________________
सङ्ग्रहनयविचारः
२५३
अयमपि स्थापनावर्जास्त्रीनिक्षेपानिच्छतीति केचित्, न जाने तत्र तेषां - क आशयः ? न हीन्द्रप्रतिमाया इन्द्रव्यवहारो न भवति । ननु स भवति, परं भ्रान्त एवेति चेत् ? न, केनचिदपि प्रमाणेन बाधाभावात्, न हि पश्चादपि कदाचिदपि कस्यचिदपि शिष्टस्य ‘नाऽयमिन्द्रः, अपि तु वासुदेवः' इत्यादि बाधकं प्रमाज्ञानं भवति । तथापि 'नाऽयमिन्द्रः, अपि तु तत्प्रतिमा' इति प्रमाज्ञानं तु भवत्येवेति चेत् ? तत्किं नाम्न्यपि तद्व्यवहारो भ्रान्त एव ? तत्रापि 'नाऽयमिन्द्रः, अपि तु तदाख्यो दारक एव' इति प्रमाज्ञानस्य सम्भवात् । ततश्च यथेदं ज्ञानं न नाम्नीन्द्रत्वव्यवहारस्य भ्रान्तत्वनिश्चायकं, तथैव स्थापनायामपि द्रष्टव्यम् । ननु नामादिप्रतिपक्षव्यवहारसाङ्कर्यान्नायमसङ्कीर्णस्थापनाકરે જ છે. જો કે આ નય પણ સ્થાપના સિવાયના ૩ નિક્ષેપાઓને સ્વીકારે છે એવું કેટલાક કહે છે. પણ એમાં તેઓનો શું આશય છે ? એ જણાતું નથી. ઇન્દ્રપ્રતિમાનો ઈન્દ્ર તરીકે વ્યવહાર નથી થતો એવું તો નથી જ.
શંકા : એ થાય છે, પણ બ્રાન્ત થાય છે.
સમાધાન : ના, કારણ કે એને ભ્રાન્ત ઠેરવે એવું કોઈ બાધક પ્રમાણ નથી. પાછળથી પણ ક્યારેય પણ કોઈપણ શિષ્ટને “આ ઇન્દ્ર નથી, પણ વાસુદેવ છે' વગેરરૂપે બાધક એવું પ્રમાજ્ઞાન થતું નથી જ.
શંકા : “આ કાંઈ ઇન્દ્ર નથી, પણ એની પ્રતિમા છે' આવું બાધક જ્ઞાન તો પાછળથી થાય જ છે ને ?
સમાધાન : તો શું નામ અંગેનો “આ ઇન્દ્ર છે' એવો વ્યવહાર પણ બ્રાન્ત છે ? ને તેથી નામનિક્ષેપ પણ વ્યવહારને અમાન્ય છે ? કારણ કે ત્યાં પણ “આ ઇન્દ્ર નથી, પણ ઇન્દ્ર નામે બાળક છે' આવું પ્રમાજ્ઞાન સંભવે જ છે. એટલે જેમ આ જ્ઞાનને નામનિક્ષેપમાં થતા ઈન્દ્રત્વવ્યવહારનું બાધક માનતા નથી એમ સ્થાપના અંગે પણ જાણવું જોઈએ.
શંકા : નામાદિ પ્રતિપક્ષરૂપ નિક્ષેપના વ્યવહારની સાથે સાંક્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org