SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ सचित्तमृत्तिकयाऽवलिप्तं स्यात् । तत्र च पृथिव्यादयः कायाश्चत्वारः स्युस्तथाहि सचित्तपृथिवीलेपः सचित्तश्चिरमपि तत्र प्राप्यते। तल्लेपमिश्रणजलं च सचित्तं तत्कालमेव लिप्ते तस्मिन्नवाप्यते, शुष्कप्राये तस्मिन्नुदकमपि न स्यात् किं पुनः सचित्ततेति तत्कालमेवेत्युक्तं । तथा पृथिव्यादिमध्ये वनस्पतिर्मुद्गादिः स्यात् । त्रसस्तु कीटिकादिरन्यत आगत्य चटतीति । ते चत्वारोऽपि साध्वर्थं पुनस्तत्क्षण एव तस्मिन्नुद्भिद्यमाने विराध्यन्ते इति संयमविराधना। तथा कदाचिद्भस्मादिमिश्रछगणादिना वा लिप्तं शुष्कं च स्यात् । तथा साधुदानकालात् पूर्वमपि केनाप्यपरिभोगस्य खण्डादिभृतघटादिकस्य स्थगनिकां दत्त्वा जतुना सन्धिपूरणं विहितं स्यात् वस्त्रखण्डमयदर्दरकोपरि बन्धनरूपदवरकग्रन्थिपर्यन्ते मनुजेन निजसाभिज्ञानेनाङ्कितो जतुस्तबको वा विहितः स्यादत्र पक्षे તો ઉપર કહ્યા પ્રમાણે સાધુને વહોરાવવાના સમય પૂર્વે કરેલું હોય અને સુકાયું ન હોય ત્યારે હોય છે. કારણ કે લગભગ લાંબા ગાળે તો લગભગ માટી સૂકાઈ જાય એટલે તેમાં પાણી પણ નથી રહેતું તો પછી એમાં પાણીની સચિત્તપણાની વાતજ ક્યાંથી આવે ? આ કારણસર જ “સાધુ વહોરવા આવે તેના થોડા સમય પૂર્વેજ કરેલા લેપમાં' એવું વિધાન કરવામાં આવેલું છે તે જાણવું. પ્રિસ્તુતમાં એક વાત ખ્યાલમાં રાખવી કે - ખરેખર તો પાણી અને માટી પરસ્પર શસ્ત્ર બનવાથી બન્ને કદાચ અચિત્ત થાય. પણ અમુક કાળે પાછા સચિત્ત થાય છે.. અથવા પાણી સૂકાય પણ જાય તોય પાછી માટી સચિત્ત થઈ શકે. જેમ ઉકાળેલું વગેરે અચિત્તપાણી ૩ કે ૪ કે ૫ પહોરે પાછું સચિત્ત થઈ જાય છે તેમ. તિ પૂજ્ય નયપોષરઃ ] આ રીતે સચિત્તપૃથ્વી અને અપ્લાયની સંભાવના જણાવી. હવે, તે માટીના લેપ સ્વરૂપ પૃથ્વીમાં મગવગેરે વનસ્પતિ હોઈ શકે છે. (અથવા “નત્થનનં તત્થવM'.= “જ્યાં જ્યાં પાણી ત્યાં ત્યાં વનસ્પતિ' એવા શાસ્ત્રવચનથી પાણીની સાથે વનસ્પતિની વિરાધના આવી જાય.) તેમજ કીડી વગેરે નાના જીવ-જંતુઓ તેમાં આવી ચઢે અને ચોંટી જાય. આ રીતે, સાધુ આવે તે પૂર્વે જ કરેલ લેપમાં, સાધુમાટે એ લેપ ઉખેડતા ચારે પ્રકારના જીવોની વિરાધના થાય, અથવા, લેપ કર્યાબાદ ઘણાં વખતે સાધુમાટે લેપ ઉખેડતા પાણી સિવાય ત્રણ પ્રકારના જીવોની વિરાધના થાય અથવા દાન આપ્યા પછી ફરી માટીનો લેપ કરે તો પૂર્વે કહ્યા પ્રમાણે ચારકાયવગેરે યથાસંભવ જીવોની વિરાધના જાણવી. આ રીતે સંયમવિરાધના થઈ શકે છે એમ જાણવું. જોકે, કોક વાર ભસ્મ વગેરેથી મિશ્રણ કરેલ છાણવગેરેનો લેપ સુક્કો પણ હોય, એવું બને. ત્યારે પ્રાય: પૃથ્વી-અ, કે વનસ્પતિની વિરાધનાની સંભાવના નથી હોતી પણ ત્રસકાયની વિરાધનાનો સંભવ હોય છે. તેમજ દાન આપ્યા બાદ ફરી લેપ કરતા કદાચ ભીની માટી વગેરેનો લેપ કરે. અથવા ફરીવાર ભસ્મ-છાણ લેપ કરે ત્યારે છાણવગેરે લેવા જતાં એમાં પૃથ્વીઆદિની વિરાધના સંભવિત છે. જે આગળ ટીકાકાર કહેવાના જ છે. ટીકાકારે “નડછાળારું = જતુ-છાણવગેરેના લેપમાં, આદિપદથી દદરકવગેરે પણ લીધું છે. પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy