SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ २२० समुच्चयार्थः । यं पिण्डं लभते-प्राप्नोति यतिः साधुः धात्रीत्वकरणाल्लब्धः पिण्डो मध्यपदलोपाद्धात्रीपिण्डः। सोऽनन्तरोक्त उच्यते इति शेषः । म क्षीरधात्रीत्वं यथा स्वयं करोति कारयति वा ॥ तत्र यथा क्षीरधात्रीत्वं कारयति करोति वा स्वयं तथोच्यते। किल कश्चित्साधुर्भिक्षार्थं पूर्वपरिचितगृहे प्रविष्टो रुदन्तं बालकं दृष्ट्वा तज्जननीं प्रत्याह, यथा मह्यं शीघ्रं भिक्षां प्रयच्छ तेऽसौ बालको रोदिति पश्चादेनं स्तनं धापय | अहो ते अतिप्रमादिता, किं सुलभानि पुत्रभाण्डानि ? यद्वा पर्याप्तं मम भिक्षया तावदेनमेव तर्पय । भूयोऽपि वाऽहं भिक्षार्थमागमिष्यामि । तथा मतिमानऽरोगी दीर्घायुश्च स्तनं पायितो बालः स्यादिति क्षीरधात्रीत्वं कारयति। यद्वा वक्ति तिष्ठ त्वं निराकुलाऽहमेवास्मै कुतोऽप्यानीय क्षीरं दास्यामीति वचनतः स्वयं धात्रीत्वं करोति । * धात्रीत्वकरणे दोषाः ॥ अत्र च प्रभूता दोषाः स्युर्यथाऽसौ बालकमाता भद्रकतयाऽऽवर्जितचित्ता सत्याधाकादिपाकं નિયુક્ત કરાવવા સ્વરૂપ ક્ષીરાદિ ધાત્રીપણું કરીને, એ અર્થના સમુચ્ચયમાં સમજવો. “નડુ નં = “તિઃ યં વુિં તમને' = યતિ = સાધુ જે પિણ્ડને મેળવે. એટલે કે સાધુએ ધાત્રીપણું કરવા દ્વારા મેળવેલ જે પિચ્છ. અહીં “રVIધં' આ મધ્યમપદનો લોપ થવાથી “ઘાત્રીપvg' શબ્દ બન્યો છે. “તો' = “સ:' આ જે અમો ઉપર કહી ગયા તે, “ઘાડો' = “ઘાત્રીવિઠ્ઠ:' = ધાત્રીપિણ્ડ નામક કહેવાય છે. “વધ્યતે” અધ્યાહારથી લેવું. • ક્ષીરધાત્રીત્વ જે રીતે સ્વયં કરે કે કરાવે છે હવે ક્ષીરપાત્રીપણું જે રીતે કરાવે અથવા જાતે કરે. તે જણાવે છે. કોક સાધુ ભિક્ષા માટે પૂર્વ પરિચિત ઘરમાં પ્રવેશ કરે છે. ત્યાં રોતા બાળકને જોઈને તેની માતાને કહે છે. તમારો આ બાળક રડે છે માટે મને જલ્દી ભિક્ષા આપી દો. પછી એને ધવરાવો. અરે, આ તો તમારો અતિપ્રમાદ છે કે બાળકને રોતો રાખ્યો. શું પુત્રો કાંઈ સુલભ છે ?” અર્થાત્ તે દુર્લભ છે માટે આ રીતે રડતા ન મૂકાય. અથવા તો એમ કહે કે “મને ભિક્ષા આપવાથી સર્યું પણ આ બાળકને જ આપો.' કાંતો એમ કહે કે “હું ફરીવાર પણ ભિક્ષા માટે આવી જઈશ પણ પ્રથમ આ બાળકને ધવરાવો”. તેમજ, આ રીતે પણ કહે કે “સ્તનપાન કરાવાયેલ બાળક મતિમાનું, અરોગી અને દીર્ધાયુષ્યવાળો બને છે. અર્થાત્ આ રીતે કહીને બાળકને સ્તનપાન કરાવવા આડકતરી રીતે સૂચન કરે. આ પ્રમાણે ક્ષીરપાત્રીપણું કરાવે. અથવા તો ‘તમે ઉભા રહો, હું જ બાળક માટે ક્યાંકથી દૂધ લાવીને આપીશ.' આવા વચન કહીને જાતે ધાત્રીપણું કરે. • ધાત્રીકરણમાં દોષો • ધાત્રીપણું કરવામાં ઘણાં દોષો રહેલા છે. જેમ કે, • બાળકની માતા ભદ્રકતાથી લાગણીવાળી બનીને આધાકર્માદિ રસોઈ બનાવે. - સાધુનું ધાત્રીપણું કરવા સ્વરૂપ ખુશામતપણું દેખીને બાળકના સ્વજનો અથવા બીજા કોક પાડોશી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy