SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬) શ્રી પિંડીનયુક્તિગ્રંથનો અનુવાદ પણ જાણવા. તે આ પ્રમાણે – જળ વડે આર્ટ્સ કરીને લીંપે છે, અથવા જતુ (લાખ) ને તપાવીને મુદ્રા (સીલ) કરે છે ૩૫ના ટીકાઃ અહીં દર્દક-દાદરની ઉપર (રહેલ) કુતુપ-કુડલા વગેરેનું મુખ, કદાચ તેનું ઢેફ અથવા ‘શિતા' પત્થરનો કકડો નાંખીને જળ વડે આÁ કરેલા સચિત્ત પૃથ્વીકાય વડે લીંપેલું હોય છે. ત્યાં સચિત્ત પૃથ્વીનો લેપ સચિત્ત સતો ચિરકાળ સુધી પણ રહે છે, અને જળ તો ‘વિરનિસે' થોડા કાળમાં લીંપેલાને વિષે સંભવે છે. આનો ભાવાર્થ એ છે કે – જો ચિરકાળ સચિત્ત પૃથ્વીકાયથી લીંપેલનો ઉદ્દભેદ કરાય (ઉઘાડાય), તો સચિત્ત પૃથ્વીકાયનો વિનાશ થાય. અને અચિર (તાજું) લિમનો ઉદ્દભેદ કરાય તો અપકાયનો પણ વિનાશ થાય. અહીં અચિરલિપ્ત પણ અંતર્મુહૂર્તકાળની મધ્ય વર્તતું જાણવું, અંતર્મુહૂર્તની પછી પૃથ્વીકાયરૂપ શસ્ત્રના સંપર્કથી જળ અચિત્ત થઈ જાય છે. તેથી તેની (અપકાયની) વિરાધના રૂપ દોષ લાગતો નથી. આ ઉપલક્ષણ છે. તેથી તેના આશ્રયે રહેલા ત્રસાદિકનો પણ વિનાશ સંભવે છે એમ જાણવું (૩૪૯). ‘વં' આ પ્રકાર વડે એટલે પૂર્વલિતને સાધુને માટે ઉધાડે સતે જે દોષો કહ્યા, તે જ પૃથ્વીકાયાદિકની વિરાધનારૂપ દોષો “પત્તિમાને વિ' (લેખાતે સતે પણ) એટલે કુતુપાદિકના મુખ થકી તેલ, ઘી વગેરે સાધુને આપીને બાકી વધેલાનું રક્ષણ કરવા માટે ફરીથી કુતુપાદિકનું મુખ ઢંકાતે-લીપાતે સતે જાણવા. તે આ પ્રમાણે - ફરીને કુતુપાદિકનાં મુખને જળ વડે આર્ટ્સ કરેલા સચિત્ત પૃથ્વીકાય વડે લીંપે છે, તેથી પૃથ્વીકાયની વિરાધના અને અપકાયની વિરાધના થાય છે. તથા પૃથ્વીકાયને વિષે મુગાદિક-મગ વગેરે અને કટિકાદિક-કીડી વગેરે સંભવે છે, તેની પણ વિરાધના થાય છે. તથા વળી કોઈક નિશાનીને માટે જતુ (રાળ)ને તપાવીને કુતુપાદિકના મુખની ઉપર જતુની મુદ્રાને કરે છે – સીલ કરે છે, ત્યારે અગ્નિકાયની વિરાધના પણ થાય છે, અને જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ પણ હોય છે. તેથી વાયુકાયની પણ વિરાધના થાય છે. તેથી કરીને પિરિતોભિન્નને વિષે છએ કાયની વિરાધના થાય છે. ૩૫વા આ જ અર્થને સ્પષ્ટ કહે છે : मू.०- जह चेव पुव्वलित्ते, काया दाउं पुणो वि तह चेव ॥ उवलिप्यंते काया, मुइअंगाई नवरि छटे ॥३५१॥ મૂલાર્થઃ જે પ્રમાણે પ્રથમ લીંપેલાને વિષે કાયની વિરાધના છે, તે જ પ્રમાણે દાન દઈને ફરીથી લીંપતા કાયની વિરાધના થાય છે. વિશેષ એ કે - છઠ્ઠી કાયમાં મુશૃંગાદિકની વિરાધના જાણવી. li૩પ૧ ટીકાર્થઃ વળી જે પ્રમાણે પૂર્વે લીંપેલાને વિષે ‘યાઃ' પૃથ્વીકાયાદિકની વિરાધના થાય છે, તે જ પ્રમાણે સાધુઓને તૈલાદિક આપીને ફરીથી પણ તે કુતુપાદિકનું મુખ લીંપાતે સતે કાયોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy