SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ १२७ काचिद् गृहस्थी घृतं याचिता। तयोक्तं क्षणान्तरे दास्यामीत्यादिपूर्वोक्तप्रकारेण यावत्साधोरायुस्तावत्तत्स्थापयित्वा घृतं मृते त्वन्यत्रोपयुक्तमिति गता स्थापना। तथा दधितक्रकरंबकादेश्च विनश्वरस्यैकद्व्यादिदिनमाना स्थितिस्तावच्च चिरस्थापनात्वं तदूर्ध्वं कोथाद्यापत्तौ बहिरुज्झनादिना स्थापनाया एवाभाव इति । अधुना अचिरस्थापनामाह ‘अचिरकं तिघरंतरं'ति, इह पङ्क्तिस्थानां भिक्षाग्रहणविषयाणां त्रयाणां मध्याद्यस्य गृहद्वारे भिक्षार्थं साधुसङ्घाटक आस्ते तस्य भिक्षागृहद्वयस्य च द्वितीयसाधोदृष्टिगोचरस्य यदन्तरं व्यवधानं तत्रिगृहान्तरं, तत्र यदशनादि तदपि तथा, ततस्त्रिगृहान्तरं यदशनादि तद् ‘अचिरं'ति अचिरस्थापितं स्यादिति। अयमों यावता कालेन गृहत्रयान्तराद्दायको हस्तव्यवस्थितभक्तो ग्राहकसाधुसमीपमागच्छति तावन्तं कालं यदशनादि साधुदानाय दायककरव्यवस्थितं આયુષ્યવાળી ગૃહસ્થી પાસે ઘીની યાચના કરી. તેણે કહ્યું “થોડીવાર પછી આપું છું અને પૂર્વોક્ત પ્રમાણે સાધુનું જ્યાં સુધી આયુષ્ય હતું ત્યાં સુધી ઘીને સ્થાપી રાખ્યું સાધુને બીજેથી ઘી મળી ગયું અને ગૃહિણીએ સાધુનું ઋણ છે એમ સમજીને ઘીને સ્થાપી રાખ્યું. એ સાધુના કાળધર્મબાદ એ ધી બીજા કોક કાર્યના ઉપયોગમાં આવી ગયું. એટલે પછી એ સ્થાપના જતી રહી. આમ ૮ વર્ષ ન્યૂન = દેશોનપૂર્વકોટવર્ષ સુધી સ્થાપના થઈ શકે છે. આ પ્રમાણે ચિરસ્થાપનામાં ઘી-ગોળ વગેરે અનન્તરસ્થાપનાને વિશે ઉત્કૃષ્ટકાલની વાત ઉપર કરી દીધી છે. હવે ચિરસ્થાપનામાં દૂધ-વગેરે પરમ્પર સ્થાપનાને વિશે ઉત્કૃષ્ટકાલને બતાવે છે. દહીં, છાશ, કરંબોવગેરે વિનશ્વર પદાર્થોની, જે સ્વરૂપે છે તે જ સ્વરૂપે રહેવાની ઉત્કૃષ્ટસ્થિતિ માત્ર એક કે બે દિવસની જ હોય છે. માટે તેની ચિરસ્થાપના ૧ કે ૨ દિવસ પૂરતી જ રહે છે. તે પછી તો એમાં કોહવાઈ કે બગડી જવું વગેરે આપત્તિઓ આવી પડતા અને બહાર ફેંકી દે વગેરે દ્વારા સ્થાપનાનો જ અભાવ થઈ જાય છે. આમ ચિરસ્થાપનાની વાત કહી. હવે અચિરસ્થાપનાની વાત જણાવે છે. અચિરસ્થાપના :- ‘વિરે તિયાંતર' = “વિરમ્ ત્રિદાન્તરમ્' = ભિક્ષાગ્રહણને વિષય બનતા એટલે કે ગોચરી માટે ઉપયોગી બનતા એકજ પંક્તિમાં રહેલ ત્રણ ઘરમાંથી જે ઘરના દ્વારે ભિક્ષા માટે સાધુસંઘાટક રહેલ છે. તે સંઘાટકમાંથી એકસાધુ તો ગોચરી લેવામાં લાગેલા છે. પરંતુ બીજા સાધુને દૃષ્ટિનો વિષય બનતા = સ્પષ્ટરૂપે દેખાતા તે ઘર અને આજુબાજુના શેષ બે ઘર વચ્ચેનું જે અત્તર, તેને ‘ત્રિગૃહાન્તર' એટલે કે “ત્રણ ઘર વચ્ચેનું અત્તર” કહેવાય છે. અથવા ગોચરીને વિષયભૂત બનતા ત્રણ ઘરના આન્તરામાંથી ગ્રહણ કરેલ અશનાદિ(ગોચરી)ને પણ “ત્રિદાન્તર અશના”િ કહેવાય છે. આ ત્રિગૃહાન્તરના અશનાદિની અચિરસ્થાપના થાય છે. “ત્રિગૃહત્તર” નો ભાવાર્થ આ છે કે – દાયક જેટલા કાળવડે ત્રણઘરની અંદરથી હાથમાંભોજનવાળો દાયક ગ્રહણ કરનાર સાધુ પાસે આવે તેટલા કાળ સુધી જે અશનાદિ સાધુના દાનમાટે દાતાના હાથમાં સ્થાપીને રહેલું હોય છે તે (આહારાદિ) સાધુ લે તો ત્યારે એ ઓછાસમયનો વિષય બનવાથી એ અચિરસ્થાપનાવાળું થાય છે. જો કે આ અચિરસ્થાપના તો જણાવવા (પ્રજ્ઞાપના) પૂરતીજ છે પરંતુ પરિહાર = ત્યાગરૂપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy