SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ | સંવાસ અને અનુમોદનાનું સ્વરૂપ છે મૂલાર્થ : જે ગુરુ ઉપયોગકાળે આધાકર્મને પ્રહણ કરનાર શિષ્યના ચિત્તની રક્ષાને માટે લાભ એવા શબ્દને કહે છે, તથા તેની આલોચનાને સમયે સારું પ્રાપ્ત કર્યું એમ બોલે છે, આ પ્રમાણે બોલતા તે ગુરુને પ્રતિશ્રવણ નામનો દોષ લાગે છે II૧૧દી ટીકાર્થ : અહીં જે ગુરુ ઉપયોગ કરવાને સમયે “ર્મદા :' આધાકર્મ ગ્રહણ કરવાને માટે પ્રવર્તેલા શિષ્યના “વિત્તરક્ષાર્થ ચિત્તની રક્ષાને માટે એટલે મનના અન્યથાભાવને નિવારવા માટે દાક્ષિણ્યતાદિકે કરીને સહિત હોવાથી “ના મળતિ' લાભ એવા શબ્દને બોલે છે. તથા આધાકર્મને ગૃહસ્થના ઘરથી લાવીને આલોચે સતે એટલે શ્રાવિકાએ આ (ભોજા) કરોટિકા (કાંસાની તાંસળી) વડે આપ્યું છે. એમ નિવેદન કરે સતે “સુતદ્ધ સારું થયું કે – જે તે આ પ્રાપ્ત કર્યું એમ બોલે, તે ગુરુને એ પ્રમાણે કહેવાથી પ્રતિશ્રવણ નામનો દોષ લાગે છે. અહીં સૂત્રને વિષે “ifસુધા' એમ સ્ત્રીલિંગનો નિર્દેશ પ્રાકૃતપણાને લીધે કર્યો છે. કેમકે – પ્રાકૃતમાં લિંગ વ્યભિચારી (અનિયમિત) છે. તે વિષે પાણિનિ, પોતાના કરેલા પ્રાકૃત વ્યાકરણમાં કહે છે કે – “તાં ખવાઈ તિ' (લિં! વ્યભિચારી પણ હોય છે) પ્રતિશ્રવણ એટલે અભ્યપગમ-સ્વીકાર ૧૧૬ હવે સંવાસ અને અનુમોદન (નામના ત્રીજા તથા ચોથા દોષ)નું સ્વરૂપ કહે છે - मू.०- संवासो उ पसिद्धो अणुमोयण कम्मभोयगपसंसा ॥ एएसिमुदाहरणा, एए उ कमेण नायव्वा ॥११७॥ મૂલાર્થ: સંવાસનો અર્થ પ્રસિદ્ધ છે. અને અનુમોદન એટલે આધાકર્મ વાપરનારની પ્રશંસા કરવી છે. તેમનાં ઉદાહરણો અનુક્રમે આ પ્રમાણે જાણવા. ૧૧મી ટીકાર્થ: “સંવાલ:' આધાકર્મને જમનારાની સાથે એકસ્થાને વસવારૂપ સંવાસ પ્રસિદ્ધ જ છે. અને અનુમોદના તો આધઆકર્મને જમનારાની પ્રશંસા કરવી તે. એટલે કે “આ (સાધુઓ) પુણ્યશાળી છે, સારી લબ્ધિવાળા છે કે – જેઓ આ પ્રમાણે હમેશાં (સારો આહાર) પ્રાપ્ત કરે છે અથવા જમે છે,” એવી પ્રશંસા કરવી છે. આ પ્રમાણે પ્રતિસેવનાદિક ચારેયનું સ્વરૂપ કર્યું. હવે તે જ પ્રતિસેવનાદિકના પતન' આ કહેવાશે એવા સ્વરૂપવાળ ઉદાહરણો અનુક્રમે જાણવાં. અહીં સૂત્રમાં ઉદાહરણ શબ્દને પ્રાકૃત વ્યાકરણના વશથી પુલ્લિગમાં લખ્યો છે. ૧૧૭થી તેમાં જે ઉદાહરણો કહેવાનાં છે, તેના નામ અનુક્રમે કહે છે : मू.०- पडिसेवणाए तेणा, पडिसुणणाए उ रायपुत्तो उ॥ संवासम्मि य पल्ली, अणुमोयण रायदुट्टो उ ॥११८॥ મૂલાર્થ: પ્રતિસેવનનું ઉદાહરણ સ્તન (ચાર) છે, પ્રતિશ્રવણનું ઉદાહરણ રાજપુત્ર છે, સંવાસમાં પલ્લી ઉદાહરણ છે, અને અનુમોદનામાં રાજદુષ્ટ ઉદાહરણ છે. I૧૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy