________________
२६५
ताहिं समं परिरंभणपरिहासाइयं काउमाढत्तो। तउ अन्नदिणे तेहिं एगते भणिओ जहा तुज्झाणुरत्ताउ अम्हे परिणियं भुंजसु त्ति । इत्थंतरे उइन्नं तस्स चारित्तावरणिज्जं, गलिओ गुरूवएसो, पणट्ठो विवेगो, दूरिहूओ कुलाभिमाणो त्ति। भणियं एवं हवउ। परं लिगं गुरूणं समप्पेमि । गओ गुरुसगासं । पणमिऊण कहिओ निययाभिप्पाओ । गुरूहि भणियं वच्छ ! तुम्हारिसाणं उभयकुलविसुद्धाणं विवेगरयणायराणं अवगाहियसयलसुत्तत्थाणं नहु एरिसं उभयलोगगरहणिज्जं समायरिउं जुत्तं । तहा हिउत्तमकुलसंभूओ उत्तमगुरुदिक्खिओ तुमं वच्छ !। उत्तमपगईय तुमं कह सहसा ववसिओ एयं ।।१।। अविय दीहरसीलं, परिवालिऊण विसएसु वच्छ मा रमसु । को गोपयंमि बुड्डइ उदहिं तरिऊण बाहाहिं ।।२।। इच्चाइ, तेण भणियं भयवं ! एवमेयं किंतु- विहुरीकयं मे हिययं ताहिं उत्तट्ठहरिणनयणाहिं। तउ गुरूहि तन्निबंधं नाउ भणियं जहा- जिणसाहूचेइयाणं भत्तिपरो सम्मत्तनिच्चलो य हवेज्जासि त्ति । तउ रओहरणमुहपोत्तियं अग्गए मोत्तुं पाए नमिउं पुज्जाणं कहं पिट्ठी दिज्जइ त्ति पच्छिममुहेहिं पाएहिं આ કાર્ય કરવું યોગ્ય નથી. તેમજ હે વત્સ! તમે તો ઉત્તમકુળમાં જન્મેલા છો, ઉત્તમગુરુદ્વારા દીક્ષિત થયા છે, તમારી પ્રકૃતિ = સ્વભાવ પણ ઉત્તમ છે. આવું એકાએક શું બની ગયું ?. વળી, લાંબા સમય સુધી શીલને પાળ્યાબાદ હે વત્સ ! હવે વિષયોમાં ન રમીશ. અરે ! સમુદ્રને પોતાના બાહુથી તરીને કોણ ખાબોચીયામાં ડૂબી જાય ?” ઈત્યાદિ અનેક હિતોપદેશની વાતો કરીને મુનિને સમજાવ્યા. આષાઢાભૂતિએ કહ્યું “હે ભગવન્! આપની વાત સાચી છે. પરન્તુ ઉભટ અને હરણસમાન આંખોવાળી નટડીઓએ મારું હૃદય હરી લીધું છે.” ગુરુએ એનો એ અંગેનો આગ્રહ જાણીને છેવટે કહ્યું “જિનેશ્વર પ્રભુના સાધુ અને ચૈત્યને વિશે ભક્તિવાળો બનજે. સમ્યક્તમાં નિશ્ચલ બનજે.” મુનિએ રજોહરણ અને મુહપત્તી ગુરુની આગળ મૂક્યા. પૂજ્યોના ચરણે પ્રણામ કરીને “આ પૂજ્યોને પીઠ શે બતાવાય?' એમ પાછલા પગે = પૂંઠ ન પડે એ રીતે વસતિમાંથી નીકળી વિશ્વકર્માના ભવનમાં ગયા. તે બેની સાથે પરણ્યો. વિશ્વકર્માએ તે બન્નેને ચેતવણી આપી “તમારામાં રક્ત બનીને કામચેષ્ટા કરનાર આ મુનિ સંયમ છોડી દેવા તૈયાર થયા અને તમને પરણ્યા. આવી અવસ્થા પામ્યા હોવા છતાં એમને ગુરુની યાદ આવી. એ બતાવે છે કે ઉત્તમગુણવાળા = ઉત્તમપ્રકૃતિના છે. માટે તમારે દારું વગેરે અશુચિપદાર્થોનો ત્યાગ કરી સારી રીતે = સજ્જનને શોભે એવા આચારોવડે રહેવું. નહીંતર એ ફરી વૈરાગી બની જશે.” - હવે બહોતેર કળામાં કુશળ તે આષાઢાભૂતિ અનેક પ્રકારના વિજ્ઞાનો દ્વારા બધા નટોની વચ્ચે મુખ્યનટ બન્યો. વિપુલ ધન, વસ્ત્ર, આભરણ આદિ મેળવે છે.
એકવાર રાજાએ આજ્ઞા કરી કે જેમાં એક પણ મહિલા ન હોય એવું નાટક આજે કરો. એટલે બધી સ્ત્રીઓને મૂકીને આષાઢાભૂતિ વગેરે બધાં નટો રાજાની સભામાં ગયા. “આજે આપણા ધણીનો વિરહ છે” એમ વિચારી આષાઢાભૂતિની પત્નીઓ દારુ પીને ઉન્મત બનીને વસ્ત્ર વિનાની = અર્ધ નગ્ન = ઉપરના વસ્ત્ર વિનાની બનીને મકાનના ઉપરી માળ પર સુતેલી પડી રહી. આ બાજુ રાજસભામાં પર-રાજ્યનો દૂત આવ્યો, તેથી રાજાનું ધ્યાન ડહોળાઈ ગયું એટલે નાટકમાં ભંગાણ પડ્યું. “આ અવસર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org