SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ | ‘ ત્તિસંવડા અવયવવ્યાખ્યા છે. (૨૪૭ જોઈને “આટલા વડે અમારે શું થશે?' એમ કહીને રડવા લાગ્યા. આ પ્રમાણે પોતાના સમગ્ર કુટુંબને વ્યાકૂળ જોઈ તે ગોવાળને સાધુ ઉપર મોટો કોપ ઉત્પન્ન થયો. તેથી તે સાધુને મારવા ચાલ્યો. માર્ગમાં ભિક્ષાને માટે અટન કરતા સાધુને કોઈ સ્થાને જોયા. તે વખતે લાકડી ઉપાડીને તે સાધુની પાછળ દોડ્યો. સાધુએ પણ કોઈ પ્રકારે પાછુંવાળી જોવાથી તે ગોવાળને તે પ્રકારે કોપ વડે રક્તનેત્રવાળો જોઈને વિચાર્યું કે – “ખરેખર આનું દૂધ બળાત્કાર લઈને જિનદાસે મને આપ્યું લાગે છે. તેથી મને મારવા માટે કોપ પામેલ આ ગોવાળ આવતો હોય તેમ જણાય છે. એમ વિચારીને તે સાધુ વિશેષ કરીને પ્રસન્ન મુખવાળા થઈને તેની જ સન્મુખ જવા લાગ્યા. અને તેણે કહ્યું કે - “હે હે દૂધના ઘરના નિયોગી ! તારા પ્રભુના આગ્રહ વડે મેં તે વખત દૂધ ગ્રહણ કર્યું હતું. હમણાં તું આ તારૂં દૂધ ગ્રહણ કર.” આ પ્રમાણે તેના કહેવાથી તેનો કોપ શાંત થયો, અને તેણે સાધુની પાસે પોતાના સ્વભાવને પ્રગટ કર્યો કે - “હે સાધુ! સુવિદિત ! તમને મારવા માટે હું હમણાં આવ્યો છું, પરંતુ હમણાં તમારા વચનરૂપી અમૃતનાં સિંચનથી મારો સર્વ કોપાગ્નિ શાંત થઈ જવા પામ્યો છે. તેથી તમે જ આ દૂધ ગ્રહણ કરો. પ્રાણનો નાશ કર્યા વિના મેં તમને છોડી મૂક્યા છે, પરંતુ ફરીથી આવું આરછેદ્ય ગ્રહણ કરવું નહિ.” એમ કહી ગોપ પાછો ફર્યો, અને સાધુ પોતાને સ્થાને ગયા. આ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે “પમાપૂM' અહીં વિભક્તિનો લોપ થયો છે. તેથી દૂધનું પાત્ર ઊણું જોઈને “મોર્ફ ભોગવવા લાયક એટલે ભાર્યા “વે ત્તિ' રૂએ છે. “હૃદ્ધિ’ શબ્દ, આમંત્રણ અર્થમાં છે. “તર્વિલ્પા' જિનદાસ નામના તારા પ્રભુના આગ્રહથી મેં ગ્રહણ કર્યું છે, ત્યારે તે (ગોપ) બોલ્યો - હમણાં મેં તમને મૂકી દીધા છે. ફરીથી આ પ્રમાણે ગ્રહણ કરશો નહિ. /૩૬૮-૩૬. હવે ગોપાળના વિષયવાળો જ “વયરસંડારું એ અવયવની વ્યાખ્યા કરે છે : मू.०- नानिव्विटुं लब्भई, दासी वि न भुज्जए रिते भत्ता ॥ दोन्नेगयरपओसं, जं काही अंतरायं च ॥३७०॥ મૂલાર્થ અહીં નહિ ઉપાર્જન કરેલું કાંઈ પણ પમાતું નથી, દાસી પણ ભક્ત વિના ભોગવી શકાતી નથી, આમ બોલવાથી બન્નેનો અથવા એકનો પ્રષ થાય છે, તથા જે અંતરાય કર્યા. તે પણ દોષ જ છે. ૩૭૦ ટીકાર્થ: પ્રભુએ બળાત્કારે દૂધ ગ્રહણ કરે સતે કોઈક ગોપ ક્રોધ પામીને પ્રભુની સામે આ પ્રમાણે પણ બોલતો સંભવે છે, કે – “કેમ મારું દૂધ બળાત્કારે ગ્રહણ કરો છો?” “નિવૃષ્ટ' અહીં ઉપાર્જન નહિ કરેલું કાંઈ પણ પમાતું નથી. તેથી મેં પોતાના શરીરના પ્રયાસના બળ વડે આ દૂધ ઉપાર્જન કર્યું છે. તેથી અહીં (આ દૂધના વિષયમાં) તમે શી રીતે પ્રભુ-માલીક થઈ શકો છો? દાસી પણ અર્થાત્ ઉત્તમ વૈશ્યાદિક તો દૂર રહો એમ ‘પ' શબ્દનો અર્થ જાણવો “બpl' ભક્ત-પાન વિના એટલે ભરણ-પોષણ કર્યા વિના જૈન મુખ્યતે' ભોગવી શકાતી નથી. તેથી આ મારું ભોજન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy