SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ | ‘વિવાદે' અવયવ વ્યાખ્યા છે (૩૨૧ નિષેધ કર્યો. તેમાં પ્રષ અને ઉડાહદોષ થાય છે. ૫૦૭માં ટીકાર્થ: કોઈ નગરમાં ધન નામનો શ્રેષ્ઠી છે, તેને ધનપ્રિયા નામની ભાર્યા છે, તેને સુંદરી નામની પુત્રી છે. તે ભિન્નયોનિ વાળી છે. આ હકીકત તેની માતા જાણે છે. પણ તેનો પિતા જાણતો નથી. પિતાએ તેણીને તે જ નગરમાં કોઈ શ્રેષ્ઠિપુત્રને પરણવા માટે આપી-વેવીશાળ કર્યું. વિવાહનો સમય નજીક આવ્યો. માતાને ચિંતા થઈ કે - “આ પરણી સતી જો તેનો ભર્તા તેણીને ભિન્નયોનિવાળી જાણશે, તો તેણે ત્યાગ કરેલી આ રાંકડી દુઃખને પામશે.” આ વખતે કોઈ સાધુ ભિક્ષા માટે ત્યાં આવ્યા. તેણે તેણીને પૂછ્યું, ત્યારે તેણીએ સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી સાધુએ કહ્યું કે – તું ભય ન પામ હું તેને અભિન્નયોનિવાળી કરીશ. એમ કહી આચમનઔષધ અને પાનઔષધ આવ્યું, તેથી અભિન્નયોનિ વાળી થઈ. ૫૦૬) તથા ચંદ્રાનના નામની નગરીમાં ધનદત્ત સાર્થવાહ છે, તેને ચંદ્રમુખી નામની જાય છે. એકદા તે બન્નેને પરસ્પર કલહ થયો. તેથી આગ્રહથી તે નગરીમાં વસનાર કોઈ શ્રેષ્ઠીની પુત્રી ધનદત્તે પરણવા માટે માગી. આ વૃત્તાંત ચંદ્રમુખીએ જાણ્યો. તેથી તેણીને ઘણી અવૃતિ થઈ. આ અવસરે જંઘાપરિજિત નામના સાધુ ભિક્ષા માટે આવ્યા. તેણે અવૃતિ કરતી ચંદ્રમુખીને જોઈ. તેથી પૂછયું કે – “હે ભદ્ર ! તું અધૃતિવાળી કેમ દેખાય છે ?' ત્યારે તેણીએ સપત્નીનો વૃત્તાંત કહ્યો. તે સાંભળી સાધુએ તેણીને ઔષધ આપ્યું, અને કહ્યું કે - “આ કોઈપણ પ્રકારે તેણીને ભક્ત કે પાણીને વિષે આપવું, કે – જેથી તે ભિયોનિવાળી થશે. પછી તે વાત તારા ભર્તાને કહેજે, તેથી તે પરણશે નહિ.” તેણીએ તે જ પ્રમાણે કર્યું, તેથી ભર્તા તેણીને પરણ્યો નહિ ૧૫૦શા સૂત્રનો અર્થ સુગમ છે. વિશેષ એ કે – “ગળીવું (ગીગીવં) રૂતિ' માવજીવ બધિર મૈથુનની પ્રવૃત્તિ થાય દિ ત્તિ તે નવી સ્ત્રીને પરણવાની તૈયારી કરી. તેવામાં તેણીને ભિન્નયોનિ વાળી જાણીને નિષેધ કર્યો. આ અર્થે જો તેણીએ જાણ્યો હોત, તો તેણીને સાધુ ઉપર મોટો દ્વિષ થાત અને પ્રવચનનો ઉફાહ થાત !૫૦ણા હવે વિવાદે' એ પદની વ્યાખ્યા કરતા સતા કહે છે : मू.०- मा ते फंसेज्ज कुलं, अदिज्जमाणा सुया वयं पत्ता ॥ धम्मो य लोहियस्सा, जइ बिंदू तत्तिया नरया ॥५०८॥ किं न ठविज्जइ पुत्तो, पुत्तो कुलगोत्तकित्तिसंताणो ॥ पच्छावि य तं कज्जं, असंगहो मा य नासिज्जा ॥५०९॥ મૂલાર્થઃ વયને પામેલી આ પુત્રી નહિ આપી (પરણાવી) સતી તારા કુળને મલિન ન કરો. ધર્મ પણ એ જ છે કે જેટલા લોહીના બિંદુ પડે તેટલીવાર તેની માતા નરકે જાય. //૫૦૮ આ પુત્ર, કુળ-ગોત્ર અને કીર્તિના કારણરૂપ છે, યૌવનને પામ્યો છે, તો તેને પરણાવતા કેમ નથી? પછી પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy