SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ | દાયકાશ્રયી કલ્યાકધ્યવિધિ | (૩૬૫ मू.०- पंडग अप्पडिसेवी, वेला थणजीवि इयर सव्वंपि ॥ उक्खत्तमणावाए, न किंचि लग्गं ठवंतीए ॥६०१॥ મૂલાર્થઃ નપુંસક જો અપ્રતિસેવી હોય, પ્રસૂતિની વેળા થઈ હોય, બાળક સ્તન વડે જીવતો હોય, એ જ પ્રમાણે બીજા સર્વ જાણવા, મુસળ ઊંચું કર્યું હોય, તેમાં કાંઈ બીજ લાગેલું ન હોય, તેને અનાપાતસ્થાનમાં સ્થાપન કરે તો કલ્પ //૬૦૧, ટીકાર્થ : (૧૩) નપુંસક પણ જો “ગપ્રતિરોધી' લિંગાદિકને સેવનાર ન હોય તો તેની પાસેથી કલ્પ, તથા (૧૪) ગર્ભવતી પણ જો “વેત' ત્તિ (સૂર્યનાસ્તૂત્રનું સૂચન કરનાર હોવાથી સૂત્ર કહેવાય છે, એ ન્યાયથી) વેળામાસને પામેલી હોય એટલે કે – નવમાં માસની ગર્ભવાળી જો હોય તો વિકલ્પીએ તેનો ત્યાગ કરવો. અર્થાત્ તેનાથી વિપરીત હોય (એટલે આઠ માસ સુધીની ગર્ભવતી હોય) તો તેણીના હાથથી વિરકલ્પીઓને કહ્યું એમ જાણવું. તથા (૧૫) જે બાલવત્સા એટલે માત્ર સ્તનપાન વડે જ ઉપજીવિકા-આજીવિકાવાળો છે પુત્ર જેનો એવી (સ્ત્રી), તે સ્થવિરકલ્પિકોને ત્યાગ કરવા લાયક છે. તેની પાસેથી વિરકલ્પિકોને કાંઈપણ ન કહ્યું, એ ભાવાર્થ છે, પરંતુ જેણીનો બાળક આહારમાં પણ લાગ્યો હોય, તેણીના હાથથી કહ્યું છે. કારણ કે – તે બાળક પ્રાયઃ કરીને શરીર વડે મોટો થયો હોય છે. તેથી માર્જર વગેરેની વિરાધનાના દોષનો પ્રસંગ આવતો નથી. વળી જે પૂજય જિનકલ્પિકો છે, તેઓ (તો) મૂળથી જ ગર્ભવાળી અને બાળપુત્રવાળીને સર્વથા વર્ષે છે. એ જ પ્રમાણે (૧૬) ભોજન કરતી, (૧૭) ભુંજતી અને (૧૮) દળતીને વિષે પણ ભજના ભાવવી તે આ પ્રમાણે – ભોજન કરતી ઉચ્છિષ્ટ (એઠી) નહિ સતી યાવત્ હજી સુધી મુખણાં કવળ મૂક્યો નથી, ત્યાં સુધી તેણીના હાથથી કહ્યું છે. (૧૭) ભૂંજતી પણ જે સચિત્ત ગોધૂમ વગેરે કડાઈમાં નાખ્યું હોય, તે શેકીને ઉતાર્યું હોય અને બીજું હજું હાથમાં ગ્રહણ કર્યું નથી, તેવા સમયે જો સાધુ આવ્યા હોય તેને જો તે આપે તો કલ્પ છે. તથા (૧૮) દળતી સ્ત્રી દળાતા સચિત મગ વગેરેની સાથે ઘંટીને મૂકી દે, તેવા સમયે સાધુ આવ્યા હોય અને તે સ્ત્રી આમ તેમ જો ઊઠી હોય, અથવા ભુંજેલા અચિત્ત મગ વગેરેને દળતી હોય તો તેના હાથનું કહ્યું છેતથા (૧૯) ખાંડતી સ્ત્રીએ ખાંડવાને માટે મુસળ ઊંચું કર્યું, અને તે મુસળમાં કાંચીને વિષે કાંઈ પણ બીજ લાગેલું ન હોય, તેવા અવસરે સાધુ આવ્યા હોય તો તે વખતે તે સ્ત્રી જો અનપાય (શુદ્ધ) પ્રદેશમાં મુસળને મૂકીને ભિક્ષા આપે તો કહ્યું છે. ૬૦૧ હવે પીસતી વગેરેના વિષયવાળી ભજનાને કહે છે : मू.०- पीसंती निप्पिट्टे, फासुं वा घुसुलणे असंसत्तं ॥ कत्तणि असंखचुनं, चुन्नं वा जा अचोक्खलिणी ॥६०२॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy