SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૧ છે અધઃકર્મ નામનું સ્વરૂપ છે આ જ ગાથાને ભાષ્યકાર મહારાજ ત્રણ ગાથા વડે સ્પષ્ટ કરે છે : ओरालग्गहणेणं, तिरिक्खमणुयाऽहवा सुहुभवज्जा ॥ उद्दवणं पुण जाणसु, अइवायविवज्जियं पीडं ॥२५॥ कायवइमणो तिन्नि उ, अहवा देहाउइंदियप्पाणा ॥ सामित्तावायाणे, होइ तिवाओ य करणेसुं ॥२६॥ हिययग्नि समाहेउं, एगमणेगं च गाहगं जो उ॥ વહાં રે , વાથે તમારું શમ્મતિ રા (મ.) મૂલાર્થ : ઔદારિક શરીરના ગ્રહણ વડે સર્વે તિર્યંચ અને મનુષ્ય જાણવા, અથવા સૂક્ષ્મને વર્જીને (તિર્યંચ) જાણવા તથા વળી અતિપાતને (વિનાશને) વર્જીને જે પીડા તે અપદ્રાવણ જાણવું. કાય, વચન અને મન એ ત્રણ અથવા દેહ, આયુષ્ય અને ઇંદ્રિયરૂપ ત્રણ પ્રાણ જાણવા. સ્વામિત્વને વિષે, અપાદાનને વિષે, અને કરણને વિષે અતિપાત હોય છે. જે દાતા-ગૃહસ્થ. એક અથવા અનેક ગ્રાહક (સાધુ)ને હૃદયમાં સ્થાપન કરીને કાય વડે પ્રાણીવધ કરે છે. તે આધાકર્મ કહેવાય છે. ૨૫-૨૬-૨૭ી. ટીકાર્થઃ ગાથાઓ સુગમ છે વિશેષ રહે કે “સેદારાિળે તિ' દેહ, આયુષ્ય અને ઇંદ્રિયરૂપ ત્રણ પ્રાણો “સામિત્તે' ત્યાદિ સ્વામિત્વે એટલે સ્વામિત્વના વિષયમાં અર્થાત સંબંધની (ષષ્ઠી વિભક્તિની) વિવક્ષાએ કરીને, એવો ભાવાર્થ જાણવો. એ જ પ્રમાણે અપાદાને એટલે અપાદાને (પંચમી)ની વિવક્ષાએ કરીને, ‘કરવુ વિ' એટલે કરણ (તૃતીયા)ની વિલક્ષાએ કરીને અતિપાત થાય છે જેમકે-ત્રણનું જે પાતન તે ત્રિપાતન અથવા ત્રણથકી જે પાતન તે ત્રિપાતન અથવા કરણરૂપ (મનવચન-કાયા રૂપ) ત્રણ વડે કરીને જે પાતન તે ત્રિપાતન આનો ભાવાર્થ પહેલાં (ઉપરની ગાથામાં) જ દેખાડ્યો છે ૨૫-૨૬-૨થા (ભાષ્ય) આ પ્રમાણે આધાકર્મ નામ કહ્યું. હવે આધકર્મ નામ કહેવાનું છે. તે અધઃકર્મ પણ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે : નામ અધકર્મ, સ્થાપના અધઃકર્મ, દ્રવ્ય અધઃકર્મ અને ભાવ અધઃકર્મ. આ અધઃકર્મને આધાકર્મની જેમ ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી કહેવું કે જ્યાં સુધી નોઆગમથી જ્ઞશરીર અને ભવ્ય શરીરરૂપ દ્રવ્ય અધકર્મ આવે. પરતુ જ્ઞશરીર અને ભવ્યશરીરથી વ્યતિરિક્ત દ્રવ્ય અધઃકર્મને તો નિર્યુક્તિકાર કહે છે : मू.०- जं दव्वं उदगाइसु, छूढमहे वयइ जं च भारेणं ॥ सीईए रज्जुएण व, ओयरणं दव्वहे कम्मं ॥१८॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004969
Book TitleAgam 41 Mool 02 Pind Niryukti Sutra
Original Sutra AuthorN/A
AuthorHanssagar Gani
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pindniryukti
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy