________________
૩૩૮)
| | શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / તેથી આ પ્રમાણે પૃથિવી' ઇત્યાદિ મૂળ ગાથા (૫૪૧)ના પૂર્વાર્ધની વ્યાખ્યા કરી. હવે ‘ઇલિ સુહાગંતર' એ અવયવની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા બીજી અને ત્રીજી ચતુર્ભગી સંબંધીનો ત્રીજો ત્રીજો ભંગ કે – જે સામાન્યથી અશુદ્ધ છે. તેના વિષયમાં વિશેષ કહેવાને ઇચ્છતા સતા અનંતર અને પરંતર માર્ગણાને કહે છે :
मू.०- जं पुण अचित्त दव्वं, निक्खिप्पइ चेयणेसु मीसेसु ॥
तहिं मग्गणा उ इणमो, अणंतरपरंपरा होइ ॥५४७॥ મૂલાર્થ ઃ વળી જે કોઈ અચિત્ત દ્રવ્ય સચિત્ત કે મિશ્રને વિષે નિક્ષેપ કરાય છે, ત્યાં આ અનંતર અને પરંપર વડે માર્ગણા હોય છે. //૫૪ળા.
ટીકાર્થ ? વળી જે કોઈ પણ ઓદનાદિક અચિત્તદ્રવ્ય, વેતપુ' સચિત્તને વિષે કે મિશ્રને વિષે નિલેપ કરાય છે, ત્યાં આ અનંતર અને પરંપરા વડે માર્ગણા એટલે પરિભાવના હોય છે ૫૪૭ી.
તે જ કહે છે : ___ मू.०- ओगाहिमायणंतर, परंपरं पिढरगाइ पुढवीए ॥
नवणीयाइ अणंतर, परंपरं नावमाईसु ॥५४८॥ મૂલાર્થ : પૃથ્વી પર સ્થાપન કરેલ અવગાહિમાદિક અનંતર છે, અને પૃથ્વી પર રહેલા પિઠર (તપેલી, વાસણ) આદિને વિષે સ્થાપન કરેલ પરંપરા છે. તથા માખણ વગેરે જળમાં નાંખેલ હોય તે અનંતર અને નાવાદિકમાં મૂકેલ હોય તો પરંપર કહેવાય છે. ll૧૪૮
ટીકાર્થઃ “નવ દિમાદ્રિ' પફવાન્ન માંડા વગેરે પૃથ્વી ઉપર આંતરારહિતપણે સ્થાપન કર્યું હોય તે અનંતરનિક્ષિપ્ત કહેવાય છે. તથા પૃથ્વી પર જ રહેલા પિઠરદાકિ (ભાજનાદિ)ને વિષે મૂકેલ જે અવગાહિમાદિક (પકવાન્ન, માંડા આદિ) તે પરંપરનિશ્ચિત કહેવાય છે. આ નિક્ષેપ પૃથ્વીકાયને આશ્રયીને અનંતર અને પરંપરાએ કરીને કહ્યો. હવે અપ્લાયને આશ્રયીને કહે છે: “નવની' ત્યન્ટિનવનીતાદ્રિ માખણ અને ઠરી (થીજી) ગયેલ ઘી વગેરે સચિત્તાદિરૂપ ઉદકને વિષે મૂકેલ હોય તો તે અનંતરનિક્ષિપ્ત કહેવાય છે. અને તે જ નવનીતાદિક કે અવગાહિમાદિક જળની મધ્યે રહેલા નાવ આદિમાં રહેલ હોય તો તે પરંપર નિશ્ચિત કહેવાય છે. ૫૪૮.
હવે તેજસ્કાયને આશ્રયીને અનંતર તથા પરંપરની વ્યાખ્યા કરતા સતા ‘સવિદો” એ (૫૪૧ ગાથાના અંતિમ) અવયવની વ્યાખ્યા કરે છે : मू.०- विज्झायमुम्मुरिंगाल-मेव अप्पत्तपत्तसमजाले ॥
वोक्कंते सत्तदुर्ग, जंतोलित्ते य जयणाए ॥५४९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org