________________
૨૦૦.
પૌરવ નાં યાતે, માં ગાય એ પ્રધાનકર્મ છે. ગો પદોત્તર દ્વિતીયાર્થ વિષયિતા છે. જેમાં પ્રકૃત્યર્થ ગો નો અન્વય નિરુપિતત્વ સંબંધથી થશે અને વિયિતાનો અન્વય, યાન્ ધાત્વર્થતાવચ્છેદક દાનમાં થશે. વિષય-સ્વોદ્દેશ્ય વાનેચ્છાવાન્ એવો અર્થ થશે.
सविषयक ज्ञानादिरूपविषयो पहिते च्छाबो धक धातुस्थले इच्छाविषयविषयत्वमेव प्रधानकर्मत्वम्, अत एव 'घटो जिज्ञास्यते' इत्यादौ घटादेः सन्नन्तकर्मता ।
સવિષયક એવા જ્ઞાનાદિ વિષયક ઇચ્છાની બોધક ધાતુમાં, ઈચ્છાવિષયવિષયત્વ જ પ્રધાન કર્મત્વ છે. એટલે જ થયે નિજ્ઞાસ્યતે વિ. માં ઘટ, સન્તન્તનું કર્મ બને છે.
વિવેચન : પૌરવ નાં યાવતે સ્થળે યાર્ ધાતુ દ્વિકર્મક છે. પૌરવ અને ગો બંને કર્મ છે. તો તેમાં ગો જ કેમ પ્રધાનકર્મ બને ? તે કહે છે. સામાન્યથી ઇચ્છા બોધક ધાતુમાં જે ઇચ્છાનો વિષય હોય તે પ્રધાન કર્મ બને છે, જેમ કે ધમિતિ સ્થળે, ઈચ્છાના વિષયભૂત ધન એ કર્મ બને છે. પણ જે ઇચ્છાબોધક ધાતુમાં ઇચ્છાનો વિષય પણ સવિષયક જ્ઞાનાદિ પદાર્થ હોય ત્યાં, પ્રધાનકર્મ, ઇચ્છાના વિષય એવા જ્ઞાનાદિનો વિષય બને છે.
જેમ કે થયે નિજ્ઞાસ્યતે આ સન્નન્ત સ્થળે, સનન્ત ધાત્વર્થ થાય છે જ્ઞાનવિષયકેચ્છા. તો ત્યાં, ઇચ્છાનો વિષય જ્ઞાન પ્રધાનકર્મ નથી બનતું, પણ જ્ઞાનવિષય ઘટ જ પ્રધાનકર્મ બને છે. એટલે જ કર્મણિમાં ઘટ ને પ્રથમા થાય છે.
તે રીતે યાદ્ ધાત્વર્થ, દાનેચ્છા છે. અને દાન પણ ઇચ્છારૂપ હોવાથી સવિષયક પદાર્થ છે. એટલે, યાર્ ધાતુ સ્થળે પણ પ્રધાનકર્મત્વ ઇચ્છાવિષયત્વ રૂપ નહીં પણ દાનવિષયત્વ રૂપ બને છે. તેથી જ ગો પ્રધાનકર્મ છે. જો કે અપ્રધાને વુહાવીનામ્ અનુશાસનથી, કર્મણિ પ્રયોગમાં, ચાન્ ધાતુના અપ્રધાનકર્મત્વને જ આખ્યાત જણાવે છે, અને એટલે અપ્રધાનકર્મ પૌરવને પ્રથમા થઈને પૌરવો નાં યા—તે એવો જ પ્રયોગ થાય છે. પરંવુ પ્રધાનકર્મ ગોને પ્રથમા થઈને પૌરવ નૌઃ યાજ્યતે એવો પ્રયોગ થતો નથી.
Jain Education International
વ્યુત્પત્તિવાદ * ૮૬
For Private & Personal Use Only
www.jainelibrary.org