SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ १३९ तथा ‘बीयं' ति द्वितीयं प्रकाशकरणलक्षणं प्रादुष्करणं स्यादिति शेषः। केनेत्याह मणिर्माणिक्यं तेजस्विरत्नविशेषः, दीपो-ऽग्निकलिकारूपः प्रदीपः। गवाक्षो भित्त्यां जालिकारूपः प्रतीतः। तथा कुड्यस्य भित्तेः छिद्रं रन्धं तदादिर्यस्य वस्तुनः, आदिशब्दाद् गृहाच्छादनापनयनापरद्वारकरणं पूर्वकृतद्वारबृहत्करणादेः परिग्रहस्ततः कुड्यछिद्रादि, ततो मणिश्च दीपश्च गवाक्षश्च कुड्यछिद्रादि च मणिदीपगवाक्षकुड्यछिद्रादि तेषां करणं केनापि रूपेण विधानं तेन । अयमर्थः कश्चिद्विवेकिदायको मन्दप्रकाशगृहमध्यस्थस्थानस्थितस्यैव देयद्रव्यस्य प्रकटनाय, तमिश्रादेशे साधुभिक्षाशुद्ध्यर्थं मणिं भास्वरं व्यवस्थापयति, अग्निप्रदीपो वा प्रकाशाय कुरुते, गवाक्षं वा विधत्ते, कुड्यछिद्रादि वा विदधातीत्थं यत्प्रकाशकरणं करोति, तत्प्रकाशकरणलक्षणं प्रादुष्करणं भण्यते। तदित्थमपि लब्ध आहारो न कल्पते, प्रवृत्त्या दोषात् । अयमपि च स्थानस्थ आत्मार्थितस्सन् स्वयोगेन बहिर्निष्कासितो वा कल्पते। नवरं अग्निप्रदीप-प्रकाशकरणदोषाशुद्धो न कल्पत एव तेजस्कायद्युतिस्पर्शसम्भवात् । હવે બીજું જે “પ્રાશરન' છે તેની વાત કહે છે = ગાથાનો ઉત્તરાર્ધ બતાવે છે. તથા, “વી’ = “દ્વિતીય' = પ્રકાશકરણસ્વરૂપ બીજું પ્રાદુષ્કરણ થાય છે, એમ અધ્યાહાર જાણવો. શેનાથી એ થાય છે ? તે કહે છે, “ળ-વીવ-વિવ-સુઝિફરજ' = “મણિ-તપ-વક્ષ ફર્યાછિદ્રવિરોન' A “મળઃ' માણેક, જે તેજસ્વી એક રત્નવિશેષ. તેના દ્વારા, B ‘દ્વીપ' = દીવાદ્વારા જે અગ્નિની જ્યોતિ સ્વરૂપ છે. તે દ્વારા, ૮ “વાક્ષ' = ગોખલા = ભીંતમાં જાલિકાસ્વરૂપ હોય છે જે લોકોમાં પ્રસિદ્ધ છે તે કરવા દ્વારા. D “ક્યછદ્ર' = ભીંતમાં કાણું કરવું વગેરે દ્વારા, અહીં “કવિ પદથી ઘરને ઢાંકવું અર્થાત્ પૂર્વથીજ ઘરને પ્રકાશ આવે તે પ્રમાણે છાપરું કરવું, છાપરાને દૂર કરવું, બીજું બારણું કરવું, પૂર્વકૃત બારણાને વિશાળ કરવું વગેરે લેવું. મણિ દીવો, ગોખલો અને ભીંતમાં કાણું વગેરે, આ બધાનો ધન્ધ કરીએ એટલે “પિવીપમાવાક્ષછિદ્રાતિ” એવો સમાસ બને છે. આ બધામાંથી કોઈપણ રૂપે જે કરવું તે પ્રકાશકરણ સ્વરૂપ પ્રાદુષ્કરણ છે. અહીં અર્થ આ જાણવો કે, કોક વિવેકી દાતા, ઓછા પ્રકાશવાળા ઘરના મધ્યભાગમાં જ રહેલ દય = દાનમાં આપવાયોગ્ય દ્રવ્યને પ્રગટ કરવામાટે, પ્રકાશયુક્ત કરવામાટે એટલે કે અંધારીયા સ્થાને પ્રકાશ આવવાથી સાધુને ભિક્ષા કલ્પી શકે તે માટે ઝળહળતો સૂર્યકાંત મણિવગેરે મૂકી દે. અથવા તો પ્રકાશમાટે અગ્નિનો દીવો કરે, અથવા તો ગોખલો કરે અથવા તો ભીંતમાં કાણું કરી દે જે થકી પ્રકાશ આવે. આમ જે પ્રકાશ કરવાનું કરે છે, તેને પ્રકાશકરણ સ્વરૂપ પ્રાદુષ્કરણ કહે છે. આ પ્રકાશકરણદોષવાળો આહાર પણ કલ્પતો નથી. કારણકે એમાં સાધુને ઉદેશી પ્રવૃત્તિદોષ લાગે છે. પરન્તુ આમાં પણ સ્થાનમાં રહેલો આહારાદિ ગૃહસ્થ પોતાના માટે કચ્યો હોય અથવા પોતાના માટે બહાર સપ્રકાશસ્થાનમાં કાઢ્યો હોય તો કપ્ય છે. આટલું વિશેષ જાણવું કે, અગ્નિના દીવાદ્વારા જે પ્રકાશકરણ થયું, એ દોષથી અશુદ્ધઆહાર ગૃહસ્થ પોતાના માટે દીવો કર્યો હોય તો પણ એમાંથી દોષપણું નીકળી જતું નથી કારણ કે એમાં તેઉકાયની ઉજેડીના સ્પર્શનો સંભવ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy