SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ || શ્રી પિંડનિર્યુક્તિગ્રંથનો અનુવાદ છે મૂલાર્થ: જળ વગેરેમાં નાંખેલું જે દ્રવ્ય ભાર વડે કરીને નીચે જાય, તથા જે નીસરણી કે રજુએ કરીને નીચે ઉતરવું તે દ્રવ્ય અધઃકર્મ કહેવાય છે I૯૮ ટકાર્થઃ જે કોઈપણ વ્ય' પથ્થર વગેરે પદાર્થ “ વિપુ' જળ, દૂધ વગેરેને મળે નાંખે સતે “મારે' પોતાના ભારેપણાને લીધે નીચે થાય છે. તથા “તિ' જે “ફા રિ’ નીસરણી વડે અથવા રજુ ડે ‘નવતર પુરુષ વગેરેનું કૂપ વગેરેમાં ઉતરવું અથવા માળ આદિ ઉપરથી પૃથ્વી પર નીચે નીચે અથવા ઉતરવું તે દ્રવ્ય અધઃકર્મ કહેવાય છે. કેમકે-પથ્થર વગેરે દ્રવ્યનું નીચે જવું અથવા ઉતરવું તે રૂપ જે કર્મ તે દ્રવ્ય અધઃકર્મ એવી વ્યુત્પત્તિ થાય છે. ll૯૮ના હવે ભાગ અધકર્મનો અવસર છે, તે (ભાવ અધકમ) બે પ્રકારે છે : આગમથી અને નોઆગમથી. તેમાં અધઃકર્મ શબ્દના અર્થને જાણનાર અને તેમાં ઉપયોગવાળો જે હોય તે આગમથી ભાવાધ કર્મ કહેવાય છે. હવે નોઆગમથી ભાવાધાકર્મને કહે છે : मू.०- संजमठाणाणं कंडगाण लेसाठिईविसेसाणं ॥ __ भावं अहे करेई, तम्हा तं भावहे कम्मं ॥१९॥ મૂલાર્થ સંયમના સ્થાનો, કંડકો, વેશ્યા અને શુભકર્મની સ્થિતિ વિશેષના ભાવને નીચે કરે છે. તેથી તે ભાવ અધઃકર્મ કહેવાય છે. કેટલાં ટીકાર્થ : જે કારણથી આધાકર્મને ખાનાર સાધુ, આગળ કહેવાશે તે સંયમનાં સ્થાનો,કંડક એટલે અસંખ્યાતા સંયમનાં સ્થાનના સમુદાયરૂપ કંડક, આ (કંડક શબ્દો પસ્થાનક અને સંયમની શ્રેણિનું ઉપલક્ષણ છે. તથા વેશ્યા, સાતાવેદનીય વગેરે શુભ પ્રકૃતિ સંબંધી સ્થિતિ વિશેષ, આ સર્વ સંબંધીનાં વિશુદ્ધ અને અતિ વિશુદ્ધ સ્થાનોને વિષે વર્તતા સતા પોતાના આત્માના) “પાર્વ' અધ્યવસાયને નીચે કરે છે. એટલે હીન અને અતિહિન વાન વિષે કરે છે, તે કારણથી તે આધાકર્મ ભાવાધ કર્મ કહેવાય છે. કેમકે- સંયમ વગેરે સંબંધીનાં શુભ અને અતિશુભ સ્થાનોને વિષે વર્તતા ભાવનું એટલે પરિણામનું અધો અધો એટલે હીન અતિહીન સ્થાનોને વિષે જેનાથી કરવું થાય છે તે ભાવાધ કર્મ કહેવાય છે, એવી તેની વ્યુત્પત્તિ થાય છે. લો ભાષ્યકાર મહારાજા આ જ ગાથાની ત્રણ ગાથા દ્વારા વ્યાખ્યા કરે છે : तत्थाणंता उ चरित्त-पज्जवा होंति संजमट्ठाणं ॥ संखाईयाणि उ ताणि, कंडगं होइ नायव्वं ॥२८॥ संखाईयाणि उ कंड-गाणि छट्ठाणगं विणिद्दिढें ॥ छट्ठाणा उ असंखा, संजमसेढी मुणेअव्वा ॥२९॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy