SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ २८४ देवकुमारोवमे कुलुद्धरणे पसूया। नागेन्द्रस्य दीक्षा, ‘पालित्तो' = 'पादलिप्तः' इति नामस्थापना च ॥ सो य नागेंदो अट्ठवरिसिओ संतो सूरीहि सोहणदिणे विहिणा पव्वाविओ। तउ सो अन्नदिणे खुड्डओ आसन्नगिहाउ चउत्थरसियं घेत्तुं समागओ। गुरूणं पुरो ठिओ तेहिं वुत्तो इमं आलोइयं जाणसि नव त्ति । तेण वुत्तं अ(तु)ज्झपसाएण जाणामि । जइ एवं ता भणसु, ततो तेणिमं वुत्त(वुत्तं), जहा अंबं तंबत्थीए अपुष्फियं पुप्फदंतपंतीए | नवसालिकंजियं नववहूए कुडएण मे दिन्नं ।।१।। इमं गाहं सुणिऊण सूरीहि वुत्तं भो भो मुणिणो पेच्छह पेच्छह अहो एसो खुड्डो सिगारग्गिणा पलित्तो त्ति। तउ खुड्डएण नमिउं वुत्तं । भयवं काणेण पसायं कुणह जेण पालित्तो होमि त्ति एवं तेण वुत्ते गुरुमइचमक्किएण गुरुणा आसणे निवेसिय सो सायरमेवं पुट्ठो, किं तुमं किंपि छंदाइयं जाणसि त्ति। तउ तेण बालभावाउ आरब्भ साहुसेवापरेण वागरणच्छंदलंकाराइयं આ બાજુ પ્રતિમાએ પણ સર્વ-લક્ષણ-ધારક, દેવકુમારની ઉપમાવાળા, કુળનો ઉદ્ધાર-ઉન્નતિ કરવા સમર્થ એવા બીજા પણ અનેક પુત્રોને જન્મ આપ્યો. • નાગેન્દ્રની દીક્ષા, “પાલિત્તો' = પાદલિપ્ત એ પ્રમાણે નામની સ્થાપના • તે નાગેન્દ્ર ૮ વર્ષનો થયે સૂરિજીપાસે સારાદિવસે વિધિપૂર્વક દીક્ષિત થયો. એકવાર આ બાળમુનિ બાજુના ઘરમાંથી ‘વસ્થ-રસિકં' = ‘વતુર્થ-રવિંદ' = 'તીખો- કડવો-કષાય = તૂરો-ખાટો-મધુર-લવણ = ખારો. આ ૬ પૈકી ૪ થો = ખાટોરસ, અર્થાત્ કાંજી લઈ આવ્યા. ગુરુની સન્મુખ ઉભા રહ્યા. ગુરુએ પૂછ્યું “આને આલોવવું જાણે છે કે નહિ ?.” બાળમુનિએ કહ્યું “આપની કૃપાથી જાણું છું.” ગુરુએ કહ્યું “જો એમ હોય તો કહે.” ત્યારે બાળમુનિએ આલોવવાના સ્થાને આ ગાથા કહી – ___ अंबं तंबत्थीए अपुफियं पुप्फदंत-पंतीए। नवसालिकंजियं नववहूए कुडएण मे दिन्नं ।। અર્થ :- તાંબા જેવા વર્ણવાળી, પુષ્પસમાન દંતપંક્તિવાળી એવી નવવધૂએ નવા = બાસમતી ચોખાની તાજી ખાટીકાંજી કુડવપ્રમાણ મને આપી. (ડવ = મગધદેશપ્રસિદ્ધ લીટર-બે લીટર માપનું ભાજન વિશેષ.) આ ગાથા સાંભળીને ગુરુએ કહ્યું, “અરે, અરે, ઓ સાધુઓ ! જુઓ, જુઓ તો ખરા. અહો ! આ બાળમુનિ શ્રૃંગારરસથી પલિતો “પ્રવીત' = દાઝેલા છે.' ત્યારે બાળમુનિએ નમીને કહ્યું “હે ભગવાન ! માત્ર એક કાનો વધારે ઉમેરવાનો પ્રસાદ કરો = મહેરબાની કરો જેથી હું પાલિતો = ‘પતિતઃ' = પગમાં લેપ કરીને ઉડનારો થાઉં”. બાળમુનિની આ પ્રતિભા જોઈ ગુરુ ચોંકી ઉઠ્યા અને બાળમુનિને આસન પર બેસાડીને આદરપૂર્વક પૂછયું. “શું તું કોઈ છંદ વગેરેને જાણે છે ?.” ત્યારે બાળમુનિએ “બાળભાવથી માંડીને સાધુસેવામાં લાગી જવા સુધીમાં વ્યાકરણ-છંદ-અલંકાર વગેરે જે બધું અવધારણ કર્યું. તે બધુંય ગુરુને જણાવ્યું = નાનપણથી જ માતા પ્રતિમા રોજ બાળ નાગેન્દ્રને સૂરિજીના વંદનાર્થે લઈ જતી. એ વખતે સાધુઓના પઠન-પાઠનના અવાજ દ્વારા એ સૂત્રો અવધારણ કરી લેતા, અને પછીથી સાધુઓની સેવા કરતાં કરતાં સાધુઓના મોઢે સૂત્રો વગેરે સાંભળતા સાંભળતા તે બધુંય અવધારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy