SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ १५४ दिज्जइ। सालिकूरो उण नत्थि ता नियभाउजाइयाए बंधुमतीए सयासाउ कोद्दवकुरेण पल्लट्टिय सालिकूरं आणिय देमि तहेव कयं । इओ य तंमि पत्थावे देवदत्तो भोयणत्थं गिहे आगओ बंधुमती पुट्ठो । जहा कोद्दवकूरं जेमिसि तेण य अविन्नायपरियट्टणवृत्तंतेण चिंतियं, जहा किवणत्तणेण अणाए कोद्दवकूरो रद्धो त्ति कुविएण सा पिट्टिया । तीए भणियं, किं मं पिट्टेस ? तुह व भगिणी कोद्दवकूरपरियट्टेण सालिकूरो नीउत्ति । धणदत्तो वि सगिहे भोयणत्थमुवविट्ठो, लच्छीए खेमंकरस्स दिज्जमाणो जो सालिकूरो उव्वरिओ सो गउरवेण तस्स दिन्नो तेण सा पुट्ठा। कुओ अज्ज एसो ? तीए खेमंकर आगमणाइसव्वो वृत्तंतो कहियो । तओ तेण कुविएण पावे ! अप्पणयं पक्कमाणयं कुरस्स रंधियं तु कीस न दिन्नं ? जं परघराउ आणयणेण मम लहुत्त उप्पाइयं ति भणमाणेण सा वि पिट्टिया । साहुणा य सव्वं नायं । निसाए पडिबोहियाणि पत्थावे पव्वावियाणि त्ति । इह हि देवदत्तस्य भगिनी लक्ष्मी धनदत्तेन परिणीता दरिद्रा चासौ । धनदत्तस्य भगिनी बन्धुमती देवदत्तेन यतिभ्रात्रा परिणीता इति । परस्परं वणिग्द्वयस्य भगिन्यौ वर्त्तेते । दृष्टान्तेन ઘરે જવા સ્વરૂપ પક્ષપાત કર્યો.” એમ અધૃતિ કરશે ખોટા વિચારો કરશે, એમ વિચારી લક્ષ્મીની અનુકંપાથી તેના ઘરેજ પ્રથમ પ્રવેશ્યા. લક્ષ્મીએ ભાઈની આગતા-સ્વાગતા વગેરે કરી. પછી ભિક્ષા સમયે લક્ષ્મીએ વિચાર્યું કે “એક તો મારા ભાઈ છે તેમજ સાધુ છે અને બીજું કે પ્રાધુર્ણક = મહેમાન છે. પણ મારા ઘરે તો કોદ્રવચોખા ગંધાયા છે. એ હલ્કાભાત એમને શી રીતે અપાય ? મારી પાસે શાલિચોખા તો છે નહિ, તેથી મારા ભાઈની પત્ની બંધુમતિ પાસેથી કોદ્રવભાત આપીને એમની પાસેથી શાલિભાતની અદલાબદલી કરીને, એ શાલિભાત વહોરાવું.” આમ વિચારીને એજ પ્રમાણે કર્યું. હવે બન્યું એવું કે અદલાબદલી થયાને થોડા જ સમયબાદ દેવદત્ત ભોજન માટે ઘરે આવ્યો. એટલે બંધુમતિએ પૂછ્યું કે કોદ્રવભાત જમશો ? તમને એ ચાલશે ? પરિવર્તનની વાત ન જાણતાં દેવદત્તે વિચાર્યું કે “કૃપણતાના ભોગ બનીને એણે કોદ્રવ રાંધ્યા છે.” એમ વિચારીને બંધુમતિને પીટી નાખી = માર માર્યો. બંધુમતીએ કહ્યું ‘કેમ મને મારો છો ? તમારી જ બહેન લક્ષ્મી કોદ્રવભાતનું પરિવર્તન કરીને શાલિભાત લઈ ગઈ છે.' = આ બાજુ ધનદત્ત પણ ભોજનમાટે પોતાના ઘરે આવ્યો. લક્ષ્મીએ ક્ષેમંકરમુનિને દાન આપતા જે વધ્યું, તે શાલિભાત ગૌરવપૂર્વક ધનદત્તને આપ્યું. તેણે પૂછ્યું “કેમ આજે આ શાલિભાત ?’ લક્ષ્મીએ ક્ષેમંકરમુનિનું આગમનથી માંડીને બધીજ હકીકત કહી. ક્રોધે ભરાઈ તેણે ‘હે પાપીણી ! આપણા રંધાતા કોદ્રવભાત કેમ ન આપ્યા ? જેથી બીજા ઘરેથી શાલિભાત લાવીને મારી લઘુતા ઉત્પન્ન કરી' એમ કહીને લક્ષ્મીની પીટાઈ કરી. આમ બન્નેની પોતપોતાના પતિએ પીટાઈ કરી. સાધુને એ પીટાઈની વાતની જાણ થઈ. સાંજે બધાયને પ્રતિબોધ આપીને અવસરે ચારે ચારને દીક્ષા અપાવી. અહીં દેવદત્તની બહેન લક્ષ્મી, ધનદત્તસાથે પરણી કે જે રિદ્ર બની તથા સાધુના ભાઈ ધનદત્તની સાથે બન્ધુમતિ પરણી. આમ બન્ને બે વાણીયાઓની બહેનો હતી. આ દૃષ્ટાંત દ્વારા ‘પરિવર્તિત' એ દોષવાળું છે એમ જાણીને સાધુઓએ તે ગ્રહણ કરવું નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy