SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ १३८ दिति किञ्चित्सञ्जाताशकेन किमर्थमयमाहारोऽद्य गृहस्य बहिस्तादाद्ध इत्यादि प्रश्ने कृते ऋजुतया भवदर्थमिति यथाकथनतः पूर्वमन्धकारेऽकल्प्यमासीदधुना सप्रकाशे राद्धं कल्प्यम् गृह्यतामिति दात्रीवचनश्रवणतो वा विज्ञाय दोषं तदशनादि न गृह्णाति । यदा तु साध्वर्थमभ्यन्तराबहिश्चुल्ली मुक्त्वा राद्ध्वा चैवंविधोऽभिप्रायो दाव्या विस्फुरति यथा गृहान्तर्मक्षिका धर्मो वाऽन्धकारो वा पाकस्थानाभोजनस्थानं वा दूरवर्ति, गृहस्य बहिस्ताच्च शीतलं सप्रकाशं पाकस्थानाभोजनस्थानं चासन्नमत इदं स्वयमत्रैव भोक्ष्यत इति। तदित्थमात्मार्थितं कल्पत इति । __ प्रकाशकरणस्य स्वरूपं तस्य संभवश्च ॥ ઉપકરણપૂતિદોષ અને પ્રકટનદોષ, આ બન્ને દોષ લાગે છે. આટલું વિશેષ જાણવું કે આધાકર્મી ચૂલા પરથી ભોજન જુદું કરે છતે = એ ચૂલા પરથી ઉતારી લીધા બાદ એમાં પૂતિપણું ઉતરી (નીકળી) જાય છે પરન્તુ પ્રકટનદોષના લીધે એ કલ્પતું નથી. અહીં પ્રકરણ તો પ્રકટનદોષનું જ ચાલે છે. પૂતિદોષ તો પ્રસંગથીજ કહ્યો છે. પ્રશ્ન :- પ્રકટનદોષવાળો આહાર કેમ અકથ્ય છે ? ઉત્તર :- ગૃહસ્થ પોતાના માટે આહારપાક = રસોઈ કરવા પ્રવૃત્ત થયો હોય તો પણ સાધુને દાન આપવા એ આહારાદિને જે બહાર પ્રકાશસ્થાનમાં લઈ આવવાનું કર્યું. તેમાં દાતા વડે થયેલ પૃથ્વીકાયાદિના ઉપમર્દન રૂપ આરંભદોષ રહેલો છે. ઉપમદન = મરણ અથવા પીડા-ત્રાસ-કીલામણા વગેરે, માટે એ અકથ્ય છે. પ્રશ્ન :- આ પ્રકટકરણદોષ સાધુ શી રીતે જાણે ? ઉત્તર :- નીચે જણાવેલ કારણદ્વારા સાધુ એને જાણી શકે છે. કોક ધાર્મિકઘરમાં, પૂર્વે અંધકારમય રસોડામાં જ રસોઈ બનતી જોઈ હોય અને પછી બહાર રસોઈ બનતી જોઈને કાંઈક શંકા થવાથી સાધુ, પૂછે કે “કેમ આજે આ રસોઈ ઘરની બહાર રાંધવામાં આવી છે ?” ત્યારે ગૃહસ્થના યથાકથનથી = જેવું હોય તેવું સરળતાથી જવાબ આપી દે કે, “આ તો આપનામાટે આવું કર્યું, કારણ કે પૂર્વે આપને અંધારું હોવાથી અકથ્ય હતું. હાલમાં સપ્રકાશ સ્થાનમાં રાંધ્યું હોવાથી આપને કલ્પશે. માટે ગ્રહણ કરો.” આવા દાત્રીના વચનો સાંભળીને આ પ્રકટકરણ દોષ છે એમ જાણીને તે અશનાદિ ગ્રહણ ન કરે. પરતુ જ્યારે સાધુમાટે અન્દરના બદલે બહાર ચૂલો મૂકે અને એની પર રાંધ્યું હોય. ત્યારે દાત્રીના આવા પ્રકારના અમુક અભિપ્રાયો જો જણાઈ આવે કે – “ઘરની અન્દરના ભાગમાં માખીઓ છે, બફારો છે, અંધકાર છે. અથવા પાકસ્થાન કરતા ભોજનસ્થાન દૂર છે. પણ, ઘરના બહારના ભાગમાં તો (માખીઓ ખાસ નથી) ઠંડક છે, પ્રકાશ છે, અથવા પાકસ્થાન કરતા ભોજનસ્થાન નજીક છે, તેથી અમે અહીંજ ભોજન કરીશું.” તે આ રીતે ‘સાહ્મર્થિત = ગૃહસ્થ પોતાનામાટે કલ્પી લે તો, એ પાયડકરણ’ તે ગૃહસ્થ પોતાના માટે કરી દીધું હોવાથી, સાધુને એ આહારાદિ કલ્થ બને છે. • પ્રકાશકરણનું સ્વરૂપ અને તેનો સંભવ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy