SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ १६७ दीर्घप्रवेशभवने वा हस्तशतादागतस्य भक्तादेः साधुभिराचीर्णं ग्रहणम् । समधिकहस्तशतादारभ्य पुनर्जिनैर्निषिद्धं । अयं चापवादः। स च स्थविरकल्पिकानामेव ज्ञेयो न तु जिनकल्पिकादीनां तेषां निरपवादित्वात् । तथा मध्यमक्षेत्राचीर्णाभ्याहृतं त्वाश्रित्येदमेव वाक्यमुत्कृष्टाभिधायकं हस्तशतेन प्रमितं क्षेत्रमपि तथा । ततो हस्तशतस्यान्तर्मध्ये हस्तशतान्त इति व्याख्येयम् । करपरिव दुपरि यावद्धस्तशतं किञ्चिन्न्यूनं तावन्मध्यमं स्यादित्यर्थः । सामर्थ्यात्करपरिवर्तो जघन्यक्षेत्राचीर्णमभ्याहृतमित्युक्तं भवति । तत्र करपरिवर्तो नाम हस्तस्य किञ्चिच्चलनं यथा काचिद् दात्री ऊोपविष्टा स्वयोगेन मुष्टिगृहीतमण्डकेन प्रसारितेन चाटुना वा तिष्ठत्यात्रान्तरे साधुरागच्छति सा च तथैव स्थिता करस्थ “ર” = હાથનું પરિવર્તનથી માંડીને, અર્થાત્ દાતાનો હાથ લંબાય ત્યાંસુધીનું જે જઘન્ય અભ્યાત છે, ત્યાંથી માંડીને ૧૦૦ હાથ સુધીના અન્તરથી કાંઈક ઓછું. એને મધ્યમઅભ્યાહતક્ષેત્ર કહેવાય છે. મૂળગાથામાં જઘન્યક્ષેત્રની વાત કરી નથી પરંતુ સામર્થ્યથી આ “રરિવર્તન” ને જઘન્યઅભ્યાહત ક્ષેત્ર જાણવું. ટૂંકમાં :- કરપરિવર્તન = હાથનું લંબાવું = જઘન્યઅભ્યાહતક્ષેત્ર. કરપરિવર્તન પછીનું અને ૧૦૦ હાથથી કાંઈક ઓછું = મધ્યમઅભ્યાહતક્ષેત્ર. ૧૦૦ હાથ પૂરા = ઉત્કૃષ્ટક્ષેત્ર. ૧૦૦ હાથથી આગળ = અનાચીર્ણ. રપરિવર્તનઃ' એટલે શું? તે કહે છે કે, હાથનું કાંઈક ચાલવું – હલવું તેને કરપરિવર્તન કહેવાય છે. તે આ પ્રમાણે કે કોક દાત્રી ઉંચે બેઠેલી છે, અને પોતાના કોક કારણસર હાથની મુઢિમાં મંડક = ખાખરા કે એક જાતનો પતલો પૂડલો રાખીને રહેલી છે અથવા દાળ વગેરેથી ભરેલા ડોયાવાળો હાથ કોકને આપવા-પીરસવા લાંબો કર્યો હોય. એટલામાં જ ત્યાં સાધુ આવે છે ત્યારે તેવી ઠંડક હાથવાળી અવસ્થામાં જ રહેલી હાથમાં રહેલ મંડકો વડે નિમંત્રણ કરે. તેસાધુ) મુઠીની નીચે પાત્ર ધારણ કરે અને તે ભૂજાને હલાવ્યા વિનાજ મુષ્ટિને કાંઈક ઢીલી કરે છે, અથવા ડોયાને વાળે છે તેથી મચ્છક કે ડોયાની દાળ વગેરે પાત્રામાં પડે છે. આ જે મુષ્ટિને કાંઈક ઢીલી કરી અથવા ડોયાને વાળ્યો તે જઘન્યક્ષેત્રઅભ્યાહત છે એમ જાણવું. ઉપલક્ષણથી મુક્ટિ ઢીલી કરવાથી માંડીને છેક એક હાથ સુધીનું અન્તર એ જઘન્ય ક્ષેત્ર અભ્યાહત છે એમ જાણવું. આમ, ક્ષેત્રવિષયક અભ્યાહતની વાત કરી. (પ્રશ્ન :- અહીં એક પ્રશ્ન ઉદ્ભવે કે માત્ર મુટ્ટી ઢીલીકરે કે ડોયો વાળે, એ પણ જો જઘન્ય આશીર્ણઅભ્યાહત હોય, તો પછી અનભ્યાહત ગોચરી ક્યારે સંભવે ? ઉત્તર :- એનું સમાધાન આ જાણવું કે, જ્યારે ગૃહસ્થને ગોચરી વહોરાવવાની પૂરી ભાવના હોય પણ અનિવાર્ય કોક કારણસર જાતે વહોરાવી શકે એવી સ્થિતિ ન હોય. બીજા વહોરાવનાર ન હોય. ત્યારે એ ગૃહસ્થ સાધુને કહે કે, “મહારાજ સાહેબ ! આપને ખપ પ્રમાણે આમાંથી લઈને મને ઉપકૃત કરો.” અને સાધુમહારાજ જાતે ખપ પૂરતું લે. ત્યારે અનભ્યાહત ગોચરીનો સંભવ બને.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy