SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪) || શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ છે વિવફા કરેલા ભોજનદાનનું સાધુ માટેનાં ભિક્ષાદાનની સાથે પશ્ચાતુ કરવું-મોડું કરવું, તે ઉત્સર્પણ કહેવાય છે. ૨૮૬ll અથવા પૂર્વે કહેવું માતાનું વચન બાળકે સાંભળ્યું સતે તે ‘પૂક્કો’ બાળક તે સાધુને આંગળી વડે ગ્રહણ કરીને જ્યાં પોતાનું ઘર છે, તે તરફ આકર્ષણ કર (ખેંચે). ત્યારે સાધુ તે બાળકને પૂછે છે કે - “તું મને કેમ ખેંચે છે?” ત્યારે તે બાળક બચપણને લીધે સરલ હોય છે તેથી યથાર્થ કહે. તે વખતે બાળકે તેમ યથાર્થ કહ્યું સતે તે સાધુ ઉત્સર્પણરૂપ સૂક્ષ્મ પ્રાભૂતિકાદોષ ન લાગે માટે ત્યાં જાય નહિ. આ સર્વ ઉપર કહી તે સૂક્ષ્મ પ્રાકૃતિકા છે. ૨૮થી હવે (ગાથા ૨૮૫ના) “બૈટ્ટી સમોસર એ અવયવની વ્યાખ્યા કરવાને ઇચ્છતા નિર્યુક્તિકાર પ્રથમ અવધ્વષ્કણરૂપ બાદરપ્રાકૃતિકા કહે છે : मू.०- पुत्तस्स विवाहदिणं ओसरणे अइच्छिए मुणिय सड्ढी ॥ ओसकंतोसरणे, संखडिपाहेणगदवट्ठा ॥२८८॥ મૂલાર્થ: સાધુસમુદાય વિહાર કરે સતે પુત્રના વિવાહનો દિવસ જાણીને શ્રાવક તે સાધુસમુદાયને વિવાહને વિષે મોદકાદિક અને પાણી વગેરે આપવાને માટે તે વિવાહના દિવસને વહેલો કરે છે ||૨૮૮ ટીકાઈઃ જ્યોતિષીએ પુત્રનો અને ઉપલક્ષણથી પુત્રી વગેરેનો જણાવાતો વિવાહદિન, ‘અવસરળે' સાધુસમુદાયનો જે પ્રકારનો વિહારનો ક્રમ હોય - જે ક્રમ મુજબ પોતાને ગામે સાધુસમુદાય આવી ગયા પછી આવતો હોવાનું સાંભળીને શ્રાવક તે વિવાહને પહેલાં કરે છે એટલે કે – પહેલાનો દિવસ જોઈને વિવાહ કરે છે. શા માટે? તે કહે છે – “સમવસરો’ ષષ્ઠી અને સપ્તમીનો અર્થ સમાન હોવાથી સમવસરણ્ય' સાધુસમુદાયને સંખડીને વિષે “પ્રણવ મોદક વગેરે અને ‘વ’ ચોખાનું ધોરણ વગેરે ‘ઈ’ તેને આપવા માટે (વહેલો વિવાહ કરે છે) આનો ભાવાર્થ પ્રથમ ગાથાને વિષે જ કહ્યો છે // ૨૮૮ હવે ઉત્સર્પણરૂપ બાદર પ્રાકૃતિકાને કહે છે : मू.०- अप्पत्तंमि य ठवियं, ओसरणे होहिइ त्ति उस्सकणं ॥ મૂલાર્થ સ્થાપન કરેલ વિવાહનો દિવસ સાધુસમુદાય આવ્યા પહેલાં થઈ જશે, એમ વિચારીને ઉત્સર્પણ કરે છે ટીકાર્થ : સ્થાપન કરેલ વિવાહનો દિવસ નિશ્ચયન ‘અપ્રણે' યોગ્ય વિહારના ક્રમ વડે નહિ આવેલ એવા “અવસરળ' સાધુસમુદાય (નહિ આવ્ય) સત થઈ જશે, તેથી મારું વિવાહ સંબંધી કાંઈપણ દ્રવ્ય સાધુને ઉપકારક થશે નહિ. એમ વિચારીને વિવાહનું ઉત્સર્પણ કરે અર્થાત્ સાધુને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy