SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ २१५ भवानित्यादिवचनैर्निभर्त्तितो यतिः ततः कुपितश्चिन्तयति यथा इयं पापा तथा कार्या, यथा मदायत्ता स्यादिति । मानयुतस्त्वभ्युत्थानाधर्चया, मायायुतस्त्वेकस्या धात्र्याश्च्यावनायान्यस्याः स्थापनाय बालस्य गृहे गत्वा कूटश्लोकपाठकरणादिना, लोभयुतस्त्वाहारलोभादिना धात्रीत्वं करोतीति । 'ते य' त्ति ते दोषा पुनरमी भवन्तीति गम्यते इति गाथार्थः ।।५७ ।। अवतरणिका- अथ तानेव प्रस्तावितोत्पादनादोषान् नामतः सङ्ख्यातश्च गाथाद्वयेनाह । मूलगाथा- धाइ दुइनिमित्ते, आजीववणीमगे तिगिच्छाय। कोहे माणे माया लोभे अ हवंति दस एए।।५८।। पुब्बिं पच्छा संथव विज्जा मंते य चुन्नजोगे य। उप्पायणाए दोसा, सोलसमे मूलकम्मे य।।५९।। દુર્લભ પાત્રા વગેરે. પણ અહીં પિણ્ડ-આહાર-ભાત પાણીની જ વાત ચાલતી હોવાથી મુખ્યતયા એ અંગેની જ વાત સમજવી. અથવા, અનાર્યકાર્યની બીજી વ્યાખ્યા જણાવે છે, ક્રોધાદિથી યુક્ત સાધુ જે ધાત્રીત્વ = ધાવમાતા બનવું વગેરે કાર્ય કરે, તે અનાર્યકાર્ય છે. કારણ કે ક્ષમા વગેરેથી રહેવાપણું એજ સાધુનું પ્રશસ્ય કાર્ય છે.. એનાથી વિપરીત તે અનાર્યકાર્ય છે. એવા અનાર્યકાર્યમાં “ફક્તઃ' = “પ્રાણ?' = પ્રવૃત્ત થયેલો સાધુ શું કરે ? વગેરે બધી વાતો ઉપર કહ્યા પ્રમાણે સમજી લેવી. ક્રોધથી યુક્ત સાધુ ધાત્રીપણું શી રીતે કરે ? તે જણાવે છે. જેમકે કોક ક્રોધી સાધુ કોક ગૃહસ્થના ઘરે ગોચરી ગયા. લાડુ વગેરે જોઈને ગૃહસ્થીને એની યાચના કરી કે “આ મને આપ.” ત્યારે દાત્રી ‘તમે પેટભરા છો, ખાઉધરા છો' ઇત્યાદિ વચનોવડે તિરસ્કાર કરે છે. તેથી ક્રોધે ભરાયેલ સાધુ વિચારે છે કે “આ પાપીણીને તેવું કરવું કે જેથી મારે વશ થાય.” - સાધુ જો માનયુક્ત = અભિમાની હોય તો તે અભ્યત્થાન = ઊભા થવું, સામે જવું વગેરે સ્વરૂપ અર્ચા-પૂજા-બહુમાન દ્વારા, જો સાધુ માયાયુક્ત હોય તો એક ધાત્રીને કઢાવી નાંખીને બીજીને સ્થાપવા માટે બાળકના ઘરે = જે બાળકની ધાત્રીને કાઢવી છે એ બાળકના ઘરે જઈને ખોટા શ્લોક બોલવા = નિંદા કરવી વગેરે કાર્ય દ્વારા ધાત્રીપણું બજાવે. જો સાધુ લોભયુક્ત હોય તો આહારઆદિના લોભથી ધાત્રીપણું બજાવે. ક્યા તે દોષો છે ? તે જણાવતા કહે છે, “તે ’ = “તે ઘ’ = વળી તે દોષો આ છે. જે હવે પછીની ગાથામાં કહેવાય છે../પણી અવતરણિકા - હવે, જેની પ્રસ્તાવના કરી ગયા તે જ ઉત્પાદના દોષોને નામથી તેમજ સંખ્યાથી બે ગાથામાં બતાવે છે. મૂળગાથા-શબ્દાર્થ :- ઘાડું = ધાત્રી, કૂ = દૂતી, નિમિત્તે = નિમિત્ત, સાનીવ = આજીવન, વીમો = વનીપક, તિષ્ઠિા = ચિકિત્સા, ચ = અને, દે = ક્રોધ, મા = માન, માયા = માયા, નોમે = લોભ, = અને, વંતિ = હોય છે, સ = દશ, U = .પ૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy