SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ || ‘તત્કૃષ્ટ દ્વાર બીજાની વ્યાખ્યા છે. (૧૫૫ અપેયને તે જ પ્રકારે અંગીકાર કરવા જોઈએ. હવે તે આધાકર્મ વડે સ્પર્શ કરાયેલનું અકથ્યપણું કહે છે : मू.०- वनाइजुया वि बली, सपललफलसेहरा असुइनत्था ॥ __ असुइस्स विप्पुसेण वि, जह छिक्काओ अभोज्जाओ ॥१९५॥ મૂલાર્થઃ તલ અને શ્રીફળ સહિત ઉત્તમવર્ણાદિકે કરીને સહિત એવો બળિ પણ જો અશુચિસ્થાનમાં સ્થાપન કર્યો સતો અશુચિના એક બિંદુ વડે પણ સ્પર્શ કરાયો હોય તો અભો થાય છે, તેમ અહીં પણ જાણવું. // ૧૯પા. ટીકાર્થ જેમ ઉત્તમ વર્ણાદિકવડે યુક્ત એવો પણ ‘વતિઃ' ઉપહાર (ભેટ), “સપનzશે:' અહીં પલલ એટલે તલનું ચૂર્ણ કહેવાય છે અને ફળ એટલે નાળિયેર વગેરે, તે સહિત ‘શેવર:' શિખા છે જેની એવો સતો પણ, અર્થાત આવો ન હોય તે તો દૂર રહો, એમ “' શબ્દનો અર્થ જાણવો. આ કહેવાથી આ બળિનું પ્રધાનપણું કહ્યું. એવા પ્રકારનો તે બળિ પણ જયારે અશુચિમાં સ્થાપન કર્યો હોય એટલે વિષ્ઠાની ઉપર સ્થાપન કર્યો તો અશુચિના “વિપુષેપ' એક બિંદુવડે પણ. લચકાવડે તો દૂર રહો એમ ‘મપિ' શબ્દનો અર્થ જાણવો. સ્પર્શ કરાયો હોય, ત્યારે અભોજ્ય થાય છે. એ જ પ્રમાણે નિર્દોષપણાને લીધે ભોય એવો પણ આહાર આધાકર્મના અવયવથી સ્પર્શ કરાયો હોય તો તે સાધુને અભોજય જાણવો I/૧૯૫ પાત્રમાં રહેલાનું અકથ્યપણું કહે છે : मू.०- एमेव उज्झियम्मि वि, आहाकम्मम्मि अकयए कप्पे ॥ ____ होइ अभोज्जं भाणे, जत्थ व सुद्धेऽवि तं पडियं ॥१९६॥ મૂલાર્થ એ જ પ્રમાણે આધાકર્મનો ત્યાગ કર્યો હોય તો પણ જ્યાં સુધી કલ્પ ન કર્યો હોય ત્યાં સુધી તે અભોજ્ય હોય છે. અથવા જે પાત્રને વિષે શુદ્ધ આહાર હોય તેમાં તે આધાકર્મ જરા પણ પડ્યું હોય, તો તે પણ અભોજ્ય હોય છે. II૧૯૬ll ટીકાર્થ જેમ આધાકર્મના અવયવ વડે સ્પર્શ કરાયેલું અભોય છે, તે પ્રમાણે જે પાત્રમાં તે આધાકર્મ ગ્રહણ કર્યું હોય તે આધાકર્મનો (તે પાત્રમાંથી) ત્યાગ કર્યો હોય તો પણ તે પાત્ર) મજૂત કન્વે’ આગળ કહેવાશે તે પ્રકારે ત્રણ કલ્પ વડે તેનું પ્રક્ષાલન કર્યું ન હોય, અથવા જે પાત્રને વિષે પ્રથમ ગ્રહણ કરેલા શુદ્ધ ભોજનમાં પણ જરા માત્ર જ આધાકર્મ પડ્યું હોય, તે ભાજનમાં પ્રથમ ગ્રહણ કરેલ શુદ્ધ આહાર અને આધાકર્મ એ બંનેનો ત્યાગ કર્યા પછી ‘અમૃતત્ત્વ' એટલે આગળ કહેવાશે તે પ્રકારે ત્રણ કલ્પ કર્યા વિના જે ફરીથી આહાર નંખાય તે શુદ્ધ હોય તો પણ અભય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy