SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ १४२ श्रीसप्तभङ्गीविंशिका-१९ व्यञ्जनपणामित्यस्योक्तप्रायत्वात् । ततश्च वृत्तत्वेन श्यामत्वेन च मिथः सम्मील्य यथा वृत्तत्वविशिष्टश्यामत्वं निर्मीयते न तथा वृत्तपदवाच्यतया श्यामपदवाच्यतया च मिथः सम्मील्य वृत्तपदवाच्यताविशिष्टश्यामपदवाच्यता निर्मीयते, वृत्तश्यामपदवाच्यतायाः स्वतन्त्रत्वात्, तत्र वृत्तपदवाच्यतायाः श्यामपदवाच्यतायाश्चांशतोऽपि भागाभावात् । एतच्चावश्यं मन्तव्यम्, हरिणैगमेषीदेवे हरिणैगमेषीपद વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપના એક-એક અંશભૂત છે. એનો અર્થ જ કે અર્થપર્યાયો પરસ્પર મળી શકે છે. ને પરસ્પર ભેગા થઈને વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપને ઘડે છે. એટલે અર્થપર્યાયની દૃષ્ટિએ વિચારીએ તો વૃત્તશ્યામ” એટલે વૃત્તપણું + શ્યામપણું.... ને તેથી જવાબમાં ચીચેવ કહેવાથી બન્નેનો નિષેધ થઈ જાય છે, જેમ “ચોરસશ્યામ' અંગેના જવાબમાં એ કહેવાથી ચોરસપણું અને શ્યામપણું.... એ બન્નેનો નિષેધ થઈ જાય છે, તેમ. પણ અધિકૃતઘડામાં વૃત્તપણું તો છે જ, માટે ક્ષિત્યેિવ જવાબ સાચો ઠરી શકતો નથી. પણ વ્યંજનપર્યાયમાં આવું નથી. આપણે વિચારી ગયા છીએ કે વ્યંજનપર્યાયો વસ્તુસ્વરૂપને ઘડતા નથી. વસ્તુસ્વરૂપને અસર કરતા નથી... પરસ્પર સાવ નિરપેક્ષ હોય છે. એક બીજા વ્યંજનપર્યાયો ભેગા મળતા નથી... એટલે “વૃત્તશ્યામ’પદવાચ્યતા એ એક સ્વતંત્ર વાચ્યતા છે... એ કાંઈ “વૃત્તપદવાચ્યતા‘શ્યામ’પદવાણ્યતા.. એમ બે વાચ્યતાઓ ભેગી મળીને બનેલી - બંનેના મિશ્રણરૂપ વાચ્યતા નથી, અર્થાત્ એ “વૃત્ત'પદવાણ્યતાવિશિષ્ટ “શ્યામ’પદવાણ્યતારૂપ કે “શ્યામ”પદવાણ્યતાવિશિષ્ટ “વૃત્ત'પદવા...તારૂપ નથી. આમ માનવું આવશ્યક પણ છે જ, કારણકે (૧) “હરિમૈગમેલી' દેવમાં ‘હરિપૈગમેલી'પદવાણ્યતા છે, પણ હરિપદવાણ્યતા નથી. (૨) ઉપકુંભ નર પશ્યમાં નરમાં “ઉપકુંભ'પદવાણ્યતા છે, પણ “કુંભ'પદવાણ્યતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004968
Book TitleSaptabhangivinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy