SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ यदसमाप्तायामपि तस्यामर्वाक साधुभिक्षादानसममेव करणं तदवसर्पणम् । तत्र या प्राभृतिका सा सूक्ष्मावष्वष्कणप्राभृतिकेति । इयमपि द्विविधाप्यकल्प्या आरम्भदोषात् । तथाहि साध्वर्थमुत्थिता सती बालकस्यापि भोजनं दास्यति। तत्र च हस्तधावनादिनाऽप्कायाधुपमर्दः स्यात् । ॥ कथं पुनः साधुना सूक्ष्मप्राभृतिका ज्ञायते ॥ कथं पुनरियं साधुना विज्ञायते, उच्यते, साधावागते तवापि दास्यामीति जननी जल्पन्ती श्रुणोति, साधावागते डिम्भो वा जननीं प्रति ब्रुवन् श्रुणोति किं नाद्याप्युत्तिष्ठस्यागतोऽसौ यतिर्यन्माहात्म्येनाहं भोजनं शीघ्रतरं लप्स्य इति । यद्वान्यः कश्चिद्बालकोऽस्मै साधवे भिक्षादानेन सह मह्यं जननी भोजनं दास्यतीति विचिन्त्य समीपे गत्वाऽगुलिकायां गृहीत्वा स्वहस्तेन साधुं गृहाभिमुखमाकर्षति ततो यतिना किमिति मामाकर्षणादिना नयसीति पृष्टेऽसावज्ञतया कथयति भवद्भिक्षादानार्थ- આ બન્ને પ્રકારની પ્રાભૃતિકા અકથ્ય છે. કારણ કે, ગૃહસ્થી સાધુને દાન માટે ઉભી થઈ અને બાળકને પણ જે ભોજન આપશે, તેમાં હાથ ધોવાવગેરે દ્વારા અકાયાદિની હિંસા = વિરાધના થાય. બાળકને જે ભોજન માતા અડધો કલાક પહેલા કે પછી આપવાની હતી.. પરન્તુ સાધુ નિમિત્તે એમાં ફેરફાર કર્યો. એટલે બાળકને સાધુદાન સાથે ભોજન પીરસ્યાબાદ એ માતા હાથધુવે, એમાં અપ્લાયની | વિરાધના સાધુનિમિત્તક થઈ. તેમજ, “સાય’િ અહીં ‘’િ શબ્દથી વનસ્પતિવગેરેની વિરાધના પણ લઈ લેવી. તે આ રીતે કે, સાધુને કાકડી વગેરે સમારી ન વહોરાવે. પણ પોતાના બાળકને ભોજન આપવાની સાથે કાકડીવગેરે સમારી આપે. એમાં વનસ્પતિની વિરાધના થઈ. એ વિરાધના સાધુ નિમિત્તે વ્હેલી કે મોડી થઈ. માટે એની વિરાધનાનો દોષ સાધુને લાગે. આ રીતે યથાસંભવ પકાય માટે સમજી લેવું. - ઉપરોક્ત વાતનો ભાવાર્થ એ થયો કે સાધુએ શ્રાવકોનો જે જમવાનો સમય હોય. એજ સમયે ગોચરી વહોરી લેવાની હોય. પરન્તુ ઉપર દર્શાવેલા કોઈપણ કારણે ગૃહસ્થ સાધુમાટે રસોઈ આઘીપાછી બનાવે.. કે પોતાનો રોજીંદો સમય ફેરવીને સાધુના સમયે માતા બાળકોને ભોજનદાન કરે. તેમાં હાથધોવે વગેરે જે કાંઈ પણ વિરાધના થાય. એ સાધુનિમિત્તક બની જવાથી, એ દોષ સાધુને લાગે છે. તથા, બાળકને ભોજન હેલું મોડું મળવાના લીધે એટલો સમય ભૂખ્યા રહેવું પડવાથી કે વગર ભૂખે ખાઈ લેવું પડવાથી બાળકને સાધુ પ્રતિ પ્રદેષ થાય વગેરે દોષો પણ જાણી લેવા. સાધુને સૂક્ષ્મપ્રાભૃતિકાનો ખ્યાલ શી રીતે આવે ? • પ્રશ્ન :- સૂક્ષ્મઉધ્વષ્કણ-અવqષ્કણ પ્રાભૃતિકાની જાણ સાધુને શી રીતે થાય ? ઉત્તર :- “સાધુ આવે એટલે તેને પણ આપીશ” એમ માતાને બોલતી સાંભળે. અથવા સાધુ આવે એટલે બાળક માતાને બોલે કે “શું હવે પણ ઊભી નહિ થાય ? આ જો સાધુ આવી ગયા છે. જેમના પ્રતાપે હું એકદમ જલ્દી ભોજન પ્રાપ્ત કરીશ.” આવું સાંભળીને, અથવા તો કોક બાળક, ‘આ સાધુને ભિક્ષા આપવાની સાથે જ માતા મને ભોજન આપશે” એમ વિચારીને સાધુ પાસે જઈને સાધુને પોતાની આંગળીથી પકડીને એમને પોતાના ઘર તરફ આકર્ષે છે (ઘર બાજુ ખેચે છે) ત્યારે મુનિ પૂછે કે કેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy