SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ || “મિત્તે છેદક્ષા' (ગા. ૩૪૮ ની) વ્યાખ્યા || (૨૩૫ બે પ્રકારે છે. તે આ પ્રમાણે : પ્રાસુક અને અપ્રાસુક, એટલે અચેતન અને સચેતન તેમાં ‘માસુ સચિત્ત પૃથિવ્યાદિમય અને “પ્રભુ છગણાદિ અને દર્દક. તેમાં છગણ એટલે ગાયનું છાણ. આદિશબ્દથી ભસ્મ (રાખ) વગેરેનું ગ્રહણ કરવું અને દર્દક એટલે વસ્ત્રોનો કકડો વગેરે બરણી આદિનાં) મુખનું બંધન. ૩૪ અહીં પિરિતોભિન્ન અને કપાટોભિન્નને વિષે દોષોને કહેવાની ઇચ્છાથી કહે છે : પૂ.૦- મિત્તે છahયા, તાને વિદાય મંદિર છે. ते चेव कवाडंमि वि, सविसेसा जंतमाईसु ॥३४८॥ મૂલાર્થ : ઉભિન્નને વિષે છકાયની વિરાધના થાય છે તથા પુત્રાદિકને દેવામાં, અને ક્રય-વિજ્ય કરવામાં અધિકરણ દોષ લાગે ચે, કપાટને વિષે પણ તે જ દોષો જાણવા, અને યંત્ર વગેરેને વિષે વિશેષે કરીને દોષો જાણવા. ૩૪૮ ટીકાર્થ ‘ત્રેિ' પિહિતો ભિન્નને વિષે ‘પયા: ઉઘાડવાને કાળે-ઉઘડતી વખતે પૃથ્વીકાયાદિક છકાયની વિરાધના થાય છે. તેથી પ્રથમ સાધુને નિમિત્તે કુતુપાદિકનું મુખ ઉઘડે સતે પુત્રાદિને તૈલાદિક દેવામાં, તથા ક્રય અને વિજ્યમાં ‘ધવારી' પાપની પ્રવૃત્તિ થાય છે. તથા આ જ છકાયની વિરાધનાદિક દોષો “પટેfપ' કપાટોભિન્નને વિષે (કમાડ ઉઘાડવાને વિષે) પણ લાગે છે. અને ‘યંત્રવિપુ' યંત્રરૂપ કપાટાદિને વિષે તો વિશેષ કરીને દોષો જાણવા. તેમાં જે અત્યંત સંપુટને પામેલા (કપાટકમાડ) હોય અને કુંચી વડે ઉઘડતા હોય, તથા જે દર્દક-દાદરની ઉપર પિટ્ટણિકા-ધાબાના એક દેશ (ભાગ)માં વર્તનાર માળના પ્રવેશરૂપ દ્વારને (બારણાંને) વિષે હોય તે યંત્રરૂપ કપાટ કહેવાય છે. આદિ શબ્દથી પરિઘ-ભાગોળ વગેરેનું ગ્રહણ કરવું. ૩૪૮ હવે આ જ ગાથાની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા પ્રથમ ‘મ્બિન્ને છઠ્ઠાયા' એ અવયવનું વ્યાખ્યાન કરતા સતા બે ગાથાને કહે છે : मू.०- सच्चित्तपुढविलित्तं, लेलु सिलं वाऽवि दाउमोलित्तं ॥ सच्चित्तपुढविलेवो, चिरं पि उदगं अचिरलित्ते ॥३४९॥ एवं तु पुव्वलित्ते, काया उल्लिंपणेऽवि ते चेव ॥ तिम्मेउं उवलिंपइ, जउमुदं वावि तावेउं ॥३५०॥ મૂલાર્થ : ઢેકું કે પત્થર નાખીને જે લીંપેલું હોય તે સચિત્તપૃથ્વીલિપ્ત કહેવાય છે. સચિત્ત પૃથ્વીનો લેપ ચિરકાળ સુધી રહે છે. અને અચિરકાળે લીંપેલાંમાં ઉદક (અકાય) સંભવે છે (૩૪૯). એ જ પ્રમાણે પ્રથમ લીંપેલાને વિષે જે દોષ કહ્યાં, તે જ કાયદોષ ઉસ્લિપનને વિષે (પછીથી લીંપવાને વિષે) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy