SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ १३७ मानेऽन्तरालेऽन्धकारः स्यात्तत्र च व्यवस्थितं भक्ताद्येते न गृहीष्यन्तीति सा स्वार्थनिष्पन्नां चुल्ली सञ्चारिणीं गृहान्तर्वर्तिनी साध्वर्थमाहारस्य प्रकटनाय बहिरानीय मुञ्चति । नूतना वा स्वार्थं साध्वर्थं वा बहिः करोति । तत्रैव च प्रतिदिनं स्वार्थं रन्धयति । इह च बहिष्कृतचुल्ल्यः शुद्धा आधाकर्मियश्च स्युः। तत्र यदि शुद्धास्तदा प्रकटकरणसंज्ञितप्रादुष्करणलक्षण एव दोषः स्यान्न पूतित्वं, यदा त्वभिनवाऽऽधाकर्मचुल्ल्यां राधनोति तदोपकरणपूतिदोषः प्रकटनदोषश्चेति दोषद्वयं स्यात् नवरं चुल्ल्याः पृथक्कृते भक्ते पूतित्वमुत्तरति परं प्रकटनदोषेण न कल्पते। इह पूतित्वं प्रासङ्गिकमेवोक्तम्। प्रकटनदोषेनैवात्र प्रकृतमिति। अथ किमित्यसावाहारो न कल्पते, उच्यते, स्वयोगेन प्रवृत्तोऽप्याऽऽहारपाकः साध्वर्थं बहिष्कृतस्तत्र च पृथिव्याधुपमरम्भदोष इति । कथं पुनरसौ दोषः साधुना ज्ञायते, उच्यते क्वचिद्धार्मिकगृहेऽन्धकारे एव राध्यमानं पूर्वं दृष्ट्वा पश्चात्तेनैव बहिस्ता ચૂલાવિષયક બે પ્રકારના “હિતારી 'ના સંભવને જણાવે છે. ધર્મની શ્રદ્ધાવાળી કોક ગૃહિણી દાનના પ્રેમથી વિચારે કે “જે રસોઈ જે ચૂલા પર રંધાય છે તે, રંધાયાબાદ તરત ચૂલા પરથી ઉતારી લઈને એ ચૂલાની આસપાસ જ મૂકવામાં આવે છે. એટલે કે જે રસોઈ જે ગૃહના અંદરના ભાગવાળા રસોડામાં રાંધવામાં આવી હોય, તેને તે જ રસોડામાં ચૂલાની આજુબાજુ મૂકવામાં આવતી હોય છે. તેથી, ગૃહમધ્યવર્તી ચૂલામાં મેં રાંધેલું ભોજન પણ તે ચૂલાની બાજુમાં મારાથી મૂકાય છે અને એ રીતે મૂકેલું તે ભોજન સાધુઓને આપવા જતા વચ્ચેના ભાગમાં અંધારું થાય છે અને અંધારામાં રહેલ ભક્તાદિ સાધુઓ ગ્રહણ કરશે નહિ.” આમ વિચારીને તેણે, ‘સ્વાર્થનિષ્ણત્રી સંવારિણી' = આગળ પાછળ લઈ શકાય તેવા જંગમ ચૂલાને સાધુમાટે આહાર પ્રકાશમાં રાખવા બહાર = પ્રકાશસ્થાનમાં લાવી મૂકે. (અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે, સાધુમાટે તો માત્ર આહારનેજ સપ્રકાશ સ્થાનમાં પ્રગટ કરવાનો હોય છે. પરંતુ આહારની સાથે ચૂલાને પણ શું કામ સપ્રકાશ સ્થાનમાં લઈ જવાયો ? એનું સમાધાન આ છે કે સાધુઓને આ વાતની ખબર હોય છે કે ચૂલાની બાજુમાં જ આહારઆદિ મૂકવામાં આવે છે. હવે જો ગોચરી વહોરનાર સાધુ આ જુએ કે માત્ર આહારાદિ સપ્રકાશ સ્થાને છે અને આજુબાજુ ચૂલો તો છે નહિ. તો તરત શંકા થઈ આવે કે “આ આહારાદિ અમારા માટે અહીં સપ્રકાશ સ્થાને લાવવામાં આવ્યા છે.” એટલે પછી વહોર્યાવિના જ નીકળી જાય. સાધુને એવી કાંઈ ખબર ન પડે માટે ચૂલાને પણ આહારની સાથે બહાર લઈ આવે.) અથવા તો, અન્દરથી બહાર ચૂલો લઈ આવવાનું ન કરે પણ બહાર જ પ્રકાશવાળા ક્ષેત્રમાં નવો ચૂલો પોતાના માટે અથવા સાધુમાટે કરે. (અથવા જંગમચૂલો બહાર લાવે પછી) ત્યાંજ પોતાના માટેની દરરોજ રસોઈ રાંધે. આમાં, ઉપર જણાવ્યા પ્રમાણે બહાર કરેલો નવો અથવા અંદરથી બહાર લાવેલ ચૂલો શુદ્ધ અને આધાકર્મી હોઈ શકે છે. તેમાં જો ચૂલો શુદ્ધ હોય તો “પ્રદર' નામક પ્રાદુષ્કરણ દોષ જ લાગે છે. પરતું પૂતિદોષ લાગતો નથી. પરન્તુ જો નવા આધાકર્મી ચૂલા પર રાંધેલું હોય તો એમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy