SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ || આચ્છેદ્યકાર અને તેના ભેદો I (૨૪૫ म.०- तिरियायय उज्जुगएण गिण्हई जं करेण पासंतो ॥ एयमणुच्चुक्खित्तं उच्छुक्खित्तं भवे सेसं ॥३६५॥ મૂલાર્થઃ તિર્યક્ર લાંબા અને સરળ હાથ વડે પાત્રને જોતો સાધુ જે ગ્રહણ કરે તે અનુચ્ચોક્લિપ્ત કહેવાય છે, અને શેષ ઉોત્સિત હોય છે. //૩૬પા. ટીકાર્થ ઃ તિર્યકું (તીઠ્ઠી “ગાયતે' દીર્ઘ (લાંબા) અને ઋજુન' સરળ એવા “રેજી' હાથ વડે પાત્રને દૃષ્ટિ દ્વારા જોતો સાધુ જે વસ્તુ ગ્રહણ કરે છે, આવા પ્રકારનું પાત્ર અનુચ્ચોસ્લિમ કહેવાય છે અને શેષ (બાકીનું) ઉચ્ચલ્લિત કહેવાય છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે : દષ્ટિની ઉપર હાથને પ્રસારીને દેયવસ્તુ ગ્રહણ કરવા માટે જે પાત્રને ધારણ કરાય છે, તે પ્રકારે ધારણ કરેલ પાત્ર ઉચ્ચલ્લિત કહેવાય છે. આ ઊર્ધ્વ અને અધઃ માલાપહતના વ્યાખ્યાન કરીને તિર્યકુ માલાપહૃતની પણ વ્યાખ્યા કરી એમ જાણવું. તેમાં પણ કથ્ય અને અધ્યનો વિધિ આ પ્રમાણે જાણવો : પગની નીચે માંચી વગેરે મૂકીને ગવાક્ષાદિમાં રહેલી વસ્તુ આપવા માટે હાથ લાંબો કરીને મોટા કષ્ટ વડે જે વસ્તુનું આકર્ષણ કરે તે વસ્તુ કહ્યું નહિ. અને ભૂમિની ઉપર સ્વભાવથી જ રહેલી દાત્રી – આપનારી સ્ત્રી ગવાક્ષ વગેરેમાં રહેલ વસ્તુને પ્રયત્ન વિના કાંઈક બાહુ પ્રસારીને સાધુને આપવા માટે જે ગ્રહણ કરે, તે માલાપહૃત ન કહેવાય, તેથી તે કહ્યું છે. ૩૬પા આ પ્રમાણે માલાપદંત કહ્યું. હવે આચ્છેદ્ય નામનું દ્વાર કહે છે : म.०- अच्छिज्जं पि य तिविहं पभू य सामी य तेणए चेव ॥ __ अच्छिज्जं पडिकुटुं, समणाण न कप्पए घेत्तुं ॥३६६॥ મૂલાર્થ : આચ્છેદ્ય પણ પ્રભુ, રવાણી અને સ્તન (ચૌર) એમ ત્રણ પ્રકારે છે. આ આચ્છેદ્ય નિષિદ્ય કર્યું છે, તેથી સાધુને ગ્રહણ કરવું કહ્યું નહિ /૩૬૬ો ટીકાર્થઃ પૂર્વે કહેલા અર્થવાળું આચ્છેદ્ય પણ ‘ત્રિવિણં ત્રણ પ્રકારે છે, તે આ પ્રમાણે : '7' પ્રભુના વિષયવાળું એટલે કે માલિકરૂપી કત્તાને આધીન રહેલું, એ જ પ્રમાણે “સ્વામિન' સ્વામીના વિષયવાળું, અને સ્તન - ચૌરના વિષયવાળું, આ ત્રણેય પ્રકારનું આદ્ય તીર્થકરો અને ગણધરોએ ‘પ્રતિષ્ઠ' નિષિદ્ધ કર્યું છે, તેથી સાધુઓને તે ગ્રહણ કરવું કલ્યું નહિ. ૩૬૬ll તેમાં પ્રથમ પ્રભુના વિષયવાળું (આચ્છેદ્ય) કહે છે : मू.०- गोवालए य भयए - ऽखरए पुत्ते य धूय सुण्हाए । अचियत्त संखडाई, केई पओसं जहा गोवो ॥३६७॥ મૂલાર્થ ગોવાળ, ભૂતક, અક્ષરક (દાસ), પુત્ર અને નુષા (પુત્રવધૂ)ના વિષયવાળું આચ્છેદ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy