SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮) || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ , થાવત્ પરિગ્રહવિરતિ પરિણામના જે પર્યાયો છે તે પરિગ્રહવિરતિપિંડ કહેવાય છે, એમ પાંચ પ્રકારનો ભાવપિંડ ઘટે છે. એ જ પ્રમાણે બાકીના પિંડોને વિષેનો પણ પિંડપણાની ભાવના ભાવવી. એ જ પ્રમાણે અપ્રશસ્ત ભાવપિંડને વિષે પણ ભાવના ભાવવી. દિપા આ પ્રમાણે ‘fપંડને fપં' જે એકઠું કરવું તે પિંડ એ પ્રમાણે ભાવના વિષયવાળી વ્યુત્પત્તિને આશ્રયીને સંયમાદિકનું પિંડપણું કહ્યું. અથવા ભાવપિંડના વિચારમાં કર્તાના સાધનવાળો (કર્તરિપ્રયોગવાળો) વિવક્ષા કરાય છે, જેમકે કર્મની સાથે આત્માને મિશ્રિત કરે તે' પિંડ કહેવાય છે. પછી ભાવ એવો જે પિંડ તે ભાવપિંડ કહેવાય છે. એ જ વાત કહે છે – मू.०- कम्माण जेण भावेण, अप्पगे चिणइ चिक्काणं पिंडं । સો રોફ માવપિંડો, પિંડયા પિંડvi ની દદ્દા મૂલાર્થ : (જીવ) જે પરિણામ વડે આત્માને વિષે કર્મના પિંડને ચીકણાં બાંધે છે, તે (ભાવપરિણામ) ભાવપિંડ કહેવાય છે. કેમકે-જ્ઞાનાવરણીયાદિક કર્મને પિડરૂપ કરે છે દદી ટીકાર્થ : જે ભાવ વડે એટલે આત્માના પરિણામવિશેષ વડે કર્મના પિંડને ‘ fઅંતિ’ પરસ્પર અનુવેધ વડે કરીને ગાઢ સંશ્લેષ (ચીકણા) રૂપે આત્માને વિષે ‘વિનોતિ' એકઠા કરે છે, તે ભાવ (પરિણામ) ભાવપિંડ કહેવાય છે. તેમાં હેતુ (કારણ) કહે છે - જે કારણ માટે ‘fપંદન' જેના વડે આત્મા પોતાની સાથે પિંડરૂપ કરાય તે “પિડ' એટલે કર્મ જે જ્ઞાનાવરણીયાદિક, તેને ‘fiડતિ' આત્માની સાથે સંબદ્ધ કરે તે ભાવ, તેથી કરીને તે “ભાવપિંડ” એમ કહેવાય છે. અહીં પ્રશસ્ત અને અપ્રશસ્તની ભાવના આ પ્રમાણે કરવી : જે ભાવ (પરિણામ) વડે આત્માને વિષે શુભકર્મ એકઠાં કરાય છે – બંધાય છે, તે પ્રશસ્ત ભાવપિડ, અને જે ભાવ વડે અશુભ કર્મ બંધાય છે તે અપ્રશસ્ત ભાવપિંડ કહેવાય છે. દુદી. આ પ્રમાણે ભાવપિંડ કહ્યો. તે કહેવાથી નામાદિક છએ પિંડ કહ્યા.હવે આ છ પ્રકારના પિંડને વિષે જે પિંડ વડે અહીં અધિકાર છે તે (પિંડ) ને કહેવાને ઇચ્છતા સતા કહે છે : मू.०- दव्वे अच्चित्तेणं, भावंमि पसत्थएणिहं पगयं । उच्चारियत्थसरिसा, सीसमइविकोवणहाए ॥७॥ મૂલાર્થ અહીં દ્રવ્યપિંડને વિષે અચિત્ત પિંડ વડે અને ભાવપિંડને વિષે પ્રશસ્ત ભાવપિંડ વડે પ્રકૃત (પ્રયોજન) છે. બાકીના કહેલા અર્થને સદેશ એવા નામાદિકપિંડો શિષ્યની મતિનો વિસ્તાર કરવા માટે કહ્યા છે. ૬૭ી ટીકાર્થ: “ટ્ટ આ પિંડનિર્યુક્તિને વિષે દ્રવ્યે' દ્રવ્યપિંડના વિષયમાં ‘વિજોન' અચિત્ત દ્રવ્યપિડે કરીને અને “માવે' ભાવપિંડના વિષયમાં “પ્રશસ્તન' પ્રશસ્ત ભાવપિડે કરીને ‘પ્રત' પ્રયોજન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy