SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ १६२ द्यपायसद्भावाच्च स्यात्। स्थलपथाभ्याहृते च कण्टकाहिस्तेनव्याघ्रादिश्वापदेभ्यो वधादिरूपापायसद्भावात्, ज्वराद्युत्पादकपरिश्रमादिभावाच्च स्यात् । प्रवचनविराधना तु प्रवचनमालिन्यजनकजनभाषणादिना स्वयमभ्युह्या इति । * प्रछन्नपरग्रामाभ्याहृतस्य संभवः दृष्टांतश्च एवं भेदविशिष्टं प्रकटपरग्रामाभ्याहृतं भवति तथा(हि) यदा यतिजनरहिते ग्रामे श्रावकः कश्चिद् विवाहादौ जाते प्रभूतमशनाद्युद्वरितं दृष्ट्वा विचिन्त्य च यद्येतद्यतिभ्यो दीयते तदा महते पुण्याय स्यादिति भक्तिवशतो यत्र यतयस्तत्र तन्नीत्वा तथा कथञ्चिद् गोपनं विधाय तेभ्यो दद्या (૨) આત્મવિરાધના જળપથ :- નદીવગેરેના પાણીમાં પગમૂકવા જતાં પાણીની ઊંડાઈના લીધે નીચલોભાગ ન મળવાથી (અથવા પથરાવગેરે પર પગમૂકવા જતાં એ ખસીજતાં) પાણીમાં ડૂબી જાય. અથવા નીચલોભાગ ઘણાં કાદવવાળો હોવાથી એમાં ખૂપી જાય (= એક એવો ચીકણી માટીનો કાદવવાળો પ્રદેશ કે જેમાં એકવાર પગ મૂકવામાં આવે એટલે ધીરે ધીરે આખો માણસ અંદર ગરકાવ થઈ જાય. જેને ‘કાંપ' કહેવામાં આવે છે.) અથવા ગ્રાહ = જળહસ્તી, મકર = મગરમચ્છ, મત્સ્ય (નાનું-મોટું માછલું), કાચબો (એનો ખોરાક જીવ-જંતુઓ હોવાથી આગળ બતાવવામાં આવનાર અપાયો ઘટી શકે છે), પાદબંધકતનુકા = એક ઝુંડનામનું જળચર પ્રાણીવિશેષ કે જેના શરીરના આગલા કે પાછલા ભાગમાં દોરડા જેવા લાંબા અવયવ હોય. એનાથી એ મનુષ્યવગેરેના પગવગેરેને વીંટળાઈને ભરડો લઈ લે અને એટલો તાકાતવાળો હોય કે એનાથી અલમસ્ત હાથી પણ ન છૂટી શકે, વગેરેના દંશવગેરે બચકુંભરે, મારીનાખેવગેરે અપાયોનો સંભવ હોય છે. આત્મવિરાધના - સ્થલપથ :- આ અભ્યાહતમાં કાંટો લાગી જવો, સાપ દંશી જાય, ચોર પકડી જાય, વાઘવગેરે ફાડી ખાય ઈત્યાદિ અપાયોનો સંભવ છે. તથા તાવવગેરે લાવે એવા પરિશ્રમ દ્વારા આત્મવિરાધના થઈજાય. (ખૂબશ્રમ કરે એટલે તાવઆવે, હવા પાણીનો ફેર થઈજતા કદાચ કોક બિમારી લાગીજાયુ, ચેપીરોગ પેસીજાય વગેરે બની શકે છે.) - (૩) પ્રવચનવિરાધના :- પ્રવચનહીલના થાય એવા શબ્દો લોકો બોલે વગેરે સ્વયં જાણી લેવું. આ રીતે પ્રકટ પરગ્રામઅભ્યાહત કેવી રીતે થાય તે જણાવ્યું. • પ્રછન્ન પરગામઅભ્યાહતનો સંભવ અને દૃષ્ટાંત છ આ પ્રમાણે ભેદથી વિશિષ્ટ પ્રકટપરગ્રામ-અભ્યાહત થાય છે. હવે છન્ન = પ્રછન્ન પરગ્રામઅભ્યાહત કહે છે. યતિજનરહિત એવા ગામમાં કોક શ્રાવકને ત્યાં લગ્નાદિ પ્રસંગ થયા. એમાં બનાવેલ અશનાદિ ઘણાં પ્રમાણમાં વધેલું જોઈને શ્રાવક વિચારે છે કે જો આ યતિજનોને આપવામાં આવે તો તે મોટા પુણ્ય માટે થશે.' આમ વિચારી ભક્તિને વશ થઈને જ્યાં સાધુ રહેતા હોય ત્યાં એ આહારાદિ લઈ જઈને આ અભ્યાહત છે એ વાતને ખાનગી રાખવાપૂર્વક સાધુને અભ્યાēતની ખબર ન પડે એ Jain Education International = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy