SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨) || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે, થઈને ‘મધર' આધાકર્માદિક કરે અને જો “પ્રાન્તા' ધર્મની સન્મુખ ન હોય તો પ્રષિને પામે છે એમ અધ્યાહાર કરવો તથા જો પોતાના કર્મના ઉદયથી કોઈ પણ પ્રકારે તે બાળક ગ્લાન (માંદો) થાય તો ‘૩૯૪' પ્રવચનનું મલિનપણું થાય, કે-આ બાળકને સાધુએ તે વખતે બોલાવ્યો અથવા ક્ષીરપાન કરાવ્યું અથવા બીજે ઠેકાણે લઈ જઈને કોઈ સ્ત્રીનું સ્તનપાન કરાવ્યું તેથી તે ગ્લાન થયો. તથા આ સાધુ અતિ ચાટુકારી (ખુશમન કરનાર) છે એમ લોકમાં ‘કાવ:' અશ્લાઘા (નિંદા) થાય, તથા નિઝ' ભત્ત “અચકા' મૈથુનાદિકની ‘’ એ શબ્દ વાક્યના અલંકાર માટે છે. તથા પ્રકારના સાધુના વચન સાંભળવાથી “શંwતે’ શંકા કરે એટલે સંભાવના કરે II૪૧૪ll અથવા બીજા પ્રકારે ધાત્રીકરણનો જે દોષ છે, તેને દેખાડે છે : मू.०- अयमवरो उ विकप्पो, भिक्खायरि सड्ढि अद्धिई पुच्छा ॥ दुक्खसहाय विभासा, हियं में धाइत्तणं अज्ज ॥४१५॥ वयगंडथुल्लतणुयत्तणेहिं तं पुच्छिउं अयाणंतो ॥ तत्थ गओ तस्समक्खं भणाइ तं पासिउं बालं ॥४१६॥ મૂલાર્થ : ધાત્રીકરણમાં આ બીજો વિકલ્પ છે, તે એ કે – ભિક્ષાચાર્યમાં કોઈ સાધુએ કોઈ અવૃતિવાળી શ્રાવિકાને પૂછ્યું, તેણીએ કહ્યું કે – દુઃખના સહાયકને કહી શકાય. તો આજે મારૂં ધાત્રીપણું હરણ કરાયું છે. ૪૧પી તેણીના વયને, ગંડને, શૂલપણાને અને કુશપણાને નહિ જાણતો સાધુ તે સર્વ પૂછીને ત્યાં ગયો, અને તે બાળકને જોઈ તેની (ઘરના સ્વામીની) સમક્ષ કહેવા લાગ્યો ૪૧૬ો. ટીકાર્થ : ધાત્રીકરણમાં આ બીજો વિકલ્પ છે. તેને જ કહે છે : ભિક્ષાચર્યામાં ગયેલા કોઈ સાધુએ ‘પ્રવૃતિઃ' ધીરજ વિનાની કોઈ શ્રાવિકા જોઈ. તેથી તેણીને પૂછ્યું કે - કેમ આજે તું શોકવાળી દેખાય છે ? – આ પ્રમાણે કહેવાયેલી (પૂછાયેલી) તે બોલી કે – “જે દુઃખમાં સહાયકારક હોય, તેને દુઃખ કહી શકાય. અને દુઃખ સહાયક તો તે જ કહેવાય કે – જે દુઃખનો પ્રતિકાર (નાશ) કરવામાં સમર્થ હોય.” ત્યારે સાધુ બોલ્યા કે – “હું દુઃખ સહાયક છું તેથી મને તું દુઃખ કહે.” ત્યારે તે બોલે કે – આજે મેં મારું ધાત્રીપણું અમુક ઈશ્વરના ધનિકના) ઘરમાં ‘હતં' હરણ કરાયું છે (નાશ પામ્યું છે). તેથી હું ખેદવાળી થઈ છું. I૪૧પો ત્યારે સાધુએ કહ્યું કે - “તું ખેદ ન કર. હું અવશ્ય તેને થોડા કાળમાં ધાત્રીપણે સ્થાપન કરીશ.” આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને તેણીને નવી સ્થાપન કરેલી ધાત્રીના વય વગેરેથી અજ્ઞાત એવા તેણે પૂછ્યું કે - તેણીનું વય કેટલું છે? યૌવન છે કે પરિણત છે? બે ગંડ પણ એટલે સ્તન પણ શું? કુર્મરના (કોણીના) આકારવાળા દીર્ઘ છે? કે અતિસ્થૂલ છે? તેણીના શરીરમાં પણ શું સ્થળપણું છે? કે કુશપણું છે?” આ પ્રમાણે પૂછીને તે સાધુ તે ઈશ્વરને ઘેર ગયો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy