________________
जात्याकृत्यादेः कुत्र निक्षेपे समावेशः ?
१४९
भावनिक्षेप इत्यभ्युपगमे श्रेयः प्रतिभाति। पारिशेष्याद् व्यक्तिरेव द्रव्यनिक्षेप इत्यपि निश्चीयत एव । किञ्च मृद्रव्यमेव घटतया व्यक्तीभूतं यतोऽतोऽपि तदेव व्यक्तिरिति ज्ञायत एव। 'पुत्रीभूतोऽपि न पुत्रः' इति तु कः श्रद्दधीत ? तथैव च प्रस्तुतेऽपि 'व्यक्तीभूतमपि न व्यक्तिः' इत्यस्याश्रद्धेयतया ‘यद् व्यक्तीभूतं तदेव व्यक्ति'रिति मन्तव्यमेवेति।
न च काकादिपदश्रवणानन्तरं न कश्चिच्छुक्लादिवर्णः पदार्थः, अपि तु श्यामवर्ण एव पदार्थ उपतिष्ठते । एवं न हस्तिपरिमाणः कीटिकापरिमाणो वा कश्चित्पदार्थः, अपि तु नियतपरिमाण एवोपतिष्ठते। ततश्च वाच्यार्थस्य ये वर्ण-परिमाणादयो नियता धर्मा भवेयुस्तेषामप्युपस्थितिमन्तव्यैवेति न जात्याकृतिविशिष्टव्यक्तावेव शक्तिरभ्युपगन्तव्या, अपि तु जात्याकृतिवर्णपरिमाणादिविशिष्टव्यक्तावेव साऽभ्युपगन्तव्येति। છે.) એટલે પારિશેષન્યાયે વ્યક્તિ એ જ દ્રવ્યનિક્ષેપ એ પણ નિશ્ચિત થાય છે જ. તથા માટીદ્રવ્ય જ ઘટરૂપે વ્યક્તીભૂત છે = વ્યક્ત થયેલું છે, માટે પણ એ જ વ્યક્તિ છે એ જણાય છે. “પુત્રીભૂત છે, પણ પુત્ર નથી' આવું તો કોણ માને ? એ જ રીતે પ્રસ્તુતમાં પણ વ્યક્તીભૂત એવું પણ દ્રવ્ય વ્યક્તિ નથી' એ વાત માનવા યોગ્ય ન હોવાથી “જે વ્યક્તીભૂત છે એ દ્રવ્ય જ વ્યક્તિ છે એમ માનવું જ જોઈએ.
શંકા : “કાક'(કાગડો)વગેરે શબ્દ સાંભળવા પર કોઈ શુક્લાદિવર્ણવાળો પદાર્થ નહીં, પણ શ્યામવર્ણવાળો પદાર્થ જ ઉપસ્થિત થાય છે. એમ હાથી જેટલો કે કીડી જેટલો પદાર્થ નહીં, પણ અમુક ચોક્કસ પરિમાણવાળો પદાર્થ જ ઉપસ્થિત થાય છે. તેથી વાચ્યાર્થના જે નિયત વર્ણ-પરિમાણ વગેરે ધર્મો હોય તે બધાની ઉપસ્થિતિ પણ માનવી જ પડે છે. ને તેથી જાતિ-આકૃતિવિશિષ્ટ વ્યક્તિમાં જ નહીં, પણ જાતિઆકૃતિ-વર્ણ-પરિમાણાદિવિશિષ્ટવ્યક્તિમાં જ શક્તિ માનવી જોઈએ. અને તેથી વર્ણાદિ પણ પદપ્રતિપાદ્ય બનવાથી વર્ણનિક્ષેપ, પરિમાણનિક્ષેપ વગેરે પણ માનવા જ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org