________________
૧૩)
શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ મૂલાર્થ : હવે પછી ચારિત્રની સાથે હું કહીશ. ૧૫પા
ટીકાર્થ: હવે પછી ચારિત્રની સાથે જે બે ચતુર્ભગિકા થાય છે, તેના ઉદાહરણોને હું કહીશ. I૧૫પા.
તેમાં ચારિત્ર અને અભિગ્રહની આ (પહેલી) ચતુર્ભગિકા છે - ચારિત્રથી સાધર્મિક હોય અને અભિગ્રહથી ન હોય (૧) અભિગ્રહથી સાધર્મિક હોય અને ચારિત્રથી ન હોય (૨) ચારિત્રથી અને અભિગ્રહથી- બન્નેથી સાધર્મિક હોય (૩) તથા ચારિત્રથી સાધર્મિક ન હોય અને અભિગ્રહથી પણ ન હોય (૪) તેમાં પહેલા બે ભંગના ઉદાહરણ કહેવાને ઇચ્છતા સતા કહે છે :
मू.०- जइणो वीसाभिग्गह, पढमो बिय निण्हसावगजइणो उ (ईणो) ॥ મૂલાર્થ જુદા પ્રકારના અભિગ્રહવાળા યતિઓ, તે પહેલો ભંગ (૧) અને નિદ્વવ શ્રાવક તથા યતિઓ, એ બીજો ભંગ છે.
ટીકાર્થ : “ચરણથી સાધર્મિક હોય અને અભિગ્રહથી ન હોય એવા પ્રકારનો પહેલો ભંગ છે. તેમાં સમાન ચારિત્રવાળા અને વિશ્વામિપ્રહા' અસમાન અભિગ્રહવાળા યતિઓ જાણવા. અહીં તેઓને માટે કરેલું કલ્પ નહિ (૧) તથા અભિગ્રહથી સાધર્મિક હોય અને ચારિત્રથી ન હોય, એવા પ્રકારનો બીજો ભંગ છે. તેમાં સમાન અભિગ્રહવાળા નિહ્નવો અને શ્રાવકો તથા અસમાન ચારિત્રવાળા યતિઓ જાણવા. અહીં શ્રાવક અને નિતવને માટે કરેલું કહ્યું છે. પણ યતિને માટે કરેલું કહ્યું નહિ (૨) તથા ચારિત્રથી અને અભિગ્રહથી બન્નેથી સાધર્મિક હોય તે સમાન ચારિત્ર અને અભિગ્રહવાળા યતિઓ જાણવા. અહીં તેઓને માટે કરેલું કહ્યું નહિ (૩) તથા ચારિત્રથી સાધર્મિક ન હોય અને અભિગ્રહથી પણ સાધર્મિક ન હોય તે અસમાન ચારિત્ર અને અભિગ્રહવાળા સધુઓ અને અસમાન અભિગ્રહવાળા શ્રાવક અને નિતવો જાણવા. અહીં કથ્ય અને અકથ્યની ભાવના બીજા ભંગના જેવી જાણવી (૪).
હવે ચારિત્ર અને ભાવનાની આ (બીજી) ચતુર્ભગિકા છે. ચારિત્રથી સાધર્મિક અને ભાવનાથી નહિ (૧) ભાવનાથી સાધર્મિક હોય અને ચારિત્રથી ન હોય (૨), ચારિત્રથી અને ભાવનાથી બન્નેથી સાધર્મિક હોય (૩), તથા ચારિત્રથી સાધર્મિક ન હોય અને ભાવનાથી પણ ન હોય (૪) આના ઉદાહરણોને અતિદેશથકી કહે છે.
મૂ. – પર્વ તુ માવળા, વિ . મૂલાર્થ : એ જ પ્રમાણે ભાવનાને વિષે પણ જાણવું.
ટીકાર્થ : જે પ્રમાણે ચારિત્રની સાથે અભિગ્રહને વિષે કહ્યું છે, તે જ પ્રમાણે ભાવનાને વિષે પણ કહેવું. અને તે આ પ્રમાણે : ચારિત્રથી સાધર્મિક હોય અને ભાવનાથી ન હોય તે સમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org