SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૭ | ‘ટ્ટ' દ્વાર બીજાની વ્યાખ્યા . હવે અનુમોદનાના પ્રકારને જ દેખાડે છે – मू.०- साउ पज्जतं आयरेण काले रिउक्खमं निद्धं ॥ तरगुणविकत्थणाए, अभुंजमाणेऽवि अणुमन्ना ॥१२८॥ મૂલાર્થ : “સ્વાદિષ્ટ, પરિપૂર્ણ, આદરપૂર્વક, યોગ્યકાળ, તુને લાયક અને સ્નિગ્ધ એવા આહારને આ સાધુઓ પામે છે.” એમ તેના ગુણની પ્રશંસા કરવાથી તે આહાર નહિ વાપરવા છતાં પણ તેને અનુમતિ દોષ લાગે છે. // ૧૨૮ ટીકાથે આધાક ભોજન કરનારને ઉદ્દેશીને કેટલાક સાધુઓ આ પ્રમાણે બોલી કે – “અમે તો કદાપિ મનોજ્ઞ આહારને પામતા નથી, પરંતુ આ સાધુઓ તો સર્વદા સ્વાદુ આહારને પ્રાપ્ત કરે છે. તે પણ ‘પથ' પરિપૂર્ણપણે પામે છે. તેમાં પણ “મા” બહુમાન પૂર્વક પામે છે. તેમાં પણ ઋત્વેિ' પ્રસ્તુત ભોજનને સમયે પામે છે. તે પણ ‘ઋતુHE' શિશિરાદિક ઋતુમાં ઉપયોગી તથા ‘બ્રિાઉં” નેહવાળા ઘેબર વગેરે પામે છે. તેથી આ સાધુઓ ધન્ય છે, તેઓ સુખે જીવે છે. આ પ્રમાણે ‘ તવિકલ્પના' તેના ગુણની પ્રશંસા કરીને ‘સમુંગાડપિ' ભોજન નહિ કરવા છતાં પણ ‘અનુમન્યા’ અનુમતિ દોષ લાગે છે. અહીં અનુમતિથી ઉત્પન્ન થએલ દોષ પણ કાર્યને વિષે કારણનો ઉપચાર કરવાથી અનુમતિ એમ કહેલ છે. તેથી ભાવાર્થ આ પ્રમાણે જાણવો. ભોજન નહિ કરવા છતાં પણ અનુમોદનાને આશ્રયીને આધાકર્મના ભોજન કરનારની જેમ તેને પણ દોષ લાગે છે. બીજા આચાર્યો તો તેના ગુણની પ્રશંસાને આ પ્રમાણે યોજે છે – આધાકર્મ જમનારને કોઈ સાધુ ગર્વ વડે અથવા અનાભોગ વડે પૂછે કે – “તે સારું ભોજન પ્રાપ્ત કર્યું? તથા પરિપૂર્ણ તથા આદર વડે - ભક્તિ વડે પ્રાપ્ત કર્યું?” ઇત્યાદિ આવો અર્થ કરવામાં પણ કાંઈ વિરોધ નથી. ૧૨૮ આ પ્રમાણે આધાકર્મનાં નામ કહ્યાં. તે કહેવાથી જે પૂર્વે મૂળગાથામાં કહ્યું હતું કે - ધર્મનામા' (ગા. ૯૪) તેની વ્યાખ્યા પૂરી થઈ. હવે ‘’ એ અવયવ (શબ્દ)ની વ્યાખ્યા કરવાને ઇચ્છતા સતા આ સૂત્રને કહે છે : मू.०- आहा अहे य कम्मे, आवाहमे य अत्तकम्मे य ॥ जह वंजणनाणत्तं अत्थेण वि पुच्छए एवं ॥१२९॥ મૂલા આધાકર્મ, અધકર્મ, આત્મન અને આત્મકર્મ આ નામોને વિશે જેમાં બંને (૨) વિવિધપણું છે, તેમ અર્થનું પણ વિવિધપણું છે કે નહિ? I૧૨૯ ટીકાર્થ : અહીં કોઈ અન્ય પ્રશ્ન કરે છે કે - “આધાકર્મ, અધ:કર્મ, આત્મન અને આત્મકર્મ એ ચાર નામને વિષે જેમ વ્યંજનવડે નાનાપણું છે, તેમ ‘અર્થેનાપ' અર્થની અપેક્ષાએ પણ નાનાપણું છે કે નહિ?” પ્રશ્ન કરનારને આ અભિપ્રાય છે – અહીં આધાકર્મ વગેરે સર્વનામોની વ્યુત્પત્તિ જુદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy