SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ २९२ जीवियं निष्फलं ति । तउ सूरिणा वृत्तं भो महायस ! पवयणुन्नइ तए सयं कायव्वा । तुज्झसम्मयं एयं पकरिस्सामो एयं वृत्ते राइणा वृत्तं परमो एस अम्हं अणुग्गहो त्ति । तउ तट्ठाणाउ सूरी दंसणसमुन्नइकरणत्थं वलहीपुरिं गओ । ॐ पादलिप्तसूरे ढंकपुरे गमनं तत्र नागार्जुनप्रसंगश्च तउ सेतुंज्जे उज्जितेगिरिनयरे य देवे अभिवंदिय ढंकपुरे दंसणपभावणत्थं संपत्तो । तत्थ य नागज्जुणो वंदओ सूरिं समागयं जाणिऊण केईदूरे सूरिसमीवे समागउं विणएणं सूरिं मन्नावित्ता तेण नियए आसमे नीओ। कारावियं सूरीणं चलणसोयं ति । भणियं बहुमाणपुव्वयं तेण जाया अम्ह तुम्ह दंसणेण परमा चित्तनिव्वुई । ता इहासमे आगंतूण कोमुइ जाव मए सद्धिं नियए चेइहरे तुभेहिं गंतव्वं । तस्सेयं वयणं मन्निऊण सूरी महुराए गओ । ततो तत्थ पवयणुन्नई काउं गओ मन्नयखेड़े। एवमणुदिनं भरुयच्छाइमज्झेण कोमुई जाव आगच्छंतस्स सूरिस्स ढंकपुरे पइदिणं पायसोयजलं जिग्घंतेण मइमया नागज्जुणेण पायलेवदव्वाणं सत्तोत्तरं मूलसयं विन्नायं, न उण एक्कं तंदुलघोयणं ति । तउ तव्विरहउ कओ तेण पयलेवो । तर तप्पभावेण सो किंचि उप्फिडित्तु પધારશો તો હું જાતને કૃતાર્થ માનીશ. નહીંતર મારું જીવન નિષ્ફળ છે.” સૂરિજીએ કહ્યું ‘હે મહાયશ ! તમારે પ્રવચનની જિનશાસનની ઉન્નતિ સદૈવ કરવી. તમારું આ ઈચ્છિત અમે કરીશું.' અર્થાત્ તમારી ઈચ્છા પ્રમાણે અહીં આવીશું. રાજાએ કહ્યું ‘આ અમારા ઉપર આપનો મોટો અનુગ્રહ થયો.' • પાદલિપ્તસૂરિજીનું ઢંકપુરમાં ગમન, ત્યાં નાગાર્જુનનો પ્રસંગ છે સૂરિજી ભરૂચથી દર્શનની = જિનશાસનની સમુન્નતિ કરવામાટે વલ્લભીપુર ગયા. ત્યાંથી શત્રુંજય ગિરનારતીર્થે દેવને વંદન કરીને શાસનની પ્રભાવના કરવામાટે ઢંકપુર પધાર્યા. ત્યાં દૂર રહેલા નાગાર્જુન વંદકે સૂરિજીનું આગમન સાંભળીને સૂરિજી સમીપ આવીને વિનયપૂર્વક સૂરિજીને મનાવીને સૂરિજીને પોતાના આશ્રમમાં લઈ ગયો. સૂરિજીના પાદ પખાળ્યા ને સૂરિજીને બહુમાનપૂર્વક કહ્યું, ‘અમારા ચિત્તને આપના દર્શનથી પરમસંતોષ થયો. કૌમુદીમહોત્સવ સુધી આપે આ આશ્રમમાં રોજે પધારીને આપના દેરાસરે મને પણ સાથે લઈ જવો.' સૂરિજીએ તેમના વચનોને માન્ય રાખીને મથુરા ગયા. ત્યાં પ્રવચનની ઉન્નતિ કરીને નવાખેડામાં ગયા. આ પ્રમાણે રોજે-રોજ કૌમુદી સુધી ભરૂચ વગેરે તીર્થોની યાત્રા કરીને ઢંકપુરીમાં આવતા સૂરિજીના ચરણના પ્રક્ષાલ જળને સૂંઘતા સૂંઘતા બુદ્ધિશાળી નાગાર્જુને પગમાં લેપ કરવામાં આવતા ૧૦૭ દ્રવ્યોને (૧૦૭ વનસ્પતિના મૂળિયાઓને) ઓળખી લીધા. પણ એક (૧૦૮ મું) દ્રવ્ય ચોખાનું ધોવણ જાણી શકાયું નહિ. તે એક દ્રવ્યથી રહિત ૧૦૭ દ્રવ્યોનો લેપ તેણે પગે કર્યો. લેપના પ્રભાવે તે થોડે થોડે ઊંચે ઊડીને નીચે પડતો હતો. તેના લીધે એના અંગો જર્જરિત થઈ ગયા. પૂર્ણિમાના મહોત્સવમાં આવેલા સૂરિજીએ જર્જરિતશરીરવાળા નાગાર્જુનને જોયો એટલે સૂરિજીએ તેને પૂછ્યું, ‘કેમ આવો દેખાય છે ?' તેણે બધીજ વાત સૂરિજીને કરી. સદ્ભાવને છૂપાવીને = અર્થાત્ પ્રગટ અર્થને છૂપાવીને ગૂઢાર્થવાળું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy