SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ १८८ स्तेषामेव प्रभुप्रभृतिकेन सह कलहोऽभिमानादात्मघातं च ते कुर्युः, गोपभार्यादेः दुग्धादिलाभहानेरन्तरायदोषश्च यतेः स्यात् । गोपालादिमध्यात् केचन साधोरुपरि रोषं च गच्छेयुः । यद्वा दुग्धग्रहणेन गोपालः प्रद्वेषं गतः। अत्राख्यानकं यथा । ॥ प्रभुराच्छेद्यविषयको गोपालद्रष्टांतः ॥ एगंमि गोउले एगो सावगो आसि । तस्स य एगो गोवो गाविउ चारेइ । सो य अट्ठमे अट्ठमे दिणे सव्वासिं गावीणं दुद्धं वित्तीए लब्भइ। अन्नया भिक्खटुं एगो साहू तत्थागओ। इओ य तम्मि दिणे गोवस्स दुद्धगहणवारओ। तओ तेण सव्वाउ गाविउ दुहेऊण गरुइ पारिया दुद्धस्स भरिया। सावएण साहुनिमित्तं सो दुद्धं मग्गिओ। तेण अणिच्छंतेणावि भयाइणा दिन्नं । पारिया ऊणिया जाया। गोवो य किंचि साहुस्सुवरि रोसमुवगओ। सावएण तेण दुद्धेण साहू पडिलाभिओ। गोवो य तं पारियं गहिऊण नियगेहे गओ। तब्भज्जा य तं ऊणपारियं दट्टण हयासा किं अज्ज थेवं दुद्धमाणियं इच्चाइ अकोसियु लग्गा चेडरूवाणि रोवन्ताणि किं अम्हं एएण दुद्धेण भविस्सइ त्ति भणिउं लग्गाणि । तओ सो, एगं सयं चेव साहुणा उवरिं पउडो आसि । अन्नं तेहिं उत्ताविओ तउल्लसियबहलकोवानलरत्तच्छो तं साहुं मारणत्थं गवेसिउं लग्गो। जाव साहू तेण दिट्ठो पिट्ठओ પ્રભુસંબંધી આચ્છેદ્યમાં આવા દોષો સંભવી શકે. જેમકે, ઉપરોક્ત ગોવાળીઆવગેરેને અપ્રીતિ થાય, પ્રભુ (માલિક) વગેરેની સાથે ઝઘડો કરી બેસે, અથવા અભિમાનથી = માનભંગથી આત્મઘાત કરી લે. અથવા ગોવાળીઆની પત્ની વગેરેને દૂધઆદિ લાભમાં હાનિ થાય, એના અત્તરાયનો દોષ મુનિને લાગે. અથવા તો ગોવાળીઆવગેરેમાંથી કેટલાક સાધુઓ ઉપર રોષે ભરાય. • પ્રભુ- આચ્છધવિષયક ગોવાળનું દૃષ્ટાંત છે “આંચકેલા દૂધના ગ્રહણથી ગોવાળીઓ રોષે ભરાયો તે વિશે અહીં કથાનક કહેવાય છે. એક ગોકુળમાં એક શ્રાવક રહેતો હતો. એનો એક ગોવાળીઓ ગાયોને ચરાવતો હતો. તે ગોવાળીઓ દર આઠમા દિવસે બધીજ ગાયોનું દૂધ પગાર તરીકે = આજીવિકા તરીકે મેળવતો હતો. એકવાર ભિક્ષા માટે સાધુ ત્યાં આવ્યા. તે જ દિવસે એનો દૂધ ગ્રહણ કરવાનો વારો હતો. એટલે તેણે બધીજ ગાયોને દોહીને દૂધ મોટી કોઠીમાં ભર્યું હતું. શ્રાવકે સાધુદાન માટે તે દૂધ માંગ્યું. તેણે અનિચ્છાએ પણ ભયવગેરેથી આપ્યું. શ્રાવકે તે દૂધ સાધુને વહોરાવ્યું, એટલે કોઠીમાંથી દૂધ ઓછું થયું. ગોવાળીઓ સાધુ પ્રત્યે કાંઈક ગુસ્સાવાળો થયો. તે કોઠી લઈને ઘરે ગયો. તેની પત્નીએ ઉણી કોઠીને જોઈ હતાશાથી કહેવા લાગી કે, “કેમ આજે ઓછું જ દૂધ લાવ્યા ? રડતા બાળકો પણ “આટલા દૂધથી અમારે શું થશે” એમ કહેવા લાગ્યા. એક તો પોતેજ સાધુ પર ગુસ્સાવાળો હતો જ અને આ બાજુ પત્ની, બાળકો દ્વારા ગુસ્સો વધુ પ્રજ્વલિત કરાયો. તેના લીધે તીવ્ર ક્રોધાનલથી લાલ આંખ વાળો બનેલો તે, પેલા સાધુને મારવા માટે શોધવા લાગ્યો. અને જ્યાં સાધુ દેખાયા કે એમની પાછળ દોડ્યો. ક્રોધાનલથી લાલચોળ આંખવાળા તેને આવતો જોઈને સાધુને પણ એનો ભાવ સમજાઈ ગયો કે “જરૂર આની પાસેથી આંચકીને શ્રાવકે દૂધ આપ્યું લાગે છે, તેથી આ મને મારવા આવી રહ્યો છે.” સાધુ તેની સન્મુખ જ ચાલવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy