तहेव आयरियत्तणे सो ठाविओ सयलगच्छसहिओ पेसिओ ते खुड्डया आयरियणेहेण पुणो वि वलिया, सेसो गच्छो निद्दिट्ठठाणे संपत्तो । गुरुहिं ते भणिया। दुड्डु तुब्भेहिं कयं जे समागया संपयं एत्थेव संतोसनिरया संता विहरह । उ समे हिंडिऊण समुद्दाणट्ठा आयरिया जंकिंचि भिक्खाए आगच्छइ तं तेहिं समं विरिंचय भुजंति તથા, ‘પૂર્ણપિપ્પુ' ને વિશે અન્તર્ધનને અનુલક્ષીને ચાણક્યમંત્રીની કથા આ પ્રમાણે છે. • ચૂર્ણપિણ્ડમાં ચાણક્ય મંત્રીનું દૃષ્ટાંત છે પાટલિપુત્રનામનું નગર હતું. ત્યાં ચંદ્રગુપ્તરાજા અને તેમના ચાણક્ય નામે મહામંત્રી હતા. તે નગરમાં જંઘાબળની ક્ષીણતાવાળા સંભૂતિવિજયસૂરિજી વસતા હતા. કોઈક સમયે નગરમાં દુષ્કાળ પડ્યો. આચાર્યભગવંતે વિચાર કર્યો ‘સૂરિપદને યોગ્ય મારા શિષ્યને આચાર્યપદે સ્થાપીને ગચ્છસહિત એમને સુંભિક્ષવાળા દેશાંતરપ્રદેશમાં મોકલી આપું. હું પોતે અહીં એકલો જ રહીશ. એટલે સૌપ્રથમ આ સૂરિપદને યોગ્ય શિષ્યને યોનિપ્રામૃત વગેરે શિખવાડી દઉં.’ એમ વિચાર્યા પ્રમાણે શિષ્યને એકાંતમાં શીખવાડવા લાગ્યા. એ રીતે શીખવાડતી વખતે ગુપ્તપણે રહેલા બે નાના સાધુઓએ ગુરુદેવ દ્વારા કહેવાતી અંજનની વાત સાંભળી લીધી. જે અંજન આંખે આંજવાથી પોતાને કોઈ જોઈ શકે નહિ. આચાર્યભગવંતે પૂર્વે વિચાર્યા પ્રમાણે શિષ્યને આચાર્યપદે સ્થાપીને તેમને સકલગચ્છસાથે દેશાંતર મોકલી આપ્યા. પરન્તુ આચાર્યના સ્નેહથી પેલા બે નાનામુનિઓ નૂતનઆચાર્ય પાસેથી છૂપી રીતે પાછા વળી ગયા અને આચાર્યશ્રી પાસે આવ્યા. શેષ આખોય ગચ્છ નિર્દિષ્ટસ્થાને પહોંચી ગયો. ગુરુદેવ = આચાર્યશ્રીએ તે બન્ને નાનામુનિઓને ઠપકારૂપે કહ્યું ‘તમે આ પાછા વળ્યા તે ખોટું કર્યું પણ હવે કાંઈ નહિ, અહીં જ સંતોષથી રહો.' આચાર્યશ્રી જાતે ગોચરી ભમીને જે કાંઈ ભિક્ષામાં આવે તે બન્ને મુનિઓને વહેંચીને વાપરે છે. એમ કરવામાં આચાર્યશ્રીને પૂરતો ખોરાક મળતો નથી. માટે બન્ને નાનામુનિઓએ વિચારણા કરી કે ‘આચાર્યશ્રીને ઓછો ખોરાક મળે એવું શું કામ કરીએ ?, પૂર્વે સાંભળેલા અંજનને આંજીને ચંદ્રગુપ્તરાજાની સાથે વાપરીશું એના ભાણામાંથી ઉઠાવી વાપરીશું.' વિચાર્યા પ્રમાણે જ અંજન આંજીને વાપરવાનું ચાલુ કરી દીધું. Jain Education International ३०१ = ચંદ્રગુપ્તને હવે પેટ પૂરતું ન મળવાથી તે દુર્બળ થતાં જાય છે. ચાણક્યે ચંદ્રગુપ્તને પૂછ્યું ‘દેવ ! કેમ આમ દુબળા છો ?' ચંદ્રગુપ્તે કહ્યું ‘ખાવાનું પૂરતું મળતું નથી.' ચાણક્યે વિચાર્યું કે જરૂર આ દુર્ભિક્ષમાં અંજનસિદ્ધ કોઈ આની સાથે જમે છે. અન્યથા આટલા = પુરતા પ્રમાણવાળા આહારથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy