SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ १७१ टयन्(टन)स्थगनादिना कपाटं लोकप्रतीतं । इह कपाटस्योपलक्षणत्वाच्छेषस्यापि प्रभूतप्राण्युपमईकारिणो द्वारपिधायकवस्तुनः कपाटार्गलादईरकादिग्रहस्य ग्रहो द्रष्टव्यः। उद्घाट्य पश्चान्मुखं प्रेर्य सञ्चाल्येत्यर्थः। वापीति विकल्पे। यदशनादि ददाति तत्कपाटादीनां प्रेरणकस्वभावोद्भिन्नतायोगात् कपाटोदभिन्नमुच्यते। तदिदं द्विविधमपि यतीनामकल्प्यं षट्कायोपमर्दैन संयमविराधनादिदोषदुष्टत्वात् । म पिहितोद्भिन्ने दोषाः ॥ ___ इह हि कोष्ठिकादौ पिहितोद्भिन्ने तावत् पिधानं सचेतनाचेतनभेदात् द्विधा स्यात् तत्राविध्वस्तमृत्तिकादिकं सचेतनं । तत्र सचेतनेन पिहितस्योद्भेदकाले पृथ्वीकायादयो विराध्यन्ते । तथाहि-वस्त्र(खण्ड)मयदर्दरकोपरि पाषाणखण्डमिष्टकाखण्डं वा दत्त्वा तैलादिभृतघटादिकं कोष्ठिकादि वा गृहस्थेन तन्मध्यवर्तितैलादिरक्षणार्थं साधुदानकालापेक्षयाऽग्रतोऽपि कदाचित् सचित्तजलार्टीकृतબારણાવગેરે સાધનોને સાધુમાટે ઉઘાડી જે અશનાદિ આપે તે બારણાવગેરેના ખોલવાના કારણે ઉઘાડું થતું હોવાથી તે કપાટોભિન્ન કહેવાય છે. કપાટ કોને કહેવાય ? એ તો રોજ બંધ-ખોલ કરવામાં આવતી વસ્તુ વિશેષ છે જે લોકમાં પ્રસિદ્ધ જ છે. કપાટ એટલે દરવાજો. અહીં કપાટના ઉપલક્ષણથી, ઘણા જીવોનો સંહારકરનારા, દરવાજા ને ઢાંકવામાં કામ લાગતા વસ્તુઓનું પણ ગ્રહણ કરવું. જેમકે, આગળો, દર્દરક વગેરે. દર્દકનો મુખ્ય ઉલ્લેખ “નડછાપરૂ' માં થયેલો જાણવો. અહીં ફરી જે દર્દક શબ્દ આવ્યો એનાથી કપાટ વગેરેને મજબૂતાઈથી બંધ કરવામાટે સ્ટોપર, સાંકળ, તાળું વગેરે લગાવે તે લેવું યોગ્ય જણાય છે. અહીં ઉદ્દઘાટ્ય = ઉઘાડીને એનો અર્થ બારણાવગેરેને પાછલી બાજુએ ખસેડવાઠેલવા એવો અર્થ જાણવો. ઉપલક્ષણથી આપણી = પોતાની સન્મુખ ખસેડવા વગેરે જાણવા. “વડિજિ' શબ્દ વિકલ્પને સૂચવનારો છે. આ બન્ને ‘નવછાવિત્તિત્તે ત્મિવિલ અને વાલમુક પ્રકારના દોષોવાળું અશનાદિ સાધુઓને અકથ્ય છે. કારણ કે એ પકાયના નાશરૂપ સંયમવિરાધનાદિ દોષોથી દુષ્ટ છે. પિહિત-ઉભિન્નના દોષો • પકાયની વિરાધના શી રીતે સંભવે ? તે જણાવે છે. ( = જેના પર કપડું, દોરી બાંધીને લેપ કરી શકાય એવા કોઠી, બરણીવગેરે સાધનવિશેષ) માટીના લેપવગેરેથી પિહિત = ઢાંકેલ, કોઠી-બરણીવગેરેને ઉઘાડવામાં એ પિહિત, સચેતન અને અચેતન એમ બે પ્રકારે હોય છે. તેમાં, જો ઢાંકવા માટે ઉપયોગમાં લેવાયેલ માટીનો લેપ સચિત્ત હોય, તો એને ઉઘાડવામાં પૃથ્વીકાયાદિની વિરાધના થાય. તે આ રીતે કે, તેલાદિથી ભરેલ કોઠી, બરણીવગેરેમાં રહેલ તેલાદિની રક્ષામાટે ગૃહસ્થ વસ્ત્રનો ટૂકડો અને દોરો બાંધીને એની ઉપર પાષાણનો કે ઈંટનો ટૂકડો મૂક્યો હોય. હવે જો, સાધુને દાન આપવાના થોડા સમય પૂર્વે પણ (આ વાત માત્ર અષ્કાય પુરતી જાણવી) ક્યારેક સચિત્ત પાણીથી ભીની કરેલ માટીનો લેપ કરેલો હોય છે. તેમાં પૃથ્વી વગેરે ચારકાયના જીવો હોઈ શકે છે. જેમકે, સચિત્ત એવો તે પૃથ્વીનો (માટીનો) લેપ તો લાંબા સમય સુધી પણ સચિત્તપણે હોઈ શકે છે. પરંતુ પૃથ્વીના લેપમાં મિશ્રણ કરેલું પાણીનું સચિત્તપણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy