SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ १६४ लद्धं। तेहिं सेससाहूण कहियं ते वि गया तेसिं एगे पउरं कूराइयं देति, अन्ने आहडसंकारक्खणत्थं माइट्ठाणेण कम्मकरं वारिंति, जाव ते तं गहिऊण नियट्ठाणे गया । तत्थ नवकारसहिया भुत्ता, अजिन्नवंता पुरिमड्डियाइणो य पडिवालंति पोरिसिया भुंजन्ता चिट्ठिन्ति । एत्थंतरे तेहिं सावगाईहिं चिंतियं । एहिं साहूणो भत्तं भुत्ता भविस्सन्ति त्ति, वंदिय नियट्ठाणे गच्छामोत्ति समहीए पहरे साहुवसहीए आगया । निसीहियाइसव्वा सावयकिरिया कया, साहूहि पच्चभिन्नाया, नायं च जहा सावएहिं हुन्तेहिं एएहिं महेसररूवट्ठिएहिं अम्हं दाणं दिन्नं । ता आहडं एयं । तत्थ जेहिं भुत्तं तेहिं भुतं जे भुंजिउकामा आसि तेहिं न भुत्तं भुंजंतेहिं पुण जे कवला उक्खिता ते भायणे चेव निक्खित्ता। मुहपक्खितं तु पासट्ठियखेलए पक्खितं तओ सव्वं परिट्ठवियं । सावया सावियाओ य खामिउं गया। साहुणो य जेहिं पडिपुन्नं थोवं वा भुत्तं ते वि सुद्धा असढभावत्ति काउं ति । तदेवमभ्याहृतं यतीनां ग्रहीतुं भोक्तुं वा जिनैर्निषिद्धमिति तत् परिहार्यमिति गाथार्थः । । ४६ । । પૂર્વનું ભોજન જીર્ણ થયું = પચ્યું નથી તેવા અને પુરિમઝુઆદિના પચ્ચક્ખાણવાળા સાધુઓ એ ભોજન ગોચરીનું રક્ષણ કરી રહ્યા છે. પોરિસી પચ્ચક્ખાણવાળા ભોજન કરી રહ્યા હતા. એ વખતે, પેલા શ્રાવકોએ વિચાર્યું કે “હવે સાધુઓએ ગોચરી કરી લીધી હશે. તો, વંદન કરીને પછી પોતાના સ્થાને જઈએ.” આમ વિચારી, એક પ્રહરથી વધુ સમય થયા બાદ તેઓ સાધુની વસતિમાં આવ્યા. ‘નિસીહિ’ બોલવાપૂર્વક ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો અને શ્રાવકસંબંધી વંદનાદિ ક્રિયાઓ કરી. સાધુઓએ આ બધાયને ઓળખી લીધા. જાણી લીધું, કે શ્રાવક હોવા છતાં મહેશ્વરના ઉચ્ચ ખાનદાન-ઐશ્વર્યવાળાના રુપમાં એઓએ આપણને દાન આપ્યું છે, જે ચોક્કસ અભ્યાહત છે. માટે, જે સાધુઓએ વાપરી લીધું છે તેઓવડે તો વપરાઈ જ ગયું છે. પરન્તુ જેઓ વાપરવાની ભાવનાવાળા હતા પણ હજુ વપરાયું નથી, તેઓએ વાપર્યું જ નહિ. અને કેટલાકને વાપરવાનું ચાલું હતું. તેઓએ વાપરતાં જે કોળિયા મોઢામાં મૂકવા ઉઠાવ્યા હતા. તે કોળિયાઓને ભોજન · = પાત્રામાં જ પાછા મૂકી દીધા. તથા જે કોળિયા મોઢામાં મૂકી દીધા હતા, તે બાજુમાં રહેલ રખ્યાની કૂંડીમાં કાઢી નાખ્યા = વમી કાઢ્યા. પછી, બધુંય પરઠવી દીધું. ભક્તિવશ કપટકરનારા તે શ્રાવક-શ્રાવિકાઓ સાધુઓને ખમાવીને પોતાના સ્થાને ગયા. અહીં, જે સાધુઓએ સંપૂર્ણ વાપરી લીધું હતું, અથવા તો થોડું વાપર્યું હતું, તેઓએ પણ અશઠભાવે આ ગોચરી વાપરી હતી એટલે તેઓ શુદ્ધ છે એમ જાણવું. (અત્રે ખાસ એક જાણવા જેવી વાત એ છે કે જ્યાંસુધી દોષની ખબર નહોતી ત્યાંસુધી ભલે વપરાઈ ગયું હોય. પણ જેવી દોષની ખબર પડે કે તરત ન વપરાયેલું બીજું બધું તો પરઠવી જ દેવું જોઈએ. યાવત્ મોઢામાં રહેલ કોળિયો પણ ગળા નીચે જવા દેવાય નહિ. એને પણ કથાનકમાં જણાવ્યા પ્રમાણે રખ્યાવગેરેમાં પરઠવવાનું હોય. આનું કારણ આ હોઈ શકે કે દોષ પ્રત્યે તીવ્ર જુગુપ્સા આપણા આત્મામાં ઉભી રહે. તેમજ દોષલેશ પણ ચલાવી લેવાની વૃત્તિના ભોગ આપણે બની ન જઈએ.) આ રીતે યતીઓ માટે અભ્યાહ્નત ગ્રહણ કરવું કે ગ્રહણકરતી વખતે ઉપરના દૃષ્ટાંતના અનુસારે ખબર ન પડી અને પાછળથી ખબર પડવા છતાં વાપરવું. એનો જિનેશ્વર ભગવંતોએ નિષેધ કરેલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy