SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ | દ્રવ્ય યોજનામાં અપવાદપદ || (૩૮૫ પૂ. - રસ પબ્લિસિત, સંયોm MT નાઈટ્ટ | जस्स व अभत्तछंदो, सुहोचिओऽभाविओ जो य ॥६४१॥ મૂલાર્થ : રસને માટે સંયોગનો નિષેધ છે, પણ ગ્લાનને માટે કહ્યું છે, અથવા જેને ભક્ત ઉપર અરુચિ હોય, અથવા જે સુખોચિત હોય, અને જે અભાવિત હોય તેને કહ્યું છે. '૬૪ll ટીકાર્થ ‘સતે ' ગૃદ્ધિ વડે વિશેષ રસને ઉત્પન્ન કરવા માટે તીર્થંકરાદિએ સંયોગનો પ્રતિષેધ કર્યો છે, પરંતુ તે જ સંયોગ “સ્નાનાર્થ' માંદાને સાજો કરવા કહ્યું છે. અથવા જેને ‘ અ ચ્છઃ ' ભક્ત ઉપર રુચિ થતી ન હોય, તથા જે “સુવતિ' સુખને લાયક રાજપુત્રાદિક હોય, અને જે હજુ સુધી ‘કમાવત:' જેને સમ્યફ પરિણામ ઉત્પન્ન થયા ન હોય, એવો શૈક્ષક (બાલસાધુ) હોય તેને માટે કહ્યું છે. ૬૪૧ સંયોજના નામનું પહેલું દ્વાર કહ્યું. હવે (૨) આહારપ્રમાણ નામનું દ્વાર કહે છે. मू.०- बत्तीसं किर कवला, आहारो कुच्छिपूरओ भणिओ ॥ पुरिसस्स महिलियाए, अट्ठावीसं भवे कवला ॥६४२॥ મૂલાર્થઃ પુરુષને બત્રીશ કવલરૂપ આહાર કુક્ષિને પૂર્ણ કરનાર કહ્યો છે, અને સ્ત્રીને અઠ્ઠાવીશ કવળનો આહાર હોય છે. ll૯૪રી ટીકાર્થઃ પુરુષની કુક્ષિને પૂર્ણ કરનાર આહાર મધ્યમ પ્રમાણવાળો બત્રીશ કવલરૂપ કહ્યો છે. 'જિત' અહીં કિલ શબ્દ આહારનું મધ્યમ પ્રમાણ સૂચવનાર છે, સ્ત્રીની કુલિને પૂર્ણ કરનાર મધ્યમ પ્રમાણવાળો આહાર અઠ્ઠાવીસ કવલનો કહ્યો છે. તથા નપુંસકને ચોવીસ કવલનો છે. તે અહીં ગ્રહણ કર્યો નથી (કહ્યો નથી, કારણ કે - પ્રાયઃ કરીને નપુંસક દીક્ષાને અયોગ્ય છે. હવે આ કવલનું પ્રમાણ કુફ્ફટીન અંડ જેટલું છે. તેમાં કુફ્ફટી બે પ્રકારે છે : દ્રવ્ય કુકકુટી અને ભાવ કુકકુટી. દ્રવ્ય કુકુટી પણ બે પ્રકારે છે. ઉદરકુફ્ફટી અને ગલકુફ્ફટી. તેમાં સાધુનું ઉદર જેટલા પ્રમાણવાળા આહાર વડે ન્યૂય ન થાય કે અધિક પણ ન થાય તે આહાર, ઉદરકુફ્ફટી કહેવાય છે. કેમકે-ઉદરને પૂર્ણ કરનાર જે આહાર કુફ્ફટી જેવો તે ઉદરકુફ્ફટી,. એમ મધ્યમપદલોપી સમાસનો આશ્રય કર્યો છે.) તેનો જે બત્રીશમો ભાગ તે અંડક કહેવાય છે, તે કવલનું પ્રમાણ છે. તથા ગલકુફ્ફટીના જેવો તે ગલકુલ્લુટી અર્થાત ગલરૂપ કુકકુટી. તેનું અંતરાલમંડક આનો અર્થ શું?તે કહે છે : વિકાર રહિત મુખવાળા પુરુષના ગળાની વચ્ચે જે કવલ લાગ્યા વિના પ્રવેશ કરે છે. તેટલા પ્રમાણવાળા કવળને ખાવો. અથવા શરીરરૂપી કુકકુટી, તેનું મુખમંડક, તેમાં નેત્ર-કપોલ અને ભ્રકુટિનો વિકાર પામ્યા વિના જે કવલ મુખમાં પ્રવેશ કરે તે પ્રમાણવાળો કવલ. અથવા કુકટી એટલે પક્ષિણી. તેનું ઈંડું કવલનું પ્રમાણ છે. તથા ભાવકુફ્ફટી એટલે જે આહાર ખાવા વડે ઉદર ન્યૂન કે અતિઅધિક ન થાય અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy