SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ // શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ / મૂલાર્થ પિંડ, નિકાય, સમૂહ, સંપિંડન, પિંડના, સમવાય, સમવસરણ, નિચય, ઉપચય, ચય, યુગ્મ અને રાશિ. (આ પિંડ શબ્દના પર્યાયો છે.) (૨) ટીકાર્થઃ આ સર્વે સામાન્યથી પિંડ શબ્દના પર્યાયો છે. અને વિશેષની અપેક્ષાએ કોઈ અર્થને વિષે રૂઢ છે. તેમાં પિંડ શબ્દ ગોળનો પિંડો એ વગેરે રૂપી સંઘાતમાં રૂઢ છે, નિકાય શબ્દ ભિક્ષુકાદિના સમૂહને વિષે રૂઢ છે, સમૂહ શબ્દ મનુષ્યાદિકના સમુદાયમાં રૂઢ છે, સંપિંડન શબ્દ સેવ વગેરે તથા ખંડપાક આદિના (શવ અને ખાંડના-શેવની તલધારી લાપસી સંભવે છે.) પરસ્પર સમ્યફ પ્રકારના સંયોગને વિષે રૂઢ છે, પિંડના શબ્દ પણ તે જ સંયોગોમાં રૂઢ છે. કેવળ મળવા પાત્રના સંયોગમાં રૂઢ છે, સમવાય શબ્દ વણિક વગેરેના સંઘાતમાં રૂઢ છે, સમવસરણ શબ્દ તીર્થંકરની દેવ-મનુષ્ય અને અસુરો સહિતની પર્ષદાના અર્થમાં રુઢ છે. નિચય શબ્દ સૂકર (સુવર) વગેરેના સંઘાતમાં રૂઢ છે, ઉપચય શબ્દ પ્રથમની અવસ્થા થકી મોટા થએલા સંઘાત વિશેષમાં રૂઢ છે, ચય શબ્દ ઇંટોની રચના વિશેષમાં રૂઢ છે. યુગ્મ શબ્દ બે પદાર્થના સંઘાતમાં રૂઢ છે. રાશિ શબ્દ સોપારી વગેરેના સમૂહમાં રૂઢ છે. આ પ્રમાણે અહીં લોકમાં જો કે – પિંડાદિક શબ્દો અમુક જ સંઘાત વિશેષમાં રૂઢ છે, તો પણ સામાન્યથી જે વ્યુત્પત્તિના નિમિત્તવાળું માત્ર સંઘાતપણાનું જ લક્ષણ છે, તે સર્વ પર્યાયોમાં અવિશેષપણે (સામાન્યપણે) રહેલું છે, એમ ધારીને સામાન્યથી સર્વ પિંડાદિક શબ્દો એક અર્થવાળા કહ્યા છે. તેથી કાંઈ દોષ નથી. તેરા આ પ્રમાણે પિંડ શબ્દના પર્યાયો કહીને હવે તેના ભેદોની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા આચાર્ય કહે છે. मू.०- पिण्डस्स उ निक्खेवो, चउक्कओ छक्कओ व कायव्वो । નિવેવં # lif, પરૂવUT તરસ વાયવ્વા રૂા મૂલાર્થઃ વળી પિંડનો નિક્ષેપ ચાર પ્રકારનો અથવા છ પ્રકારનો કરવા લાયક છે. એ પ્રમાણે નિક્ષેપ કરીને પછી તેની (પિંડની) પ્રરૂપણા કરવા લાયક છે. II ટીકાર્થઃ પૂર્વે જેનો શબ્દાર્થ કહ્યો છે એવા પિંડનો, ‘તુ'- શબ્દ “પુન:' - અર્થવાળો છે, અને તે નિક્ષેપ શબ્દની પછી જોડવો. એટલે “નિક્ષેપઃ પુનઃ' - નામાદિકના સ્થાપનરૂપ નિક્ષેપ તો ચાર પ્રકારનો અથવા છ પ્રકારનો કરવા લાયક છે. તેમાં ચાર છે પરિમાણ જેનું તે “વતુ - કહેવાય છે. “સંધ્યા તેથ૦'- (સિ. હૈ. ૬-૪-૧૩૦) એ સૂત્રથી અહીં ‘* - પ્રત્યય થયો છે. ત્યાર બાદ ફરીથી સ્વાર્થિક “ - પ્રત્યયના વિધાનથી ‘વતુ - થાય છે. એ જ પ્રમાણે “પ - શબ્દ પણ કહેવો. અહીં જે વસ્તુને વિષે સમ્યફપ્રકારે વિસ્તારથી નિક્ષેપ જાણવામાં ન હોય અથવા જાણ્યા છતાં વિસ્મૃતિમાર્ગને (વિસ્મરણને) પામ્યો હોય, ત્યાં પણ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ રૂપ ચાર પ્રકારનો નિક્ષેપ અવશ્ય કરવો, એમ જણાવવા માટે “વતુ - શબ્દનું ગ્રહણ કર્યું છે. અને જયાં તથા પ્રકારના ગુરૂસંપ્રદાયથી વિસ્તારથી (નિક્ષેપ) જાણ્યો હોય અને જાણ્યા પછી પણ વિસ્મૃતિમાર્ગને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy