SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪) || શ્રી પિડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ તે વ્યાઘાતને જ ભાવતા સતા ભાવસંયોજનાને પણ કહે છે : પૂ. - સંકોચપ ૩ ભાવે, નોr તા િળાડું છે संजोयइ कम्मेणं, कम्मेण भवं तओ दुक्खं ॥६३९॥ મૂલાર્થઃ તે દ્રવ્યોની સંયોજના કરીને આત્માને કર્મની સાથે જોડે છે, આ ભાવને વિષે સંયોજના જાણવી. તા કર્મ વડે ભવને અને ભવથકી દુઃખને સંયોજે છે. (પામે છે) II૬૩લા ટીકાર્થ તે સુકુમારિકા, ખાંડ વગેરે દ્રવ્યોને રસગૃદ્ધિ વડે સંયોજના કરતો સાધુ પોતાને ગૃદ્ધિરૂપ અપ્રશસ્ત ભાવ વડે સંયોજના કરે છે. આ “ભાવે ભાવ વિષયવાળી સંયોજના જાણવી. ત્યાર પછી તે દ્રવ્યોને તથા પ્રકારે સંયોજીને આત્માને વિષે ‘ી' જ્ઞાનાવરણિયાદિક કર્મને “સંયોગતિ' બાંધે છે. તથા કર્મ વડે ‘મવં' અતિદીર્ઘ સંસારનો સંયોગ કરે છે, અને તે અતિ દીર્ઘ સંસારરૂપ ભવથકી દુઃg' અસાતાને સંયોજે છે. (બાંધે છે-ભોગવે છે, તેથી કરીને જે (સાધુ) દ્રવ્યસંયોજનાને કરે છે, તેને આ પ્રમાણે અનંતકાળ સુધી વેદવાનો દુઃખ નિપાત છે. ll૬૩૯ હવે આ જ દ્રવ્યસંયોજનાના અપવાદને કહે છે : मू.०- पत्ते य पउरलंभे, भुत्तुव्वरिए य सेसगमणट्ठा ॥ दिट्ठो संजोगो खलु, अह क्कमो तस्सिमो होइ ॥६४०॥ મૂલાર્થઃ દરેકને ઘણો લાભ થયે સતે ભોજન કર્યા પછી પણ બાકી વળ્યું હોય તો તે શેષના નિર્ગમનને માટે સંયોગ દેખેલો છે. હવે બીજો પણ તેનો આ ક્રમ છે. ૬૪૦ ટીકાર્થ “પ્રત્યે દરેક સાધુસંઘાટકને ‘પ્રવુરતાપે' ઘણા વૃતાદિકની પ્રાપ્તિ થયે સતે જો કોઈપણ પ્રકારે વાપર્યા છતા પણ (વ' સમુચ્ચય અર્થમાં છે) “પં' ઉધરેલું (વધું) હોય તો તે શેષના નિર્ગમનને માટે (તે વધેલું ખપાવવાને માટે) સંયોગ “તૂછ:' દીઠો છે. એટલે કે - તીર્થંકરાદિએ (સંયોગ કરવાની) અનુજ્ઞા આપી છે, કારણ કે – ઉધરેલું (વધેલું) વૃત વગેરે ખાંડ આદિ સિવાય મંડકાદિકના સાથે પણ ખાઈ શકાતું નથી, કેમકે પ્રાયઃ કરીને સાધુ તૃપ્ત થયા હોય છે. (ધરાઈ ગયા હોય છે, અને તે વૃતાદિનું પરિઝાપન પણ યુક્ત નથી. કેમકે વૃતાદિકના પરિઝાપનમાં સ્નિગ્ધપણું હોવાથી પછીથી પણ કિટિકાદિક પ્રાણીઓના વ્યાઘાતના સંભવ વડે અત્યંત મોટા પ્રાયશ્ચિત્તનો સંભવ છે. તેથી ઉધરેલા વૃતાદિકના નિર્ગમન માટે ખંડાદિકની સાથે પણ તેની સંયોજના, દોષને માટે નથી. આ સંયોજનાનો પ્રથમ અપવાદ છે. હવે બીજો પણ તે સંયોજનાનો આ આગળ કહેવાશે એવો ક્રમભવન - ક્રમે થવાવાળો - પરિપાટીરૂપ હોય છે. //૬૪ના તે ક્રમ (પરિપાટી)ને જ કહે છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy