SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ છે “ક્સ વાવ' દ્વાર ત્રીજાની વ્યાખ્યા (૧૧૧ એટલે) આધાકર્મના અર્થનું એટલે કે આધાકર્મના વાચ્યનું ઉલ્લંઘન કરાતી નથી. આધાકર્મ શબ્દવાપ્ય જે ઓદનાદિક જે દોષ વડે કરીને દૂષિત થયું હોય તે જ દોષ વડે કરીને દૂષિત થયેલ તે (ઓદનાદિક) ને જ અધઃકર્માદિક શબ્દો પણ કહે છે, એ ભાવાર્થ છે !/૧૩પી. આની જ ભાવના કરે છે : मू.०- आहाकम्मेण अहे-करेति जं हणइ पाणभूआई ॥ जं तं आययमाणो, परकम्मं अत्तणो कुणइ ॥१३६॥ મૂલાર્થ : આધાકર્મ વડે આત્માને નીચે કરે છે, કેમકે તે પ્રાણ અને ભૂતોને હણે છે. જે કારણ માટે તે આધાકર્મ પ્રહણ કરનાર સાધુ પરનાં કર્મને પોતાનું કરે છે. તે ૧૩૬ll ટીકાર્થ ભોજન કરતાં આધાકર્મ વડે કરીને જે કારણે વિશુદ્ધ અને અતિશુદ્ધ એવા સંયમાદિક સ્થાનો થકી ઊતરીને આત્માને નીચે કરે છે, તે કારણથી તે જ આધાકર્મ, અધકર્મ કહેવાય છે. તથા જે કારણથી ભોજન કરાતા આધાકર્મ વડે કરીને તે જ ભોજન કરનાર પરમાર્થથી ‘પ્રાપન'* ક્રિક્રિય વગેરેને “મૂતાન વનસ્પતિકાયને તથા ઉપલક્ષણથી જીવોને (પચેંદ્રિયોને) અને સત્ત્વોને (શેષ પૃથ્વીકાયાદિકને) “ન્તિ' હણે છે એટલે વિનાશ કરે છે. કેમકે “સા મામો, પળવદો હો તો નિયન' જેને માટે આરંભ થાય છે, તેને અવશ્ય પ્રાણીવધ થાય છે. એવું વચનનું પ્રમાણ છે માટે અને વળી પ્રાણાદિકને હણતો તે નિશ્ચયથી ચારિત્રાદિરૂપ આત્માને હણે છે. કેમકે ‘પાળવë વમળો' પ્રાણીના વધથી વ્રતનો ભંગ થાય છે, ઇત્યાદિ વચન છે માટે તેથી કરીને જે આધાકર્મ છે, તે આત્મજ્ઞ એમ કહેવાય છે. તથા “વત્' જે કારણથી “તત્' તે આધાકર્મને ગ્રહણ કરતો સતો “પરસ્ટ' રાંધનાર વગેરે પરસંબંધીનું જે ‘વ’ આરંભથી ઉત્પન્ન થએલ જ્ઞાનાવરણીયાદિ કર્મ ઉત્પન્ન થયું હતું તે પોતાનું પણ કરે છે. તેથી તે આધાકર્મ, આત્મકર્મ છે એમ કહેવાય છે. તેથી કરીને અધકર્માદિક સર્વે પણ નામો આધાકર્મ શબ્દના અર્થને ઉલ્લંઘન કરતા નથી, તેથી બીજા ભંગને વિષે ઉતરે છે. ૧૩૬ll તેથી કરીને મૂળગાથાને વિષે એ પ્રમાણે “ભટ્ટ' (એકાર્થક) એવો શબ્દ કહ્યો હતો તેનું પણ વ્યાખ્યાન કર્યું. હવે ‘સ વાવ’ એ અવયવની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા કહે છે : मू.०- कस्सत्ति पुच्छियम्मि, नियमा साहम्मियस्स तं होई ॥ साहम्मियस्स तम्हा, कायव्व परूवणा विहिणा ॥१३७॥ મૂલાર્થ : કોને માટે કરેલું આધાકર્મ કહેવાય છે? એમ પૂછે સતે અવશ્ય સાધર્મિકને માટે કર્યું હોય તે આધાકર્મ કહેવાય છે, એમ ઉત્તર આપે છે. તેથી સાધર્મિકની પ્રરૂપણા વિધિ પૂર્વક કરવા * प्राणा द्वित्रिचतुः प्रोक्ता, भूतास्तु तरवः स्मृताः । जीवाः पंचेंद्रियाः प्रोक्ताः, शेषाः (पृथ्व्यप्तेजोवायवः) सत्त्वा દ્વરિતા: III Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy