SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ | | ‘રા વિદ્યા ૨' ની વ્યાખ્યા ! (૨૩૭ વિરાધના થાય છે, વિશેષ એ કે - છઠ્ઠી વસકાય રૂપ કાયને વિષે વિરાધાતા જંતુઓ પૃથ્વીને આશ્રીને રહેલા “ મુ લ્ય:' કીડી, કુંથવા વગેરે જાણવા li૩૫૧ી. હવે તાળ વિવU ' એ અવયવની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા કહે છે કે : मू.०- परस्स तं देइ स एव गेहे, तेल्लं व लोणं व धयं गुलं वा ॥ उग्घाडिए तम्मि करे अवस्सं, स विक्कयंतेण किणाइ अन्नं ॥३५२॥ મૂલાર્થ તે ઉઘાડે સતે બીજાને અથવા પોતાના જ ઘરમાં તેલ, લવણ, ઘી અથવા ગોળ આપે છે. અથવા તે અવશ્ય વિક્રય કરે છે, અને તેના વડે બીજું ખરીદ કરે છે ઉપરી ટકાર્થ તે કુતુપાદિકનું મુખ સાધુને માટે ઉઘાડે સતે ‘પર' બીજા યાચક કે ગ્રાહક આદિને અથવા પોતાના જ ઘરમાં પુત્રાદિકને તેલ, લવણ, ઘી કે ગોળને આપે છે. અથવા તો તે અવશ્ય વિક્રય કરે છે, અને તેના મૂલ્ય વડે કરીને બીજું ખરીદે છે. આ સર્વ (પરંપરા) સાધુને માટે ઉઘાડે સતે પ્રવર્તે છે, તેથી સાધુને પ્રવૃત્તિ દોષ લાગે છે. ૩૫રા અને તેમ થયે સતે જ મદિર' એ અવયવની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા કહે છે : मू.०- दाणे कयविक्कए वा, होई अहिगरणमजयभावस्स ॥ निवयंति जे य तहियं, जीवा मुइयंगमूसाई ॥३५३॥ મૂલાર્થઃ દાનને વિષે અથવા ક્રયવિક્રયને વિષે અસંયમના ભાવવાળા સાધુને અધિકરણ લાગે છે, તથા ત્યાં મુઇંગ, મૂષક વગેરે જે જીવો પડે છે તે પણ અધિકરણ લાગે છે ૩૫૩ ટીકાર્થ : જેનું સ્વરૂપ હમણાં જ કહી ગયા છીએ તે દાનને વિષે અથવા ક્રય-વિક્રયને વિષે પ્રવર્તત સતે “યતમવેચ' અયત એટલે અશુદ્ધ આહારનો ત્યાગ નહિ કરવાથી જીવરક્ષા રહિત છે ભાવ એટલે અધ્યવસાય જેનો એવા સાધુને ‘ધર' - અધિકરણરૂપ પાપપ્રવૃત્તિ ઉત્પન્ન થાય છે. તથા તે કુતુપાદિકનું મુખ ઉઘાડે સતે (ઉઘાડું રહે સતે) જે મુઇંગ-કીડી, કુંથુઆ, મૂષક-ઉંદર વગેરે જીવો તેમાં પડે છે, અને પડીને વિનાશ પામે છે, તે અધિકરણ પણ સાધુને જ છે. ૩૫૩ હવે તે વેવ વાવ' એ અવયવની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા કહે છે કે : मू.०- जहेव कुंभाइसु पुव्वलित्ते, उब्भिज्जमाणे य हवंति काया ॥ __ ओलिंपमाणे वि तहा तहेव, काया कवाडम्मि विभासियव्वा॥३५४॥ મૂલાર્થ : જેવી રીતે પૂર્વે લીંપેલા કુંભાદિક ઉઘાડે સતે તથા પછીથી લીંપાતે સતે પણ પૃથ્વીકાયાદિકની વિરાધના થાય છે, તે જ રીતે કપાટને વિષે પણ કાયવિરાધના કહેવી. ૩૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy