SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ २८१ गंधसमिद्धं नाम नयरं होत्था । तत्थन्नया सद्धम्मकप्पतरुणो केइ आयरिया समोसढा । तत्थ एगो भिक्खुवासओ, ईसरो सो य साहुण भिक्खट्टा गिहारायाणं न किंचि देइ । अन्नया य साहूणमेगत्थमिलियाण समुल्लाओ जाओ। जहा एसो भिक्खूवासओ ईसरो वि साहूणं न किंचि देई । ता अस्थि कोई जो एयं घयाइयं दवावेइ । तेसिं मज्झाउ एगेण साहूणा भणियं । जहामं आण जेणाहं दव्वावेमि । अणुण्णाओ गओ तस्स गेहं अभिमंतिओ सो विज्जाए तेण घयगुलाइयं पउरं साहुणो दिन्नं, साहु वि विज्जं संहरित्ता सट्टाणमागओ विज्जाए पडिसाहरियाए सहावत्थो जाओ गेहे घयगुलायाइ थेवाई पासइ, जाव केण हियं मे घयाइ केण मुट्ठोमित्ति पलवि ं विलग्गोत्ति । मन्त्रपिण्डे शालिवाहनराजप्रदी ( पादलि) प्तकाचार्यदृष्टान्तो वाच्यो नवरं प्रायो बहुजनप्रसिद्धाद्विनेयजनानुग्रहाय यथाम्नायमादितः पादलिप्ताचार्यचरितं किञ्चिदिहोच्यते । तच्चेदम्मन्त्रपिण्डे आचार्यपादलिप्तसूरि-वृत्तान्तः जिणवयणरहस्सज्जणकुसला कोसलापुरी नाम नयरी होत्था । तत्थ य जिणवयणसवणजायઅહીં, વિદ્યાપિણ્ડ વિશે ‘મિક્ષુ-પાસ’ નું દૃષ્ટાંત છે. જે આ પ્રમાણે છે. ગંધસમૃદ્ધ નામનું નગર હતું. ત્યાં સદ્ધર્મસ્વરૂપકલ્પવૃક્ષ એવા કોક આચાર્ય સમોસર્યા. ત્યાં એક બૌદ્ધ ઉપાસક ઈશ્વર શેઠીયો હતો. તે ભિક્ષાર્થે ઘર આંગણે આવેલ સાધુને ભિક્ષામાં કાંઈ આપે નહિ. એટલે સાધુમાંડલીમાં વાત થઈ કે, ‘આ બૌદ્ધઉપાસક સુખી છતો પણ સાધુને કંઈ આપતો નથી તો છે એવો કોઈ કે જે આ શેઠીયા પાસેથી ઘી વગેરે અપાવે.' તે સાધુઓની મધ્યમાં એક સાધુએ કહ્યું ‘હા, મને આજ્ઞા આપો, જેથી હું ગોચરી અપાવું.' એ સાધુને એમ કરવા અનુજ્ઞા આપવામાં આવી. એટલે તે સાધુ તેના ઘરે ગયો. શેઠીયાને વિદ્યાથી એવો અભિમંત્રિત કરી દીધો કે તેણે ખૂબ પ્રમાણમાં ઘી-ગોળ વગેરે સાધુને આપ્યા. તે પછી સાધુએ વિદ્યાને સંહરી લીધી અને પોતાના સ્થાને આવી ગયો. આ બાજુ, વિદ્યા સંહરી લીધાબાદ શેઠીયો પોતાની વાસ્તવિક અવસ્થામાં આવ્યો. ઘરમાં ઘી-ગોળ વગેરે ઓછા થયેલા જુવે છે, એટલે “કોણે મારા ઘી વગેરે ચોર્યા ? હું કોના દ્વારા લૂંટાયો ?’’ એ પ્રમાણે બોલવા લાગ્યો. = મન્ત્રપિણ્ડ વિશે શાલિવાહન રાજા અને પાદલિપ્તસૂરિ મહારાજનું દૃષ્ટાંત છે. જો કે આ દૃષ્ટાંત તો બહુજનપ્રસિદ્ધ છે. છતાં પણ વિનેય વિડલો શિષ્યજનના અનુગ્રહમાટે આમ્નાય પ્રમાણે પોતાના ગુરુજનો = પૂર્વાચાર્યો પાસેથી જે રીતે સાંભળવા મળ્યું છે તે પ્રમાણે પ્રારંભથીજ પાદલિપ્તસૂરિ મહારાજનું ચરિત્ર કાંઈક અહીં કહેવામાં આવે છે. તે આ પ્રમાણે છે. ♦ મન્ત્રપિણ્ડમાં આચાર્ય પાદલિપ્તસૂરિની કથા છે જિનવચનના રહસ્યને જાણવામાં કુશળ એવી કૌશલ્યા નામે નગરી હતી. ત્યાં, જિનવચનના શ્રવણથી ઉત્પન્ન થતા હર્ષથી પ્રફુલ્લિત થતા ‘ફુલ્લ' નામે શ્રેષ્ઠી હતા. તેઓને અનન્ય પ્રતિમા બીજામાં ન Jain Education International = For Private & Personal Use Only = = = www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy