SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ તે અપ્રશસ્તભાવોત્પાદનના ધાત્રીપિંડાદિ – ૧૬ દોષો / (૨૬૯ આ જ નિમિત્ત શબ્દ વડે કહેવા લાયક અર્થને અંગીકાર કરીને પૂર્વના આચાર્યો નિમિત્તશબ્દની નિરુક્તિ એટલે કે તે શબ્દની વ્યુત્પત્તિને આ પ્રમાણે કહે છે : ઇન્દ્રિયોથી અને ઇંદ્રિયાર્થોથકી આત્માના સમાધાન (સુખ)ને આશ્રીને જેથી (જે કારણથી) શુભાશુભ અતીતાદિક અર્થનું જ્ઞાન નિશ્ચય કરીને થાય છે, તેથી તે ઇંદ્રિયાર્થીદિન નિમિત્ત કહેવાય છે. તે વિષે અંગવિઘામાં કહ્યું છે કે - ‘વિડિત્યે સમીક્ષા ૨ અપૂછો ના પવત્તા નહીં, નિમિત્તે તેમાં હિયં III જેથી કરીને ઇંદ્રિયો અને ઇઢિયાર્થો વડે આત્માના સમાધાનનું જ્ઞાન પ્રવર્તે છે, તેથી કરીને તે નિમિત્ત કહેવાય છે.” તે નિમિત્ત અંગાદિકના ભેદથી આઠ પ્રકારનું છે, તેને માટે કહ્યું છે કે :* સર તળ (૨) વંગ સુવિ' તહીં , છિન્ન છ મંતતિલ્લા , (W) કવિયાદિયા Inશા પણ નિમિત્તા ૩ ગફ્ટ સંપરિસિયા | Wહિં પાવા નન્નતી, તીતાના સંપયા !(૧. અંગ, ૨. સ્વર, ૩. લક્ષણ, ૪. વ્યંજન, ૫. સ્વપ્ર, ૬. છિન્ન, ૭. ભૌમ અને ૮. અંતરિક્ષ આ આઠ મહાનિમિત્તો કહ્યા છે. (૧) આના વડે અતીત, અનાગત અને વર્તમાનના ભાવો જણાય છે. (૨) નિમિત્તના હેતુવાળુ જે જ્ઞાન તે પણ ઉપચારથી નિમિત્ત કહેવાય છે. તેનો જ અહીં અધિકાર છે. તેમજ વળી અંગાદિ નિમિત્તના હેતુવાળા જ્ઞાનનો જ ઉપયોગ કરતો યતિ દોષવાળો છે એમ આગળ કહેવાશે. ૪. ‘ાનીવ' આજીવિકા પ. ‘વનીપ' ભિક્ષાચર, તેની જેમ જે આચરણ કરવું તે પણ વનપક કહેવાય છે. આ શબ્દની વ્યુત્પત્તિને ગ્રંથકાર પોતે જ આગળ કહેશે. ૬-'વિજિલ્લા રોગનો પ્રતિકાર, ૭ક્રોધ, ૮-માન, ૯-માયા અને ૧૦-લોભ, એ પ્રસિદ્ધ છે. ll૪૦૮ ૧૧-‘પૂર્વસંતવ:' માતા વગેરેની કલ્પના વડે પરિચય કરવો, “પશ્ચાત્યંતવ:' સાસુ વગેરેની કલ્પના વડે પરિચય કરવો. ૧૨-“વિદ્યા' જે સ્ત્રીરૂપ દેવતાએ અધિષ્ઠિત હોય, અથવા સાધના સહિત અસર વિશેષની પદ્ધતિ હોય તે વિદ્યા. ૧૩-અને તે જ વિદ્યા પુરુષરૂપ દેવે કરીને અધિષ્ઠિત હોય, અથવા સાધના વિનાની હોય તે મંત્ર કહેવાય છે. ૧૪-“ચૂર્ણ' સૌભાગ્યાદિકને ઉત્પન્ન કરનાર વસ્તુનો ભૂકો, ૧૫-યોr:' આકાશગતિ આદિ ફળવાળો દ્રવ્યસમૂહ, આ હમણાં કહ્યા તે ઉત્પાદનના દોષો છે. તથા ૧૬-સોળમો દોષ ‘મૂન' વશીકરણઃ અહીં ધાત્રીનો જે પિંડ તે ધાત્રીપિંડ કહેવાય છે. આનો ભાવાર્થ આ પ્રમાણે ધાત્રીપણું કરવા વડે અથવા કરાવવા વડે જે પિંડ ઉત્પન્ન-પ્રાપ્ત કરાય તે ધાત્રીપિંડ કહેવાય છે તથા *(૧) અંગ – શરીરના અવયવનું પ્રમાણપંદન (પ્રમાણ પુરસ્સર ધડકવું) વગેરે વિકારના ફળને કહેનાર નિમિત્તશાસ્ત્ર, (તે અંગવિદ્યા કહેવાય છે.) (૨) સ્વર - જીવ અને અજીવને આશ્રીને સ્વરના સ્વરૂપનું ફળ કહેનાર. (૩) લક્ષણ - લાંછન વગેરે અનેક પ્રકારના લક્ષણને કહેનાર. (૪) વ્યંજન - મસ વગેરે વ્યંજનના ફળ દેખાડનાર. (૫) સ્વપ્ન - સ્વપ્નનું ફળ પ્રકટ કરવું. (૬) છિન્ન - વસ્ત્રાદિકનો છેદ, તેના વિષયવાળું શુભાશુભને નિરૂપણ કરનાર શાસ્ત્ર, જેમકે, “વે, સત્તમં સામો' (દવવિભાગમાં દગ્ધછિન્ન વસ્ત્રથી ઉત્તમ લાભ). ઇત્યાદિ. (૭) ભીમ- ભૂમિવિકારના ફળને કહેવામાં મુખ્ય નિમિત્તશાસ્ત્ર, (૮) અંતરિક્ષ - આકાશમાં ઉગેલા ગ્રહોના યુદ્ધ, ભેદ વગેરે ભાવના ફળને કહેનાર કોઈ ઠેકાણે છિન્નને સ્થાને ઉત્પાત કહે છે. તેમાં ઉત્પાત એટલે સ્વાભાવિક રુધિર આદિની વૃષ્ટિ વગેરે રૂપ ઉત્પાતને કહેનારૂં નિમિત્તશાસ્ત્ર. (નિમિત્તશાસ્ત્રના આ આઠ અંગો જાણવા.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy