SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ २०५ शिताशनादन्यो यावत्सहस्रसङ्ख्याः प्राणिन इत्यन्यान्यविधिना परंपरया, यथाऽतिप्रधानविषलवोऽपि प्राणिसहस्राणि भक्ष्यसहस्राणि वा विनाशयत्येवं येन कृतोऽविशोधिकोट्यशनाद्याहारस्तेन पाककारकेणान्यस्मै गृहस्थाय दत्तस्तेनाप्यन्यस्मायित्याद्यन्यान्यगृहसंवरणेन परम्परया गृहसहस्रमपि गतोऽविशोधिकोटिलवोऽपि गृहसहस्रसत्कशुद्धभक्तसहस्राण्यपि पूतित्वकरणेन दूषयति । स चैवं भुज्यमानो निर्मलमपि चरणात्मकं भावजीवं साधोर्हन्तीति विषलवत्वेनोपमित इति । तथाऽविशोधिकोटिप्रस्तावं प्रतीत्य मुग्घशिष्यः कश्चिदाचष्टे, ननु साधुसङ्कल्पेन यत् क्रियते तदेवाधाकर्म स्यादतः कूर एव केवल आधाकर्म भवति तस्यैव साध्वर्थं सङ्कल्पितत्वान्न तु तन्निष्पन्नान्यपि सौवीरावश्रावणतंदुलोदकानि, तेषां साधुसङ्कल्पं विनाप्युपजायमानत्वादतस्तद्ग्रहणं कर्तुं यतेयुज्यते नवा ? नैवं, तान्यप्याधाकर्मिकाण्येव । तत्राधाकर्मिककूरावयवरूपावश्रावणादिनिष्पन्नत्वेन सौवीरे, कूरावयवरूपत्वेनावश्रावणे ગઈ. ઝેરથી પરિણત બનેલ એ મૃત વ્યક્તિનું માંસ કોક બીજાએ ખાધું અને એ પણ મર્યો. આ બીજાનું માંસ ખાવાથી ત્રીજો પણ મર્યો. એમ એક બીજા એક બીજાનું માંસ ખાતા ખાતા પરંપરાએ એક હજાર પ્રાણીઓ મરી ગયા. જેમ અત્યંત મારકણાવિષનું એક ટીપું પણ હજારો પ્રાણીઓનો અથવા હજારો ભક્ષ્યનો = ખાવા યોગ્ય હજારો વસ્તુઓનો વિનાશ કરે છે. અર્થાત્ હજારો વ્યક્તિઓને મારી નાંખે છે અને તેઓના શરીરોને-મૃતકોને વિષયુક્ત બનાવી કાઢે છે. તેમ, જે ગૃહસ્થદ્વારા અવિશોધિકોટિવાળો આહાર કરાયો. તે ગૃહસ્થ બીજા ગૃહસ્થને એ આપ્યો. બીજાએ પણ ત્રીજાને આપ્યો. આ પ્રમાણે એક બીજા એક બીજા ઘરમાં આપવાથી પરંપરાએ એક હજાર ઘરો સુધી ગયો. આ રીતે હજાર ઘરો સુધી ગયેલ તે આહારાદિ એ હજાર ઘરોના શુદ્ધઆહારાદિને પણ પૂતિ કરવાવડે દૂષિત કરી દે છે. તે અવિશોધિકોટિવાળા આહારને ખાતો એવો મુનિ, પોતાના નિર્મળચારિત્રરૂપી ભાવજીવને હણે છે. માટે એ આહારને વિષય' ની ઉપમા અપાઈ છે. આ અવિશોધિકોટિની વાત સાંભળીને કોઈ ભોળો શિષ્ય પૂછે છે કે, “સાધુના સંકલ્પથી જે કરાય છે તે જ આધાકર્મી બને છે. જેમકે, સાધુના સંકલ્પથી કરેલ ચોખા જ = ભાત માત્ર આધાકર્મી થાય છે. કારણકે તેજ સાધુમાટે સંકલ્પિત છે. પરંતુ એમાંથી બનતી કાંજી = સૌવીર = ઓસામણ ઉકાળી જાડું પ્રવાહી બનાવે છે અથવા પાણીમાં ચોખાનો લોટ નાંખી ઉકાળી જાડું પ્રવાહી બનાવે તે, “વત્તાવા’ = ઓસામણ = ભાતનું ઓસામણ, ‘તંતુનીવવા' = રાંધ્યા વિનાના ભાતનું = ચોખાનું ધોવણ વગેરે તો સાધુના સંકલ્પ વિના પણ થતાં હોવાથી તેનું ગ્રહણ કરવું યોગ્ય છે કે નહિ ?' આનું સમાધાન આપતા ગુરુ જણાવે છે કે, “ના. એ પણ કલ્પતું નથી કારણ કે એ બધુંય આધાકર્મી છે. અર્થાત્ સાધુમાટે નિષ્ઠિત = બનાવેલ આધાર્મિક કૂરના અવયવ રૂપ ઓસામણથી ઉત્પન્ન થયેલ સૌવીર = કાંજીમાં અને સાધુમાટે નિષ્ઠિત = બનાવેલ આધાર્મિક કૂરના અવયવરૂપ ઓસામણમાં, ભાત બનાવવા માટે ધોવામાં આવેલ તંદુલના અવયવથી મિશ્રિત તંદુલનું ધોવણ હોવાથી અથવા સાધુમાટે ભાત બનાવવાના આશયથી(કાચાપાણીથી) થયેલ ચોખાના ધોવણ વગેરે બધામાં આધાકર્મપણું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy