SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ને નામાદિ બાર પ્રકારના સાધર્મિકો (૧૧૩ અથવા મતાંતરે ચારિત્રને વિષે ત્રણ પ્રકારનો સાધર્મિક હોય છે ૧૦, અભિગ્રહને વિષે દ્રવ્યાદિક ચાર પ્રકારનો સાધર્મિક હોય છે ૧૧, તથા ભાવને વિષે અનિત્યાદિક બાર પ્રકારનો સાધર્મિક હોય છે ૧૨. /૧૩૯-૧૪૦-૧૪૧ ટીકાર્થ : “' નામને વિષે સાધર્મિક-સદેશ નામવાળો હોય છે, તેનો ભાવાર્થ કહે છે : વિવલિત (કહેવાને ઇચ્છલ અમૂક) સાધુનું જે નામ હોય તે જ નામ જ્યારે બીજા પણ સાધુનું હોય ત્યારે તે બીજો સાધુ તે પહેલાં) સાધુનો નામ સાધર્મિક થાય છે. જેમકે દેવદત્ત નામનો સાધુ છે, તેનો દેવદત્ત નામનો કોઈપણ સાધુ હોય તે નામસાધર્મિક થાય છે (૧). તથા થાપનાથ' સ્થાપનાને વિષે સાધર્મિક ‘ાષ્ટમંદિ' કાષ્ઠની ઘડેલી પ્રતિમા વગેરે હોય છે. અહીં કોઈએ સ્નેહના વશથી જીવતા કે મરેલા પોતાના પુત્રાદિક સાધુની પ્રતિમા કરાવી હોય, તે પ્રતિમા બીજા જીવતા (હયાત) સાધુઓને સ્થાપના સાધર્મિક કહેવાય છે. મૂલમાં ‘હિં’ શબ્દ લખ્યો છે તેથી પાષાણ વગેરેની પ્રતિમાનું ગ્રહણ કરવું. આ કહેવાથી સદ્ભાવ સ્થાપના સાધર્મિક કહ્યો. પરંતુ જયારે અક્ષાદિકને વિષે સાધુની સ્થાપના કરાય ત્યારે તે અસદ્ભાવ સ્થાપના સાધર્મિક કહેવાય છે (૨) તથા ‘ચ્ચે’ આ ભાવપ્રધાન નિર્દેશ છે તેથી “દવ્યત્વે' દ્રવ્યપણાના વિષયવાળો સાધર્મિક તે છે કે – જે ભવ્ય સાધર્મિકપણાને યોગ્ય હોય. આનો ભાવાર્થ આ પ્રમાણે છેજે મનુષ્ય (સંસારીપણામે લઘુ હોય, પણ) વૃદ્ધિ પામતા તે જ શરીરના સમુછયવડે (ઉંચાઈ વડે સાધુપણુ લઈને) સાધુનો સાધર્મિક થશે, તેથી તે ભવ્ય કહેવાય છે, તથા જે સાધર્મિકનું (સાધુનું) શરીર સિદ્ધશિલાની નીચે વગેરે સ્થળે રહેલું જીવ વિનાનું હોય તે ભવ્ય શરીરરૂપ અને અતીત (ભૂતકાળસંબંધી) સાધર્મિકના શરીરરૂપ હોવાથી (સાધર્મિકનું તે મૃત કલેવર) દ્રવ્યસાધર્મિક કહેવાય છે (૩) તથા “ક્ષેત્રે ક્ષેત્રના વિષયવાળો સાધર્મિક સમાનશી' એક દેશમાં ઉત્પન્ન થયેલો (જન્મેલો) હોય તે (૪). તથા ‘નસાધમિક્ષ સમાનકાળે સાધુ થયેલો હોય તે કાલસાધર્મિક કહેવાય છે (૫) તથા સાધુ આદિમાં છે જેની એવા સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકારૂપી ચાર પ્રકારના સંઘમાંથી અન્ય કોઈપણ હોય તે પ્રવચનસાધર્મિક કહેવાય છે (૬) તથા ‘રયદરમુaષોત્તી' - (‘સૂવનાત્કૃવં' જે સંક્ષેપથી સૂચવન કરે તે સૂત્ર કહેવાય છે. એ ન્યાયથી) રજોહરણ અને મુખવત્રિકાદિક ઉપકરણવાળો જે હોય તે લિંગસાધર્મિક કહેવાય છે (૭). ‘સર્જનસાધfમ સમાન દર્શનવાળો જે હોય તે દર્શન સાધર્મિક કહેવાય છે. દર્શન ત્રણ પ્રકારે છે તે આ પ્રમાણે : સાયિક, લાયોપથમિક અને ઔપથમિક : તેથી દર્શનદ્વારા જે સાધર્મિક હોય તે પણ ત્રણ પ્રકારનો હોય છે. તે આ પ્રમાણે : ક્ષાયિકદર્શનસાધર્મિક, ક્ષાયો પથમિકદર્શનસાધર્મિક અને ઔપથમિકદર્સનસાધર્મિક : તેમાં ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ સાધુ હોય તે ક્ષાયિકસ દ્િષ્ટ સાધનો સાયિકદર્શનસાધર્મિક કહેવાય છે, ઇત્યાદિ (૮). “જ્ઞાનસાધમ:' સમાન જ્ઞાનવાળો જે સાધુ હોય તે જ્ઞાનસાધર્મિક કહેવાય છે. તે જ્ઞાન પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન. તેથી જ્ઞાન દ્વારા સાધર્મિક પણ પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy