SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬) II શ્રી પિડનિયુક્તિગ્રંથનો અનુવાદ / અભ્યાહત અને નોનિશીથ અભ્યાહૂત એમ બે પ્રકારે છે. તેમાં નિશીથાભ્યાહતને સ્થાપન કરીને હમણાં નોનિશીયાભ્યાહૂતને કહું છું. If૩૨૯ો. ટીકાર્થ : અભ્યાહત બે પ્રકારે છે. તે આ પ્રમાણે : આશીર્ણ અને અનાચાર્ણ તેમાં અનાચીર્ણ બે પ્રકારે છે. તે આ પ્રમાણે – નિશીય અભ્યાહત અને નોનિશીથ અભ્યાહતઃ તેમાં નિશીથ એટલે મધ્યરાત્રિ. તે સમયે જે આણેલું હોય તે ગુપ્ત હોય છે. એ જ પ્રમાણે સાધુઓને પણ જે અજાણ્યું અભ્યાત હોય. તે નિશીથ અભ્યાહતની જેમ નિશીથ અભ્યાદત કહેવાય છે. અને તેનાથી જે વિપરીત હોય તે નોનિશીથ અભ્યાહત કહેવાય - કે જે, સાધુઓને “આ અભ્યાહત છે' એમ જાણવામાં હોય. તેમાં નિશીથ અભ્યાહતને હમણાં સ્થાપન કરવું (રાખી મૂકવું) અર્થાત્ તેનો અર્થ આગળ ઉપર કહીશ. હમણાં તો હું નોનિશીથ અભ્યાહતને કહેવાને ઇચ્છું છું. ૩૨લા પ્રતિજ્ઞા કરેલને જ કહે છે : મૂ. - સમ પર, સસ પરેલમેવ વોબંડ્યું છે दुविहं तु परग्गामे, जल थल नावोडुजंघाए ॥३३०॥ મૂલાર્થ તે સ્વગ્રામ અને પરગ્રામના વિષયવાળું એમ બે પ્રકારે છે. તેમાં પરપ્રામના વિષયવાળું પણ સ્વદેશ અને પરદેશસંબંધી એમ બે પ્રકારે છે. તે દરેકના બે પ્રકાર છે : જલમાર્ગે અને સ્થલમાર્ગે. તેનાં નૌકા વડે અને ઉડુપ (હોડકા) વડે એમ જળમાર્ગના બે ભેદ છે તથા સ્થળમાર્ગે લાવેલું પણ જંઘા વડે અને ગાડાં વડે એમ બે ભેદે છે. ૩૩૦ ટીકાર્થ ઃ મોનિશીથ અભ્યાહત બે પ્રકારે છે. તે આ પ્રમાણે : “વારે પોતાના ગામના વિષયવાળું અને ‘પાને પરગામના વિષયવાળું. તેમાં જે ગામને વિષે સાધુ રહે છે, તે સ્વગ્રામ કહેવાય છે. બાકીના પરગ્રામ કહેવાય છે. તેમાં “રા' પરગામ સંબંધી અભ્યાહત બે પ્રકારે છે. તે આ પ્રમાણે – સ્વદેશ અને પરદેશ : એટલે કે સ્વદેશ અને પરગામથી અભ્યાહત (આણેલું) તથા પરદેશ અને પરગામથી અભ્યાહતા. તેમાં જે દેશને વિષે સાધુ રહેલો છે. તે સ્વદેશ અને બાકીનો પરદેશ કહેવાય છે. આ બન્ને પ્રકારના અભ્યાહતના પણ પ્રત્યેકના બબ્બે પ્રકાર છે. તે આ પ્રમાણે - ‘નત્તથત ત્તિ' સૂવનાસ્તૂત્ર (સૂચન કરવા થકી સૂત્ર કહેવાય છે) એ ન્યાયથી જળમાર્ગે અભ્યાહત અને સ્થળમાર્ગે અભ્યાહત: તેમાં જલમાર્ગ અભ્યાહ્નત પણ બે પ્રકારે છે. નાવ વડે અને ઉડુપ વડે (આણેલું). આ ઉપલક્ષણ છે. તેથી થોડા જળનો સંભવ હોય તો જંઘા (પગ) વડે પણ (આણેલું) હોય છે. તેમાં નૌ એટલે નૌકા (વહાણ) અને ઉડુપ એટલે તરવાનું કાષ્ઠ (હોડકું-ત્રાપો) તથા ઉડુપ શબ્દ કહેવાથી તુંબડું વગેરે પણ ગ્રહણ કરેલ છે, એમ જાણવું. સ્થલમાર્ગ અભ્યાહત પણ બે પ્રકારે છે. તે આ પ્રમાણે ‘બંધમ્યા” બે પગ વડે આ ઉપલક્ષણ છે. તેથી “ગાડી-ગાડાં વગેરે વડે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy