SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ २२१ कुर्यात्तथा बालकस्वजना अन्यो वा प्रातिवेश्यादिर्बालकमात्रादिना सह सम्बन्धं भावयेच्चाटुकरणदर्शनात् । यदि च प्रान्ताऽसौ तदा प्रद्वेषं विदध्यात्तथा वेदनीयकर्मविपाकवशाद् बालस्य मान्द्ये जाते त्वया मत्पुत्रो ग्लानीकृत इत्यादि साधुना सह कलहादि भवनात् प्रवचनमालिन्यं स्यात् । चाटुकारिण एते इति जनेऽश्लाघा स्यादेवं शेषास्वपि धात्रीष्वमी द्रष्टव्याः । % (૧) ક્ષરધાત્રીત્વે વેન પ્રારેડાં પ્રવ્યવ્યાપન્યાં થાપતિ? 9 अधुनैकां प्रच्याव्यान्यस्याः स्थापनेन यथाऽसौ तत् करोति तथोच्यते । भिक्षाचर्यायां प्रविष्टेन साधुना महिला सशोकां दृष्ट्वा किन्त्वमद्याधृतिपरा दृश्यसे ? इत्यादि पृच्छ्यते, तया चोच्यते । धार्मिक-यते ! दुःखं दुःखसहायस्यैव कथ्यते, साधुः प्राह को दुःखसहायो भण्यते, सा प्राह यः कथितो दुःखविषयं प्रतिकारं करोति । साधुनोक्तं मां मुक्त्वा कोऽन्यस्तथाभूतः, सा प्राह तषुद्दालितमपरधात्र्या मम धात्रीत्वमिति । ततः साधुरुत्पन्नाभिमानो यावन्न त्वं तत्रैव स्थापिता વગેરે બાળકની માતાની સાથે સાધુમાટે જારપુરુષ તરીકેની કલ્પના કરે. • બાળકની માતા જો હલ્કા સ્વભાવવાળી હોય = નીચકક્ષાની હોય, તો એ રોષે ભરાય. તેમજ બાળકના અશાતાવેદનીયકર્મના ઉદયથી કુદરતી રીતે જો બાળક માંદો પડી જાય તો “તમે મારા આ બાળકને માંદો કર્યો” ઈત્યાદિ કહેવા દ્વારા સાધુની સાથે ઝઘડો વગેરે કરે, અને એ થકી શાસન = પ્રવચનનું માલિન્ય થાય. તથા, “આ સાધુઓ તો ખુશામતખોર છે' એમ લોકોમાં નિંદા થાય. આ પ્રમાણેના દોષોનો સંભવ શેષ ચારધાત્રીઓમાં પણ જાણવો. • ક્ષીરપાત્રીત્વમાં કયા પ્રકારે એકને દૂર કરી બીજાને સ્થાપે ? • હવે એક ધાત્રીને ખસેડીને બીજીને સ્થાપવા માટે સાધુ જે રીતનું કરે. તે જણાવે છે. ભિક્ષાચર્યામાટે ગયેલ સાધુ શોકવાળી મહિલાને જોઈને પ્રશ્ન પૂછે કે “કેમ તમે આજે અધીરા દેખાવ છો ?” વગેરે. તે મહિલા જવાબ આપે કે “હે ધાર્મિકયતિ ! દુઃખમાં જે સહાય કરી શકે એને જ દુઃખની વાત કહી શકાય છે”. સાધુ પૂછે છે, “કોને દુઃખમાં સહાય કરનાર કહેવાય ?” મહિલા જવાબ આપે, “જેને કહેવાથી દુઃખનો પ્રતિકાર કરે.” સાધુ કહે છે, “મને છોડીને બીજો કોણ દુઃખમાં સહાયક હોઈ શકે ?” મહિલા કહે છે, “બીજી ધાત્રીવડે મારું ધાત્રીપણું ઝૂંટવી લેવાયું છે.” ત્યારે, સાધુને અભિમાન ઉત્પન્ન થવાથી “તમને તે જ સ્થાને જ્યાં સુધી હું સ્થાપીશ નહિ ત્યાં સુધી તમારી ભિક્ષા હું ગ્રહણ કરીશ નહિ” એમ કહે છે. ત્યારબાદ જેને ખસેડવાની છે, તે ધાત્રીને જોયેલી ના હોવાથી તેનું સ્વરૂપ જાણવા માટે એને જ પૂછે છે, “તે ધાત્રી શું તરુણ છે કે મધ્યમવયની છે ? નાના સ્તનવાળી છે કે મોટા સ્તનવાળી છે ? શરીર વડે ભરાવદાર છે કે પાતળી છે ? વર્ણથી કાળી છે કે ગોરી છે ?” ઈત્યાદિ. આમ તેનું સ્વરૂપ જાણીને જો ખસેડવાની ઈચ્છાવાળી ધાત્રી સ્થવિર હોય કે પાતળા શરીરવાળી હોય કે જાડા સ્તનવાળી હોય કે કૂર્મર = હાથની કોણીના આકારના સ્તનવાળી હોય તો, જેને ખસેડવાની છે તે ધાત્રી જેને આશ્રયીને રહેલી હોય તે ઘરમાં જઈને જેને ખસેડવાની છે એ ધાત્રીની સામેજ, ઘરના સ્વામી સાંભળે એ રીતે બાળક પર દૃષ્ટિ કરીને કહે છે. “વૃદ્ધા ધાત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy