SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ | | ઉભિન્નને વિષે અપવાદ / (૨૩૯ मू.०- घेप्पइ अकुंचियागम्मि, कवाडे पइदिणे परिवहंते ॥ अजउमुद्दिय गंठी, परिभुज्जइ दद्दरो जो य ॥३५६॥ મૂલાર્થ કુંચી વિનાના અને હંમેશા ઉઘાડાતા તથા દેવાતા હોય તેવા કપાટ સતે ગ્રહણ કરાયા છે, તથા જંતુથી મુદ્રિત નહિ કરેલ જે દર્દર (વસ્ત્ર) હંમેશાં ભોગવાતો હોય અને તેની માત્ર ગાંઠ જ વાળી હોય તો પણ તે ગ્રહણ કરાય છે ૩૫ell. ટીકાર્થ : “કવિ કુંચી રહિત એટલે કુંચીના વિવર - છિદ્ર રહિત હોય, તેમાં પાછળના ભાગમાં ઉલ્લાલક – આગળીયો હોતો નથી, તેથી ઘસાવાદ્વાર જંતુની વિરાધના થતી નથી અથવા તો ‘અકૂફયાને ઉત્ત' એવો પાઠ હોય તો નિહિતે' કંકાર શબ્દ (ખડખડાટ) રહિત, એટલે કે – ઉઘાડાતા કપાટ, ફેંકાર (કીચૂડ કીચૂડ એવા અસ્પષ્ટ) શબ્દને કરતો ન હોય તો, કેમકે તે કપાટ પાછળ કરતી વખતે બંધ કરતી વખતે ઉપર નીચે અને તિર્યફ ઘસાવાથી ઘણા જંતુનો નાશ કરે છે, તેથી તેનું (કંકારવવાળા કપાટનું) વર્જવું કહ્યું તે પણ કમાડ) વળી કેવું હોય? તે કહે છે ‘પ્રતિનિ' હંમેશાં એટલે નિરંતર પ્રતિવતિ' ઉઘાડાતો અને વસાતો બંધ કરાતો) હોય, કેમકે – તેવાને વિષે પ્રાય). ઘરોળી આદિ પ્રાણીનો આશ્રય સંભવતો નથી. કેમકે-ચિરકાળ સુધી અવસ્થાનનો એક રીતે જ રહેવાનો - ઉઘાડા કે બંધનો) અભાવ છે, આવા પ્રકારનો કપાટ દ્વાર) સાધુને માટે ઉઘાડે સતે (ઉઘાડીને) ગૃહસ્થ જે વસ્તુ આપે તે ગ્રહણ કરાય છે. આ સ્થવિરકલ્પીઓને આશીર્ણ છે. તથા વળી જે ‘ર્વર.' કુતુપાદિકના મુખે બાંધવાનો વસ્ત્રનો કકડો તે હંમેશાં મુખ્યતે' ભોગવાતો એટલે કે - બંધાતો છોડાતો હોય, તેમાં પણ જો જતુની મુદ્રા (લાખના સીલ) વિના કેવળ તે વસ્ત્રની ગાંઠ દેવાતી હોય તેમજ તેની ઉપર સચિત્ત પૃથ્વીકાયાદિકનો લેપ થતો ન હોય, તો તે (ગાંઠ દીધેલ વસ્ત્ર) સાધુને માટે છોડીને જે (ભક્તાદિ) દેવાય તે સાધુઓને ગ્રાહ્ય છે. ઇતિ ૩પદી. ઉભિન્નદ્વાર કહ્યું. હવે માલાપહૃતધાર કહે છે : मू.०- मालोहडं पि दुविहं, जहन्नमुक्कोसगं च बोद्धव्वं ॥ अग्गतलेहि जहन्नं, तव्विवरीयं तु उक्कोसं ॥३५७॥ મૂલાર્થ માલાપહત પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારે જાણવું. તેમાં પગના અગ્રભાગ વડે અને તળીયા વડે જઘન્ય અને તેનાથી વિપરીત હોય તે ઉત્કૃષ્ટ છે. ૩૫થી ટીકાર્થ માલાપહત બે પ્રકારે છે, તે આ પ્રમાણે જઘન્ય અને ઉત્કૃષ્ટ. તેમાં પૃથ્વી ઉપર સ્થાપન કરેલા બે પગના અગ્રભાગ વડે એટલે ફણા વડે તથા ઊંચી કરેલી બે પાની વડે (એટલે કે - પગના અંગુઠા ઉપર ઊભા રહીને) ઉપર લટકાવેલા ઊંચા સીંકા વગેરેમાં રહેલ જે (ભક્તાદિક) દેનાર સ્ત્રીની દૃષ્ટિના અવિષયવાળું હોય તે લઈને જે દેવાય તે જઘન્ય માલાપહત કહેવાય છે. તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy